________________
કામ કરશે કોઈ અને તે ભોગશે કોઈ બીજું. આપશે કોઈ અને તેને લેશે કોઈ બીજો ? વગેરે બધી લૌકિક અને પારલૌકિક વ્યવસ્થાઓ છિન્ન-ભિન્ન થઈ જશે. માટે સમસ્ત લોક-પરલોક તથા કાર્ય-કારણ ભાવ વગેરેની સુવ્યવસ્થા માટે પૂર્વોત્તર પર્યાયોમાં અન્વયી રહેનાર દ્રવ્યનો ધ્રુવત્વ સ્વીકાર કરવો જ જોઈએ. નૈયાયિક-વૈશેષિક આકાશ વગેરેને સર્વથા નિત્ય અને દીપ વગેરેને સર્વથા અનિત્ય માને છે. આ પક્ષ પણ ઉચિત નથી, કારણ કે પદાર્થ માત્ર ભલે તે આકાશ હોય કે દીવો - બધા નિત્યાનિત્ય છે. આકાશ પણ એ જ રીતે નિત્યાનિત્ય છે, જેમ કે દીવો નિત્યાનિત્ય છે. માટે કહ્યું છે -
आदीपमाव्योम सम स्वभावं स्याद्वादमुद्रानति भेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां પ્રભાષાઃ ॥
દીવાથી લઈને આકાશ પર્યંત બધા પદાર્થ એક સમાન સ્વભાવવાળા છે અર્થાત્ બધા નિત્યાનિત્ય સ્વભાવવાળા છે. કારણ કે કોઈપણ પદાર્થ સ્યાદ્વાદની મુદ્રાનું ઉલ્લંઘન નથી કરી શકતા. જે લોકો આકાશને સર્વથા નિત્ય અને દીવાને સર્વથા અનિત્ય માને છે, તે વાસ્તવિક નથી. આકાશ સર્વથા નિત્ય નથી, કારણ કે એમાં પણ સંયોગ-વિયોગ રૂપ પર્યાયો ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. પર્યાયોમાં પરિવર્તન થવાથી દ્રવ્યમાં પણ પરિવર્તન થાય છે, કારણ કે દ્રવ્ય અને પર્યાય કર્થંચિત્ અભિન્ન છે. દીવો સર્વથા નિત્ય નથી, કારણ કે દીવાના ઓલવાવાથી દીવાનો સર્વથા નાશ થતો નથી, છતાં પ્રકાશને પુદ્ગલના રૂપમાં એમનું અસ્તિત્વ બની રહે છે. અવસ્થા બદલવા માત્રથી કોઈ વસ્તુનો સર્વથા અભાવ થઈ જવો માની નથી શકાતો. વ્યક્તિ પણ બાળક-યુવક-વૃદ્ધ અવસ્થામાં પરિવર્તન થયા પછી પણ વ્યક્તિ તે જ રહે છે, તેથી દીવો ઓલવાયા પછી પણ તમોરૂપમાં પોતાનું અસ્તિત્વ બનાવી (અકબંધ) રાખે છે, તેથી તે કથંચિત્ નિત્ય છે. આ રીતે પદાર્થ માત્ર કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સિદ્ધ થાય છે. કોઈપણ પદાર્થ સ્યાદ્વાદની મુદ્રાનું ઉલ્લંઘન નથી કરી શકતા. જો તે સ્યાદ્વાદની મુદ્રાનું અતિક્રમણ કરે છે તો તે પોતાના પદાર્થત્વને જ ખોઈ બેસે છે. એનું સર્વસ્વ ચાલ્યું જાય છે.
આગમમાં કહ્યું છે.
“પરમાણુ પોતે ભંતે ! િસાસણ્ અસાસણ ? ગોયમા । दव्वट्ठ याए सासए वन्न पज्जवेहिं जाव फास पज्जवेहिं असासए |" ભગવતી, શતક-૧૪, ૬-૪, સૂ-૫૧૨ “ભગવાન્ ! પરમાણુ પુદ્ગલ નિત્ય છે કે અનિત્ય ?’’ “ગૌતમ ! દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે અને વર્ણાદિ પર્યાયોની અપેક્ષા અનિત્ય છે. આ રીતે વિશ્વવર્તી પ્રત્યેક પદાર્થ નિત્યાનિત્ય છે.’
સામાન્ય વિશેષ
પ્રત્યેક પદાર્થ સામાન્ય ધર્મવાળો પણ છે અને વિશેષ ધર્મવાળો પણ. જ્યારે આપણે ‘ગો’ શબ્દનું ઉચ્ચારણ કરીએ છીએ તો એનાથી ગોત્વ સામાન્યનો પણ બોધ થાય છે અને અનેકાંત વાદ
૨૬૦