________________
एगिंदियाणं भंते ! कइविहा सण्णा पण्णत्ता ? गोयमा ! दसविहा-तंजहाआहार सण्णा, भय सण्णा, मेहुणसण्णा परिग्गह-सण्णा, कोह सण्णा, माण सण्णा, मायासण्णा, लोहसण्णा, ओहसण्णा, लोग सण्णा ।
- પન્નાવણા ૮મો સંજ્ઞાપદ જ્યારે બધા જીવોમાં આ દસ સંજ્ઞાઓ જોવા મળે છે, તો સંજ્ઞી-અસંશનો વિભાગ કેવી રીતે સંગત થઈ શકે છે ?
ઉપર્યુક્ત પ્રશ્નનું સમાધાન એ છે કે યદ્યપિ એકેન્દ્રિય વગેરે જીવોમાં ઉક્ત દસ પ્રકારની સંજ્ઞાઓ જોવા મળે છે, પરંતુ એ બહુ જ અલ્પ માત્રામાં હોય છે તથા મોહાદિજન્ય હોવાથી વિશિષ્ટ પણ નથી હોતી - શોભા રૂપ નથી હોતી, માટે સંજ્ઞાના રૂપમાં એમને અહીં નથી ગણવામાં આવતું. જેમ કોઈ વ્યક્તિની પાસે બે-ચાર-દસ પૈસા હોય, તો એ એટલા માત્રથી ધનવાન નથી કહી શકાતા. એમ જ એ સંજ્ઞાઓ ઓઘરૂપ હોવાથી અતિ સ્વલ્પ માત્રામાં હોય છે, તેથી એના હોવા છતાંય એ સંજ્ઞા નથી માનવામાં આવતી. જેમ કોઈ કુરૂપ વ્યક્તિ આકૃતિમાત્રના કારણે રૂપવાન નથી કહી શકાતી એમ જ એ સંજ્ઞાઓ શોભન નથી હોતી, કારણ કે ગાઢ મોહાદિજન્ય હોય છે, માટે આ સંજ્ઞાઓની ગણના સંશી-અસંશી વિભાગમાં નથી કરવામાં આવી. આ વિભાગના માટે એ સંજ્ઞાની ગણના કરવામાં આવી છે જે મહતી છે, વિશિષ્ટ છે, શોભન છે એ સંજ્ઞા છે – મનોજ્ઞાન રૂપ-સંજ્ઞા છે. આ મનોજ્ઞાન રૂપ-સંજ્ઞા જે જીવોમાં જોવા મળે છે એ જીવ-સંજ્ઞી કહેવાય છે. જે જીવોમાં આ મનોજ્ઞાન-રૂપ વિશિષ્ટ સંજ્ઞા નથી હોતી, એ અસંજ્ઞી માનવામાં આવે છે. માટે એકેન્દ્રિય વગેરે જીવને સંજ્ઞી નથી કહેવાતો. જે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા મનોજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી મનોલબ્ધિ સંપન્ન થઈને મનોયોગ્ય અનંત સ્કંધોનું ગ્રહણ કરી એમને મન-રૂપમાં પરિણત કરી ચિંતન કરે છે, એ જ સંજ્ઞી-જીવ માનવામાં આવે છે. એવા સંશી-જીવ ગર્ભજ, તિર્યચ, મનુષ્ય, દેવ અને નારક થાય છે.
જે રીતે વિશુદ્ધ ચક્ષુવાળી વ્યક્તિ પ્રકાશના સહયોગથી વસ્તુના રૂપને સાફ-સાફ જુએ છે, એ જ રીતે મનોલબ્ધિ સંપન્ન સંજ્ઞ-જીવ મન અને પાંચેય ઇન્દ્રિયોના વિષયોને સાફસાફ ગ્રહણ કરે છે, એને ત્રિકાળ વિષયક છ પ્રકારના ઉપયોગ હોય છે.
જેમ મંદ જ્યોતિ આંખવાળી વ્યક્તિ મંદ-મંદ પ્રકાશમાં અસ્પષ્ટ રૂપમાં જુએ છે. એ જ રીતે સંપૂર્ઝન પંચેન્દ્રિય સ્વલ્પ-મનોવિજ્ઞાનના ક્ષયોપશમથી અતિ અસ્પષ્ટ રૂપમાં શબ્દ વગેરે વિષયોને ગ્રહણ કરે છે.
જેમ મૂચ્છિત વ્યક્તિને અત્યંત અવ્યક્ત જ્ઞાન હોય છે, એમ જ નિવિડ જ્ઞાનાવરણના ઉદયથી એકેન્દ્રિયોને અત્યંત અવ્યકત જ્ઞાન હોય છે. એકેન્દ્રિયોની અપેક્ષા અધિક વિકસિત જ્ઞાન કીન્દ્રિયોને અને એનાથી શુદ્ધતરજ્ઞાન ત્રીન્દ્રિય વગેરે યાવતુ સંપૂર્ઝન પંચેન્દ્રિય જીવોને હોય છે. એનાથી સ્પષ્ટતમ્ જ્ઞાન સંજ્ઞી-જીવોને હોય છે. શ્રુતજ્ઞાનના ભેદ છે
૨૦૩)