________________
નયના વિષયભૂત વસ્તુ ધર્મને ભેદની પ્રધાનતાથી અથવા ભેદના ઉપચારથી ક્રમશઃ પ્રતિપાદન કરનાર વચન વિકલાદેશ છે. નય વાક્યને વિકલાદેશ કહે છે. સકલાદેશમાં દ્રવ્યાર્થિક નયની પ્રધાનતાના કારણે વસ્તુના અનંત ધર્મોનો અભેદ બતાવવામાં આવે છે,
જ્યારે વિકલાદેશમાં પર્યાયાર્થિક નયની પ્રધાનતાને લઈને વસ્તુના ધર્મોમાં કાળ વગેરેની અપેક્ષાથી ભેદ કરીને કથન કરવામાં આવે છે.
ઉક્ત રીતિથી સપ્તભંગી સ્યાદવાદનું વિશ્લેષણ કરનારી પદ્ધતિ છે. આ અનેકાંત વાદનો પ્રાણ છે.
આક્ષેપ પરિહાર પં. રાહુલ તથા પાશ્ચાત્ય વિદ્વાન જેકૉબીની ભ્રાંત-ધારણા - અનેકાંત અને સ્વાવાદનો સિદ્ધાંત પર્યાપ્ત ઊંડાઈ અને વાસ્તવિકતા પર આધારિત છે. આને પૂર્ણતઃ નહિ સમજવાના કારણે આ સિદ્ધાંતના વિશે અન્ય દાર્શનિકો અને સાધારણ લોકોમાં ઘણી ભ્રાંત-ધારણાઓ છે. જે લોકોએ આ સિદ્ધાંતોને ઉપર-ઉપરથી જ સાંભળ્યા છે કે સમજ્યા છે, એની ઊંડાઈમાં જવાનો એમણે પ્રયત્ન જ નથી કર્યો. એમણે આ સિદ્ધાંતને સાચા રૂપમાં સમજવાની કોશિશ નથી કરી અને પોતાની મનઃકલ્પિત ધારણાઓના આધારે એના ખોટા રૂપને સામે રાખીને એનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો. એમની દૃષ્ટિમાં સ્યાદ્વાદનું ખોટું ચિત્ર રહ્યું અને એ જ આધારે એમણે પોતાની ભ્રાંત-ધારણાઓની સૃષ્ટિ કરી. કેટલાક લોકોએ ત્યાં સુધી કે સ્વયંને તત્ત્વચિંતક (Philosopher) માનનારોને પણ “સ્યાત્’ શબ્દને શાયદના રૂપમાં માની લીધો છે અને તે આ જ કારણથી સ્યાદ્વાદને સંશયવાદ, સંભાવનાવાદ કે અનિશ્ચયવાદ કહી દે છે. પરંતુ “ચાતુ' શબ્દનો અર્થ શાયદ, સંભવ કે કદાચિત નથી. કેટલાક લોકોએ આ શબ્દને અંગ્રેજી અનુવાદ (Perhaps, May be Probable) કર્યો છે, જે બિલકુલ ખોટો છે. “ચાતુને હિન્દીમાં કદાચ (શાયદ) માનીને એનો જ અંગ્રેજી અનુવાદ ઉક્ત શબ્દોમાં કરવામાં આવ્યો છે, જે મૂળ ખોટો છે.
“ચા” શબ્દનો અર્થ જૈનદર્શનમાં “ચા” શબ્દનો પ્રયોગ એક વિશેષ અર્થમાં કરવામાં આવ્યો છે. એનો અર્થ થાય છે - સાપેક્ષ, કથંચિતુ. સ્યાદ્વાદ સાપેક્ષતા(Theory of Relativity)નો સિદ્ધાંત છે. “સ્થા અનેકાંતનો દ્યોતક અવ્યય છે. આ અવ્યય આ અર્થને પ્રગટ કરે છે કે “એની સાથે જે કથન કરવામાં આવ્યું છે તે સાપેક્ષ છે અર્થાત્ એના સિવાય પણ ધર્મ આ પદાર્થમાં છે પરંતુ તે વિવક્ષિત નથી - ગૌણ છે. આ વિશિષ્ટ અર્થને સૂચિત કરવા માટે જૈનાચાર્યોએ “ચાતુ' શબ્દનો પ્રયોગ કર્યો છે. “ચાતુનો અર્થ કથંચિત્ હોય છે. આ વાક્યમાં જોડાઈને એ બતાવે છે કે જે વાત કહેવાય છે તે કોઈ વિશેષ દૃષ્ટિથી કહેવાય છે. “ચાતુને અનિશ્ચય બોધક સમજવું યુક્તિસંગત નથી. “ચાતુ” શ્રોતાને એ બતાવે છે કે વિવક્ષિત ધર્મની પ્રધાનતાથી કથન કર્યું છે, છતાં એમાં અવિવક્ષિત અનેક ધર્મોનું અસ્તિત્વ છે. આ મર્મને ન પકડીને [ સપ્તભંગી જે છે જે છે તે છે ૨૦]