________________
પ્રામાણ્યવાદ
પ્રમાણના સંદર્ભમાં આ જ્ઞાતવ્ય છે કે પ્રમાણનું પ્રમાણત્વ શું છે? પ્રમેય પદાર્થ જેવો છે એને એમ જ જાણવું પ્રમાણનું પ્રમાણત્વ છે. આને પ્રામાણ્ય કહેવાય છે. વાદિદેવ સૂરીએ “પ્રયા વ્યાખવારિત્વ પ્રામાયમ” કહ્યું છે. પ્રમાણ દ્વારા - પ્રતિમાત વિષયનો અવ્યભિચારી - નિર્દોષ હોવું પ્રામાણ્ય છે. એનાથી વિપરીત પ્રમેય પદાર્થને અન્યથા રૂપમાં જાણવો અપ્રામાણ્ય છે. પ્રમાણત્વ અને અપ્રમાણત્વનો આ ભેદ બાહ્ય પદાર્થની અપેક્ષાથી સમજવો જોઈએ. સ્વરૂપની અપેક્ષાએ બધાં જ્ઞાન પ્રમાણ રૂપ હોય છે, પરંતુ પ્રમાણમાં પ્રમાણત્વ કે અપ્રમાણત્વ બાહ્ય વસ્તુની અપેક્ષાથી જ આવે છે. પ્રમાણના પ્રમાણત્વનો નિશ્ચય ક્યારેક સ્વતઃ હોય છે અને ક્યારેક પરતઃ હોય છે. અભ્યાસ દશામાં સ્વતઃ અને અનભ્યાસદશામાં પરતઃ હોય છે. વાદિદેવ સૂરીએ કહ્યું છે - "तदुभयमुत्पत्तौ परत एव ज्ञप्तौ तु स्वतः परतश्च"
- પ્રમાણનાં તત્તાલોક, અ-૧, સૂ. પ્રામાણ્ય અને અપ્રામાણ્યની ઉત્પત્તિ બાહ્ય પદાર્થના ગુણ-દોષથી થાય છે અને એમનો નિશ્ચય ક્યારેક સ્વતઃ અને ક્યારેક પરતઃ થાય છે. અભ્યાસ દશામાં કરતલ વગેરે જ્ઞાનવતુ. સ્વતઃ નિશ્ચય થાય છે અને અનભ્યાસ દશામાં સંવાદી-વિસંવાદી કારણો દ્વારા પરતઃ થાય છે.
આ વિશે દાર્શનિકોમાં વિચારભેદ અને મતભેદ જોવા મળે છે. મીમાંસક પ્રામાણ્યની ઉત્પત્તિ જ્ઞપ્તિ સ્વતઃ અને અપ્રમાયને પરતઃ માને છે. ન્યાયદર્શનમાં પ્રામાણ્ય-અપ્રામાણ્ય બંનેને પરતઃ જ માનવામાં આવે છે. સાંખ્યદર્શનમાં પ્રામાણ્ય-અપ્રામાણ્ય બંને સ્વતઃ જ માનવામાં આવ્યા છે.
બૌદ્ધદર્શનમાં પ્રામાણ્ય-અપ્રામાણ્ય બંનેની અવસ્થા વિશેષમાં સ્વતઃ અને અવસ્થા વિશેષમાં પરતઃ માનવામાં આવ્યા છે. આ રીતે આ વિષયને લઈને દાર્શનિકોમાં વિચારભેદ ચાલતા આવ્યા છે.
જૈનદર્શન અનુસાર પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંનેની ઉત્પત્તિ પરતઃ અને એમનો નિશ્ચય અભ્યાસ દશામાં સ્વતઃ અને અનભ્યાસ દશામાં પરતઃ હોય છે.
પ્રમાણની સંખ્યા જૈનદર્શનમાં પ્રમાણોની સંખ્યાના વિષયમાં ત્રણ મત છે. ક્યાંક ચાર પ્રમાણ સ્વીકારવામાં આવ્યા છે, ક્યાંક ત્રણ માનવામાં આવ્યા અને ક્યાંક બે પ્રમાણોનું કથન છે.
અનુયોગદ્વાર સૂત્ર'માં ચાર પ્રમાણોનો ઉલ્લેખ છે - પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન. આચાર્ય સિદ્ધસેન દિવાકર પ્રણીત “ન્યાયાવતાર'માં ત્રણ પ્રમાણ માનવામાં આવ્યાં છે - પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. આચાર્ય ઉમાસ્વાતિ કૃતિ “તત્ત્વાર્થ સૂત્રમાં બે પ્રમાણ કહ્યા છે - ૧ પ્રત્યક્ષ અને ૨ પરોક્ષ. અધિકાંશ રૂપમાં જૈનદર્શનમાં પ્રમાણના આ બે ભેદ જ વિશેષ રૂપથી પ્રચલિત છે. ઉક્ત બે ભેદોમાં પ્રમાણના બધા ભેદ સમાવિષ્ટ થઈ જાય (૨૪૦)))))))))) ))) { જિણધમો)