________________
જ તમારા બધા લોકોનું સંયુક્ત કથન જ હાથીનું સાચું રૂપ છે. અલગ-અલગ કથન, બધું મિથ્યા છે. જો તમે લોકો એકબીજાના પક્ષથી સંમત થઈને ચાલો, એકબીજાનો અપલાપ ન કરો તો તમે બધા સાચા છો અને જો તમે એકબીજાનો તિરસ્કાર કરતા રહો, પોતાની વાતમાં મક્કમ રહો તો તમે બધા મિથ્યા (ખોટા) છો. અલગ-અલગ અંશ વસ્તુનું સમગ્ર સ્વરૂપ નથી. અપિતુ અંશનું સમન્વિત સ્વરૂપ જ વસ્તુ છે. અનેકાંત અને સ્યાદ્વાદની સાચી સમગ્ર અને સમન્વિત દૃષ્ટિ છે.
આ અનેકાંત દષ્ટિ અનેકાંતમાં એકતા અને એકતામાં અનેકતાને લઈને ચાલે છે. આ બધા વાદો અને વિવાદોને ઉકેલી કાઢે છે. આ બધા કદાગ્રહો અને હઠાગ્રહોને દૂર હટાવી દે છે. આ તે સંજીવની છે જે અભિમાન તથા કદાગ્રહની વ્યાધિઓને નષ્ટ કરી દે છે. આ તે અમૃત છે, જે એકાંતના વિષને નિમ્પ્રભાવી કરી દે છે. આ અનેકાંત દૃષ્ટિને માત્ર શાસ્ત્રો સુધી જ સીમિત ન રાખવું જોઈએ પણ જીવન વ્યવહારમાં પણ ઉતારવું જોઈએ. જો જીવન વ્યવહારમાં અનેકાંત દૃષ્ટિ આવી જાય છે તો સર્વત્ર શાંતિ જ શાંતિ પ્રતીત થવા લાગે છે, જો આ અનેકાંત દષ્ટિ વ્યવહારમાં નથી આવતી તો ત્યાં લેશ, વિવાદ, સંઘર્ષ અને અશાંતિ જ છવાયેલી રહે છે. આચાર્ય સિદ્ધસેને સાચું જ કહ્યું છે -
जेण विणा भोगस्स ववहारो सव्वहा ण विज्जए । तस्स भुवणेकगुरूणों णमोऽणेगंत वायस्स ॥
- સન્મતિ, ૩/૬૮ પદાર્થમાં સતુ-અસત્-નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ, એક-અનેક, ભેદ-અભેદ વગેરે અનંત ગુણ રહેલા છે. પ્રત્યેક પદાર્થ સત્ પણ છે અને અસત્ પણ. તે કથંચિત્ સત્ છે, કથંચિત્ અસત્ છે. એને સર્વથા સ કે અસતું નથી કહી શકાતું.
સત્વાસત્વ વિશ્વના પ્રત્યેક પદાર્થ સ્વરૂપથી સત્ છે અને સાથે જ એમાં પરસ્વરૂપનું અસત્વ જ રહેલું છે. જેમ કે ઘટ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ છે. (અસ્તિત્વ ધર્મવાળો છે, પરંતુ તે પટ રૂપ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્ છે. અર્થાત્ એમાં પટનું નાસ્તિત્વ રૂપ ધર્મ રહેલો છે. જો એવું ન માનવામાં આવે તો એક જ વસ્તુ વિશ્વરૂપ થઈ જશે. જે વસ્તુમાં જે ધર્મનો અભાવ નથી હોતો તે વસ્તુ તરૂપ હોય છે. જો ઘટમાં પટનો અભાવ ન માનવામાં આવે તો ઘટ પટ રૂપ થઈ જશે. માટે કહેવાય છે -
___ 'सर्वमस्ति स्वरूपेण पररूपेण नास्ति च' અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વરૂપ ચતુષ્ટયથી સતું હોય છે અને પરરૂપ ચતુષ્ટયથી અસતુ. જો સ્વરૂપ ચતુટ્યથી જેમ પરરૂપ ચતુષ્ટયથી પણ સત્ માનવામાં આવે તો સ્વ અને પરમાં કોઈ ભેદ ન રહીને બધાને સર્વાત્મકતા પ્રાપ્ત થઈ જશે. જો પરરૂપની જેમ સ્વરૂપથી પણ તે અસતુ હોય તો અભાવાત્મકતાનો પ્રસંગ પ્રાપ્ત થશે. માટે લોક વ્યવસ્થા માટે પ્રત્યેક Kઅનેકાંત વાદ છે
એ૨૫)