________________
ચોથો ભંગ થયો. ક્યાંક આ ચોથો ભંગ ત્રીજા ભંગના સ્થાનમાં છે અને ત્રીજો ભંગ ચોથાના સ્થાન પર. અર્થમાં કોઈ અંતર ન હોવાથી ક્રમ કોઈપણ હોઈ શકે છે.
(૫) -અસ્તિ-અવક્તવ્ય : પ્રથમ ક્ષણમાં સ્વચતુટ્યનું અસ્તિત્વ અને દ્વિતીય ક્ષણમાં યુગપતું સ્વ-પર-ચતુષ્ટય રૂપ અવક્તવ્યન ક્રમિક વિચક્ષા અને બંને સમયો ઉપર સામૂહિક દૃષ્ટિ હોવાથી ઘટ વગેરે વસ્તુ ચાતુ-અસ્તિ-અવક્તવ્ય ભંગનો વિષય બને છે. અર્થાતુ પ્રથમ અસ્તિત્વને અને તદનંતર અવક્તવ્યને ક્રમથી કહેવાની ઇચ્છા હોવી સ્યા અસ્તિ-અવક્તવ્ય છે. આ પ્રથમ અને ચતુર્થ ભંગનો સંયોગ છે.
(૬) સ્વાનાતિ-અવકતવ્ય : પ્રથમ ક્ષણમાં પર ચતુષ્ટયનું નાસ્તિત્વ અને દ્વિતીય ક્ષણમાં યુગપતુ સ્વ-પર ચતુષ્ટય રૂપ અવક્તવ્યને ક્રમિક વિચક્ષા અને બંને સમયો પર સામૂહિક દૃષ્ટિ હોવાથી ઘટ વગેરે વસ્તુ સ્યાત્ નાસ્તિ અવક્તવ્યનો વિષય બને છે. આ ભંગ દ્વિતીય અને ચતુર્થ ભંગનો સંયોગ છે.
(9) સ્વાત-અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય : પ્રથમ સમયમાં સ્વચતુષ્ટયના અસ્તિત્વની દ્વિતીય સમયમાં પર ચતુષ્ટયના નાસ્તિત્વની અને તૃતીય સમયમાં યુગવત્ સ્વ-પર ચતુષ્ટય રૂપ અવક્તવ્યની વિવક્ષા હોવાથી અને ત્રણેય સમયો પર સામૂહિક દૃષ્ટિ હોવાથી ઘટ વગેરે સ્યાદ્રઅસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય રૂપ સપ્તમ ભંગનો વિષય હોય છે. આ તૃતીય અને ચતુર્થ ભંગનો સંયોગ છે.
સાત જ ભંગ કેમ? ઉક્ત સાત ભંગોમાંથી મૂળ ભંગ ત્રણ છે. સ-અસત્ અને અવક્તવ્ય. ગણિતના નિયમાનુસાર ત્રણના અપુનરુકત વિકલ્પ સાત જ હોઈ શકે છે, વધુ નહિ. તેથી ભંગોની સંખ્યા સાત જ કહેવાઈ છે. બીજી વાત એ છે કે વસ્તુના એક ધર્મને લઈને કરવામાં આવતા પ્રશ્ન સાત પ્રકારના જ હોઈ શકે છે. પ્રશ્ન સાત પ્રકારના જ કેમ હોય છે ? એનો જવાબ છે કે જિજ્ઞાસા સાત પ્રકારની હોય છે. જિજ્ઞાસા સાત પ્રકારની કેમ હોય છે ? આનો જવાબ છે કે સંશય સાત પ્રકારના હોય છે, તર્કજન્ય પ્રશ્નોની અધિકતમ સંભાવના કરીને સપ્તભંગીના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
સકલાદેશ - વિકલાદેશ આ સપ્તભંગી સકલાદેશ સ્વરૂપવાળી પણ છે અને વિકલાદેશ સ્વભાવવાળી પણ. પ્રમાણથી જાણેલી અનંત ધર્મવાળી વસ્તુને કાળ વગેરે દ્વારા અભેદની પ્રધાનતાથી અથવા અભેદના ઉપચારથી એક સાથે પ્રતિપાદન કરનાર વચન સકલાદેશ છે. પ્રમાણ વાક્યને સકલાદેશ કહે છે.*
* ાિત્મ રૂપ સંસfપ ક્રિયે તથા |
गुणिदेशार्थ शब्दश्चेत्यष्टौ कलादयः स्मताः ॥
(૨૭) 900000000000000જિણધામો)
૨૦૬
જિણાધમો