________________
કાળ (સમય) એવો હોય છે, જ્યારે સૂક્ષ્મ અગ્નિના જીવ ઉત્કૃષ્ટ પદમાં પ્રાપ્ત થાય છે. તેથી એ સમયના બધા સૂમ અગ્નિકાયના જીવ તથા બધા બાદર અગ્નિકાયના જીવોને મેળવવાથી સર્વ બહુ અગ્નિ જીવોનો પરિમાણ થાય છે.
આ સર્વ - બહુ - અગ્નિ જીવોમાંથી પ્રત્યેકને આકાશના અસંખ્યાત પ્રદેશો પર સ્થાપિત કરવાથી જેટલા આકાશ ખંડને ભરી શકે છે, એટલું ક્ષેત્ર અવધિજ્ઞાનના ઉત્કૃષ્ટ વિષય પ્રરૂપિત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્ર અલોકમાં લોક-પ્રમાણ અસંખ્ય આકાશ ખંડ પ્રમાણ હોય છે. આ અવધિજ્ઞાનનો ઉત્કૃષ્ટ ક્ષેત્ર સંબંધી વિષય છે.
શંકા કરી શકાય છે કે અલોકમાં કોઈ રૂપી દ્રવ્ય છે જ નહિ તો ત્યાં સુધી અવધિજ્ઞાનનો વિષય કેવી રીતે હોઈ શકે છે ?
સમાધાન એ છે કે આ કથન અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ શક્તિને બતાવે છે અર્થાતુ જો ત્યાં પણ કોઈ દષ્ટવ્ય પદાર્થ હોય તો એ એને પણ જોઈ શકે છે - જાણી શકે છે.
અહીં એક જિજ્ઞાસા ફરી પેદા થાય છે. લોક-પ્રમાણ અવધિજ્ઞાન થઈ ગયા પછી જ્યારે વિશેષ વિશુદ્ધિ વધે છે તો એ વૃદ્ધિનું શું ફળ હોય છે, કારણ કે લોકના બહાર દષ્ટાવ્ય પદાર્થ તો છે જ નહિ.
આ શંકાનું સમાધાન એ છે કે વિશુદ્ધિના કારણે લોકથી બહારના ક્ષેત્રમાં વધતા અવધિજ્ઞાન લોકસ્થ દ્રવ્યોને જ વધુમાં વધુ સૂક્ષ્મતાથી ગ્રહણ કરે છે. અહીં સુધી કે પરમાવધિ સર્વ સૂક્ષ્મ પરમાણુને પણ જોઈ શકે છે. આ એ વધતી જતી વિશુદ્ધિનું તાત્ત્વિક ફળ છે.
ઉપર પ્રતિપાદિત જઘન્ય અવધિ ક્ષેત્રથી લઈને ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્રના વચ્ચેનું જે ક્ષેત્ર છે એ જ અવધિજ્ઞાનના મધ્યમ ક્ષેત્ર સંબંધી વિષય છે.
કાળની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગ માત્રનાં રૂપી દ્રવ્યોને જાણે-દેખે છે અને ઉત્કૃષ્ટથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ અતીત અને અનાગત કાળનાં રૂપી દ્રવ્યોને જાણે-દેખે છે.
અવધિજ્ઞાનના કાળ અને ક્ષેત્રની પરસ્પર નિયત મર્યાદાઓ છે જેમ કે -
જે અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગને જ જાણે છે એ કાળથી આવલિકાના અસંખ્યય ભાગને જ જાણે-દેખે છે, ચાહે તે અતીત હોય કે અનાગત. જે અવધિજ્ઞાની અંગુલથી સંખ્યામાં ભાગ માત્રથી જુએ છે, એ કાળથી આવલિકાના સંખેય ભાગને જ જાણે. દેખે છે.
જે અવધિજ્ઞાની અંગુલ માત્ર ક્ષેત્રને જુએ છે, એ કાળથી થોડા ઓછા આવલિકાપ્રમાણ સમયવર્તી અતીત અનાગત દ્રવ્યોને જાણે છે.
જે અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલ પૃથકત્વ(બેથી લઈને નવ અંગુલ સુધી)ને જુએ છે એ કાળથી સંપૂર્ણ આવલિકાને જુએ છે. (૨૧૮) .
જે છે તે જ રીતે જિણધમો)