________________
શ્રુત-ગ્રહણની વિધિ શ્રુતજ્ઞાન અનેક અતિશયોનું નિધાન છે, પરંતુ એ પ્રાયઃ પરાધીન છે. ગુરુની કૃપાથી એ અધિગત (પ્રાપ્ત) થાય છે. શ્રુત નિધાનનું અધિગત કરવાની એક વિશિષ્ટ વિધિ છે. શિષ્યોને એ વિધિનું અનુસરણ કરી શ્રુત-નિધાનને પ્રાપ્ત કરવામાં યત્નશીલ બનવું જોઈએ.
શાસ્ત્રકારોએ વિનયજનોના ઉપકારાર્થે ગુરુજનોથી શ્રુત લાભ પ્રાપ્ત કરવા માટે ગુરુજનોની આરાધનાને મૂળભૂત ઉપાય બતાવ્યો છે. ગુરુની આરાધના માટે શાસ્ત્રકારોએ આઠ ગુણોનું પ્રતિપાદન કર્યું છે. તે આઠ ગુણ આ પ્રકાર છે -
सुस्सूसइ पडिपुच्छइ सुणेइ गिण्हइ य ईहए या वि ।
ततो अपोहए वा धारेइ करेइ वा सम्मं ॥ (૧) વિનયયુક્ત શિષ્ય ગુરુમુખથી શાસ્ત્રને સાંભળવાની ઇચ્છા રાખે છે. (૨) પુનઃ પુનઃ પૂછે છે અર્થાત્ અધીત શ્રુતને નિઃશંકિત કરે છે. (૩) અધીત શ્રુતના અર્થને સાંભળે છે. (૪) સાંભળીને અવગ્રહથી ગ્રહણ કરે છે. (૫) ગ્રહણ કરીને ઈહા દ્વારા પર્યાલોચન કરે છે કે આ કેવું હોવું જોઈએ. (૬) એના પછી ગુરુએ એવું કહ્યું છે, આ વાતનો નિશ્ચય કરે છે. (૭) અર્થને નિશ્ચિત કર્યા પછી એને હંમેશાં ચિત્તમાં ધારણ કરે છે. (૮) તદનંતર ગુરુના આદેશાનુસાર અનુષ્ઠાન કરે છે.
ઉક્ત રીતથી ગુરુનો વિનય કરતો શિષ્ય બુદ્ધિગુણ તારા ગુરુજનથી શ્રુત-નિધાનને પ્રાપ્ત કરે છે.
શ્રવણવિધિ શિષ્ય ગુરુમુખથી નીકળેલી શ્રતશિક્ષાને કઈ રીતે સાંભળવી જોઈએ, એને પણ શાસ્ત્રકારોએ સ્પષ્ટ કરી દીધી છે. તેઓ કહે છે :
સર્વપ્રથમ મન-વચન-કાયાને સંયત કરીને મૌન ભાવથી શ્રવણ કરો. બીજી વારમાં હુંકાર દો. ત્રીજી વારમાં તથ્ય' કહો અર્થાત્ જેવું તમે કહો છો એવું જ છે, અન્યથા (બીજું) નહિ. ચોથી વારમાં સૂત્રના પૂર્વાપર સંબંધને થોડો સમજીને પ્રશ્ન પૂછવો જોઈએ કે - “ભંતે ! આ કેવી રીતે ?” પાંચમી વારમા પ્રમાણ-જિજ્ઞાસા કરો. છઠ્ઠી વારમાં વારંવાર વિશેષ રૂપમાં પારાયણ કરો. સાતમી વારમાં શ્રવણની પરિપૂર્ણતા પ્રાપ્ત કરો અર્થાતુ જેમ ગુરુએ કહ્યું છે એમ જ સ્વયં પણ બોલો. (૨૧૦) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો)