________________
વિશ્વના બધા પદાર્થો પોત-પોતાની સત્તા મૌલિક રૂપમાં બનાવેલી છે. હા, સંગ્રહનયની અપેક્ષાથી કથંચિત્ રૂપથી તે એવું કહે તો તે યથાર્થ હોઈ શકે છે. સ્યાદ્વાદનો આશ્રય લેવાથી જ વેદાંતનો અદ્વૈતવાદ સિદ્ધ થઈ શકે છે અન્યથા નહિ. તેથી આ કહેવું કે સ્યાદ્વાદ આપણને અર્ધસત્યો પાસે લાવીને પટકી દે છે, સત્યથી દૂર છે. વાસ્તવિકતા એ છે કે સ્યાદ્વાદ આપણને પૂર્ણ-સત્યની પાસે પહોંચાડી દે છે.
આ આશયથી મળતા-ભળતા અન્ય આક્ષેપ પણ છે, જેમનું સમાધાન પણ ઉક્ત સમાધાનોથી મળતું-ભળતું જ છે, તેથી એમની સૂક્ષ્મ ચર્ચા અહીં નથી કરવામાં આવતી. ઉપસંહારમાં એટલું કહેવું પર્યાપ્ત છે કે જૈનદર્શનનો આ અનેકાંત સિદ્ધાંત સમસ્ત દાર્શનિક અને વ્યાવહારિક વિવાદોનું યુતિસંગત સમાધાન પ્રસ્તુત કરી દે છે. આ સમન્વય સિદ્ધાંતના મહાસાગરમાં બધા વિવાદ આ જ રીતે વિલીન થઈ જાય છે. જેમ કે સમુદ્રમાં પહોંચીને ભિન્ન-ભિન્ન સરિતાઓનો પ્રવાહ. આચાર્યે સિદ્ધસેને કહ્યું છે -
"उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः ।
न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥" આ છે જેન-સિદ્ધાંતનું ઉદાર, વ્યાપક અને સમન્વય શીલ સ્યાદ્વાદ મહાસિદ્ધાંત. આ સુસંગત સિદ્ધાંત દ્વારા વિવિધતામાં એકતા અને એકતામાં વિવિધતાના દર્શન કરાવીને જૈન ધર્મે વિશ્વને નવું માર્ગદર્શન આપ્યું છે.
४१
(જીવ તત્વ : એક વિવેચન)
સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાનના પ્રકરણમાં કહ્યું છે કે - “તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા કરવી સમ્યગ્દર્શન છે અને તત્ત્વોની સાચી-સાચી જાણકારી હોવી સમ્યગુજ્ઞાન છે. તો સહજ જ જિજ્ઞાસા થાય છે કે તત્ત્વ શું છે અને તે કેટલાં છે ? તત્ત્વોનું યથાર્થ જ્ઞાન અને એના પર યથાર્થ પ્રતીતિ (વિશ્વાસ-શ્રદ્ધા) હોવાથી જ આધ્યાત્મિક વિકાસનું દ્વાર ખૂલે છે. અર્થાત્ મોક્ષની મંજિલ તરફ આત્માનું પહેલું પગથિયુ વધે છે. તેથી આત્માના અભ્યત્થાન માટે તત્ત્વજ્ઞાન કરવું પરમ આવશ્યક છે. મુમુક્ષુ સાધકને મોક્ષમાર્ગ ઉપર ચાલવા માટે પ્રકાશની આવશ્યકતા રહે છે. તત્ત્વજ્ઞાનનો પ્રકાશ જો એની સાથે છે, તો તે જ્યાં-ત્યાં ભટકી નહિ શકે અને મોક્ષના રાજમાર્ગ ઉપર આસાનીથી પગલાં ભરતાં આગળ ચાલે છે. જો મુમુક્ષુ આત્માની સાથે તત્ત્વજ્ઞાનનો આલોક નથી તો અંધકારમાં ભટકી જવાની બધી સંભાવનાઓ રહે છે. માટે પ્રત્યેક મુમુક્ષુ આત્માને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોવું જોઈએ, જેથી તે પોતાનું સાધ્ય નિશ્ચિત કરીને તેને પ્રાપ્ત કરવા માટે ઉપાયોનું અવલંબન લેતાં પોતાની મંજિલની તરફ આસાનીથી ચાલે છે.
(૮૦)
SSS
BX જિણધામો |