________________
ચાતુને કદાચ માનીને અનેક લોકોએ અને અનેક વિચારકોએ સ્યાદ્વાદના પ્રત્યે મોટો અન્યાય કર્યો છે. જૈનદર્શન ન તો અનિશ્ચયવાદી છે, ન અજ્ઞાનવાદી છે, ન સંશયવાદી છે અને ન બુદ્ધની જેમ અવ્યાકૃતવાદી જ છે. તે તો સ્પષ્ટ રૂપથી જે વસ્તુનું સ્વરૂપ તર્કસંગત તથા યુકિતસંગત છે, એનું પ્રતિપાદક છે.
શું આ અનિશ્ચય વાદ છે? ભગવાન મહાવીરના સમકાલીન સંજયવેલઢિપુત્ત અને બુદ્ધ વગેરે અન્ય તીર્થિક હતા. એમાં સંજયવેલઢિપુત્રનો સિદ્ધાંત બૌદ્ધ પંડિત રાહુલ સાંકૃત્યાયનના શબ્દોમાં આ રીતે છે -
“જો તમે પૂછો - “શું પરલોક છે?' તો જો હું સમજતો હોઉં કે પરલોક છે તો તમને બતાવું કે પરલોક છે. હું એવું પણ નથી કહેતો, તેવું પણ નથી કહેતો, બીજી રીતે પણ નથી કહેતો. હું એ પણ નથી કહેતો કે તે નથી, હું એમ પણ નથી કહેતો કે નથી. પરલોક નથી, પરલોક નથી નથી. પરલોક છે પણ અને નથી પણ, પરલોક ન છે અને ન નથી.” સંજયલઢિપુત્તના ઉક્ત વિચાર શત-પ્રતિશતું અજ્ઞાન અને અનિશ્ચયવાદને બતાવે છે.
જ્યારે આ પ્રકારનો પ્રશ્ન બુદ્ધથી કરવામાં આવ્યો તો એમણે જવાબ આપ્યો - “તે પ્રશ્ન અવ્યાકૃત છે.” અર્થાત્ આને જાણવો અનુપયોગી છે. આ રીતે બુદ્ધે આ પ્રશ્નને અવ્યાકૃત કહીને છોડી દીધો. જ્યારે આ પ્રશ્ન ભગવાન મહાવીરથી કરવામાં આવ્યો તો એમણે ખૂબ જ સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે - “હાં, પરલોક છે. તે દ્રવ્ય દૃષ્ટિથી શાશ્વત છે અને પર્યાયદષ્ટિથી અશાશ્વત છે.”
બૌદ્ધ પંડિત રાહુલ અને ડૉ. જેકોબી વગેરેએ સ્યાદ્વાદ કે સપ્તભંગીને સંજય વેલઢિપુત્તના મતથી લીધેલો મનાય છે. માત્ર કેટલાક શબ્દો કે કેટલાક ભંગોની સદેશતાને લઈને આ પ્રકારનો નિષ્કર્ષ કાઢવો સર્વથા ખોટું છે. સંજયે ઉક્ત પ્રશ્નનો જે જવાબ આપ્યો તે સ્પષ્ટતા એના અજ્ઞાન અને અનિશ્ચયને બતાવે છે. એમણે સ્વયં કહ્યું : “હું જાણતો હોઉં તો બતાવું?” આ સ્વયં એના અજ્ઞાનની સ્વીકારોકિત છે. તે સ્વયં અનિર્ણયની સ્થિતિમાં હતો. બુદ્ધે આ પ્રશ્નને અવ્યાકૃત કહીને છોડી દીધો. મહાવીરે સ્પષ્ટ અને નિશ્ચિત જવાબ આપ્યો છે, જે એમના જ્ઞાન અને નિર્ણયના દ્યોતક છે. એવી સ્થિતિમાં સ્યાદ્વાદને સંજયના અજ્ઞાનવાદની નિષ્પત્તિ કેવી રીતે માની શકાય? ઉક્ત બંને વિદ્વાનો શબ્દોને સદેશતાને જોઈને ભ્રાંત નિર્ણય પર પહોંચે છે. જૈનદર્શનનો સ્યાદ્વાદ કે સપ્તભંગી સિદ્ધાંત કોઈથી લીધેલો સિદ્ધાંત નથી, અપિતુ આ તેના મૌલિક અને સ્વતંત્ર ચિંતનનું પરિણામ છે. અનેકાંત અને સ્યાદ્વાદ (સપ્તભંગીવાદ) જૈનદર્શનનું મૌલિક તત્ત્વ છે.
શંકરાચાર્યનો આક્ષેપ અને સમાધાન બ્રહ્મસૂત્ર'માં બાદરાયણે “નૈમિશ્ન સંભવી' (૨-૨-૩૩) સૂત્ર દ્વારા અનેકાંતનું ખંડન કરતાં કહ્યું છે કે - “એક વસ્તુમાં અનેક ધર્મ નથી હોતા.” શ્રી શંકરાચાર્યજીએ (૨૮)))) )))))))), જિણધમો)