________________
કરે છે. આ અપેક્ષાથી જોવું કહેવાય છે. આને વિશેષ સ્પષ્ટ રીતે એમ કહી શકાય કે જે પ્રમાતાને મન:પર્યયજ્ઞાન થયું છે, એને જ મનઃપર્યયજ્ઞાનના અનંતર અચસુદર્શન ઉત્પન્ન થાય છે, એ અચક્ષુદર્શનથી એ મન:પર્યયજ્ઞાની એ ભાવોને જુએ છે.
શંકા અચક્ષુદર્શન મતિજ્ઞાનનો ભેદ હોવાથી પરોક્ષ કહેવાય છે અને મન:પર્યયજ્ઞાનને પ્રત્યક્ષ માનવામાં આવે છે તો ત્યાં અચક્ષુદર્શનની પ્રવૃત્તિ કેવી રીતે થઈ શકે છે ?
સમાધાન : જેમ અવધિજ્ઞાનીના ચક્ષુદર્શન અને અચસુદર્શન દ્વારા પરોક્ષ અર્થને જોવાથી એના પ્રત્યક્ષેત્રમાં કોઈ વિરોધ નથી આવતો, એમ જ અચસુદર્શન દ્વારા જોવાથી મન:પર્યયજ્ઞાનની પ્રત્યક્ષતામાં શું વિરોધ હોઈ શકે છે ?
તેથી મન:પર્યયજ્ઞાની સ્વજ્ઞાનથી મનોદ્રવ્ય-પર્યાયોને જાણે છે અને માનસ-અચક્ષુદર્શનથી જુએ છે.
(૨) કેટલાક આચાર્યોનો મત છે મન:પર્યયજ્ઞાની અવધિદર્શન દ્વારા જુએ છે, પરંતુ આ કથન અયુક્ત છે, કારણ કે મન:પર્યયજ્ઞાનીને અવધિજ્ઞાન થાય જ છે એવું અનિવાર્ય નથી. અવધિજ્ઞાન-અવધિદર્શન વગર પણ મન:પર્યયજ્ઞાન હોઈ તથઈ) શકે છે. એવી સ્થિતિમાં મન:પર્યયજ્ઞાની, અવધિદર્શનથી જુએ છે, એ કેવી રીતે થઈ શકે છે?
(૩) કોઈ આચાર્ય કહે છે કે - જેમ અવધિદર્શન થાય છે એમ જ મન:પર્યયદર્શન પણ થાય છે. એનાથી તે જુએ છે. આ કથન પણ સંગત પ્રતીત નથી થતું કારણ કે આગમમાં ક્યાંય પણ મન:પર્યયદર્શનનો ઉલ્લેખ નથી મળતો. માત્ર ચાર જ દર્શન કહ્યા છે. જેમ કે, પાઠ છે - “વિદેvi મંતે હંસ પUUત્તે ? જોયHI I aઉન્રિદે, તંવचक्खु दंसणे, उचक्खु दंसणे, ओहि दंसणे, केवल दंसणे ।'
પાંચમું મન:પર્યયદર્શન નથી કહેવામાં આવ્યું, તેથી એનાથી જોવાની સંગતિ કેવી રીતે થઈ શકે છે ?
(૪) કોઈ કહે છે કે જેમ વિભંગદર્શનને અવધિદર્શન કહેવામાં આવે છે, એમ જ મન:પર્યયદર્શનને પણ અવધિદર્શનમાં સમાવિષ્ટ માનવામાં આવે તો શું આપત્તિ છે? ત્યારે અવધિદર્શન દ્વારા મન:પર્યયજ્ઞાની જુએ છે, તે સંગત થઈ શકે છે.
ઉક્ત કથન પણ આગમ વિરુદ્ધ છે, કારણ કે ‘ભગવતી સૂત્ર'માં આશીવિષ ઉદ્દેશકમાં મન:પર્યયજ્ઞાનીના બે અને ત્રણ દર્શન બતાવવામાં આવ્યા છે. જે મતિ-શ્રુત-મન:પર્યયજ્ઞાની છે, એમનાં બે દર્શન માનવામાં આવ્યાં છે અને જે મતિ-શ્રુત-અવધિ-મન:પર્યયરૂપ ચાર જ્ઞાનવાળા છે, એમના ત્રણ દર્શન માનવામાં આવ્યા છે. જો મન:પર્યયજ્ઞાનીના અવધિદર્શન હોત તો મતિ-શ્રુત-મન:પર્યયવાળાના નિયમથી ત્રણ દર્શનોનું જ કથન હોત, બે દર્શનોનું નહિ, માટે ઉક્ત મત શાસ્ત્ર વિરુદ્ધ છે. (૨૨૪) છે જે
છે તે છે જિણધમો)