________________
બધી બાજુથી સંક્ષિપ્ત કરી અંગુલ(આંગળીના)ના અસંખ્યાતમા ભાગ પ્રમાણપ્રતરની રચના કરે છે. બીજા સમયમાં એ પ્રતરને બંને તરફથી સંકુચિત કરી મત્સ્ય શરીરની જાડાઈના અનુરૂપ સૂચી રૂપમાં કરી નાખે છે અને ત્રીજા સમયમાં એ સૂચીને પણ સંક્ષિપ્ત કરી અંગુલના અસંખ્યાતામો ભાગ-પ્રમાણ અવગાહનાવાળો થઈને એ સૂક્ષ્મપનકજીવ(વનસ્પતિ વિશેષ)ના રૂપમાં ત્યાં ઉત્પન્ન થાય છે.
આ ઉત્પત્તિના સમયથી લઈને ત્રીજા સમયમાં એનું જે દેહ-માન (અવગાહના) થાય છે, એટલું જ ક્ષેત્ર જઘન્યથી અવધિજ્ઞાનનો વિષય હોય છે અર્થાત્ એટલા જ ક્ષેત્રમાં રહેલાં દ્રવ્યોને એ વિષય કરે છે - ક્ષેત્રને નહિ... ક્ષેત્ર તો અમૂર્ત તથા સૂક્ષ્મ હોવાથી અવધિજ્ઞાનનો વિષય નથી હોતો. ઉત્પત્તિનો પ્રથમ અને બીજો સમય સૂક્ષ્મ હોવાથી તથા ચોથા સમય સ્થૂળ હોવાથી તૃતીય સમયનું જ ગ્રહણ કર્યું છે.
ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર
અવધિજ્ઞાનના ઉત્કૃષ્ટ ક્ષેત્રને સમજાવતા ‘ભાષ્ય’માં કહ્યું છે
सव्व बहुअगणि जीवा, निरंतरं जत्तियं भरिज्जंसु । खेत्तं सव्व दिसागं परमोही खेत्त निट्ठिो ॥
-
વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૫૯૮
સર્વ બહુ અગ્નિકાયના જીવ, અસંખ્ય આકાશ-પ્રદેશો પર એક-એક જીવને સ્થાપિત કરવાથી જેટલા આકાશ ક્ષેત્રને ભરી શકે છે, એટલા ક્ષેત્ર પરમાવધિનો ઉત્કૃષ્ટ વિષય હોય છે. વિશેષ સ્પષ્ટીકરણ કરતા બતાવ્યું છે કે
-
अव्वाघाए सव्वासु कम्मभूमीसु ज तदारंभा । सव्व बहवो मणुस्सा होंतजियजिणिदकालम्मि ॥
- વિશેષાવશ્યક. ભાષ્ય, ગાથા-૫૯૯
મહાવૃષ્ટિ વગેરે વ્યાઘાતના અભાવમાં પાંચ ભરત, પાંચ ઐરાવત (હાથી) અને પાંચ વિદેહ રૂપ પંદર કર્મભૂમિઓમાં સર્વ બહુ-સર્વાધિક બાદર અગ્નિકાયના જીવ ઉત્પન્ન થાય છે. એવી સ્થિતિ અવસર્પિણી કાળમાં દ્વિતીય તીર્થંકર શ્રી અજિતનાથના શાસનકાળમાં થઈ છે. કારણ કે તથાવિધ સ્વભાવના કારણે એ સમયમાં બાદર અગ્નિકાયના વિશેષ આરંભ (હિંસા) કરનાર ગર્ભજ મનુષ્ય અન્ય અતીત-અનાગત કાળની અપેક્ષા પ્રચુરપ્રમાણમાં જોવા મળે છે. એ પ્રચુર મનુષ્ય અગ્નિને સળગાવવા, એને હવા દ્વારા પેટાવવા વગેરે અગ્નિ સંબંધી આરંભ વિશેષતઃ કરે છે. આ પણ લોક-સ્થિતિનો સ્વભાવ છે કે એ જ સમયમાં બાદર-અનિકાયના જીવ વધુ પ્રમાણમાં હોય છે, જ્યારે સૂક્ષ્મ-અનિકાયના જીવ ઉત્કૃષ્ટ પદમાં પ્રાપ્ત થાય છે. અનંત-અનંત અવસર્પિણીઓમાં એ જ દ્વિતીય તીર્થંકરનો અવધિજ્ઞાન : ભેદ, સ્વરૂપ તથા વિષય
૨૧૦