________________
પણ સાધ્યથી જે અનુકૂળ છે તે સાધન અવશ્ય છે. એને એનાથી ઊંચા ઊઠીને પરમ સ્વાવલંબી સ્વરૂપ સાધ્યને પ્રાપ્ત કરવું છે. આ રીતે નિશ્ચયનયની દૃષ્ટિ સાધ્યને સુસ્પષ્ટ કરવા માટે છે. જ્યારે એ સાધ્યને પ્રાપ્ત કરવા માટે વ્યવહાર-દષ્ટિનું અવલંબન આવશ્યક છે, માટે કહેવાયું છે કે - “સર્વનયસમૂહલગ્બોદિ નોવા સંવ્યવહાર:”
- - - સર્વાર્થસિદ્ધિ, ૧/૩૩ અર્થાતુ વ્યવહાર સર્વનય-સાધ્ય છે.
સત્ય અનંત પાસાવાળા છે. એને કોઈ એક પાસાથી નથી સમજી શકાતો. એકાંગી દૃષ્ટિ વસ્તુને સાચા રૂપમાં જોવામાં અસમર્થ છે. માટે જૈનદર્શનના નયોનું વિવેચન કર્યું છે. જૈનદર્શનના નયવાદને ઠીક રીતે સમજી લેવાથી સમસ્ત વિવાદોનું સમાધાન થઈ જાય છે. નયવાદની આ ઉપયોગિતા છે. અનાગ્રહ જ અનેકાંત છે અને એની આધારશિલા છે નયવાદ.
30
નિક્ષેપોનું સ્વરૂપ
પદાર્થનું સ્વરૂપ પોતાનામાં પૂર્ણ, મૌલિક અને અખંડ છે પરંતુ એને વ્યવસ્થિત સમજવા માટે ધર્મો અને ગુણોનું વિશ્લેષણ કરવું આવશ્યક છે. એનાં વિભિન્ન પાસાંઓને બુદ્ધિ દ્વારા અલગ-અલગ કરીને અંશ-અંશના રૂપમાં એને સમજવાનું હોય છે.એ ય પદાર્થને જે અંશ ભેદ કરવામાં આવે છે, એને નિક્ષેપ કહે છે. પ્રશ્ન થઈ શકે છે કે નય પણ વસ્તુના અંશને ગ્રહણ કરે છે, તો નય અને નિક્ષેપમાં શું અંતર છે? જવાબ એ છે કે નિક્ષેપ નયનો વિષય છે અને નય નિક્ષેપને વિષય કરનાર વિષયો છે. અર્થાત્ પદાર્થ-જ્ઞયનો અંશ નિક્ષેપ છે અને આ અંશને જાણનાર જ્ઞાન નય છે.
નિક્ષેપોનું પ્રયોજના જગતના વ્યવહાર પદાર્થને આશ્રિત હોય છે. પદાર્થ અનંત છે. બધા પદાર્થોનો વ્યવહાર એક સાથે નથી હોતો. પ્રયોજન અનુસાર કોઈ અમુક પદાર્થનો જ વ્યવહાર હોય છે. જે ઉપયોગી પદાર્થનું જ્ઞાન કરવું અપેક્ષિત છે, એનું જ્ઞાન શબ્દના આધારથી જ કરવામાં આવે છે. કયા શબ્દનો શું અર્થ છે, અહીં કયા અર્થમાં પ્રયુક્ત થયો છે ? આ પ્રશ્નનું સમાધાન નિક્ષેપ-સિદ્ધાંત છે.
શબ્દ અને અર્થ પરસ્પર સાપેક્ષ હોય છે. શબ્દને અર્થની અપેક્ષા રહે છે અને અર્થને શબ્દની અપેક્ષા. શબ્દ અને અર્થ સ્વતંત્ર હોવા છતાંય બંનેમાં વાચ્ય-વાચક ભાવ સંબંધ હોય છે. શબ્દ વાચક છે અને અર્થ એનો વાચ્ય. આ દૃષ્ટિએ નિક્ષેપનો સિદ્ધાંત એક એ સિદ્ધાંત છે જેનાથી શબ્દનો અર્થ સમજવાની કલાનું પરિજ્ઞાન થાય છે. નિક્ષેપ' શબ્દનો (૨૬૦) ))) ))O K જિણધો]