________________
ઋજુમતિ અને વિપુલમતિ - બંને જ મન:પર્યાયજ્ઞાન પટું ક્ષયોપશમજન્ય હોવાથી વિશેષાગ્રાહી છે. વિશેષગ્રાહી હોવાના કારણે જ મન:પર્યાય દર્શન નથી માનવામાં આવ્યા. દર્શન સામાન્યને ગ્રહણ કરે છે અને મન:પર્યાયજ્ઞાનમાં સામાન્ય ગ્રહણ નથી થતું. ઋજુમતિમાં જે સામાન્ય રૂપથી જાણવું કહ્યું છે, એ સામાન્ય ધર્મ નથી, છતાં વિપુલમતિ જેટલા વિશેષોને જાણે છે, એનાથી ઓછા વિશેષોને ઋજુમતિ જાણે છે, એનો એટલો જ અભિપ્રાય છે.
જુમતિ અને વિપુલમતિના ભેદ ઋજુમતિ અને વિપુલમતિમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાથી જે વિશેષતા છે, એ આ પ્રકાર છે :
(૧) દ્રવ્યથી ઋજુમતિ મનોવર્ગણાના અનંત-અનંત પ્રદેશ સ્કંધોને જાણે છે અને વિપુલમતિ ઋજુમતિની અપેક્ષા અધિક પ્રદેશોવાળા સ્કંધને વધુ સ્પષ્ટતાથી જાણે છે.
(૨) ક્ષેત્રથી ઋજુમતિ જઘન્યતઃ અંગુલના અસંખ્યાતમા ભાગ-પ્રમાણે ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભા પૃથ્વીના નીચે ક્ષુલ્લક પ્રત્તર સુધીને, ઉપર જ્યોષિત ચક્રના ઉપરિતલ પર્યત અને ત્રાંસા અઢીદ્વીપ પર્યતમાં અઢીઅંગુલ ઓછા સંશી જીવોના મનોગત ભાવોને જાણે છે. વિપુલમતિ, ઋજુમતિની અપેક્ષા અઢીદ્વિીપની સીમામાં જ અઢી અંગુલ વધુ અર્થાત્ પરિપૂર્ણ અઢીદ્વીપના પર્યત ત્રાંસી દિશામાં સ્થિત સંજ્ઞીજીવોના મનોગત ભાવોને જાણે છે.
(૩) કાળથી ઋજુમતિ જઘન્યતઃ પલ્યોપમના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ભૂત તથા ભવિષ્યના મનોગત ભાવોને જાણે છે. ઋજુમતિની અપેક્ષા કંઈક વધારે કાળના મનથી ચિંતિત કે જેમનું ચિંતન હશે, એવા ભાવોને વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન અધિક ફુટ રૂપમાં જાણે છે.
(૪) ભાવથી ઋજુમતિ મનોગત ભાવોની અસંખ્યાત પર્યાયોને જાણે છે, પરંતુ બધા ભાવોના અનંતમા ભાગને જાણે છે. વિપુલમતિ, ઋજુમતિની અપેક્ષા કંઈક અધિક પર્યાયોને વિશુદ્ધત્તર રૂપમાં ફુટતઃ જાણે છે.
ઉપર્યુક્ત વિશેષતાઓને સાથે જ ઋજુમતિ અને વિપુલમતિમાં કેટલીક અન્ય વિશેષતાઓ પણ છે :
(૧) ઋજુમતિની અપેક્ષા વિપુલમતિ મન:પર્યયજ્ઞાન સૂક્ષ્મતર અને અધિક વિશેષોને ફુટ રૂપથી જાણે છે. આ વિશુદ્ધિકૃત ભેદ છે.
(૨) ઋજુમતિ ઉત્પન્ન થયા પછી કદાચ જતી પણ રહે, પરંતુ વિપુલમતિ ઉત્પન્ન થયા પછી નથી જતી, અર્થાત્ ઋજુમતિ પ્રતિપાતી પણ હોઈ શકે છે, જ્યારે વિપુલમતિ અપ્રતિપાતી પણ હોય છે. કેવળજ્ઞાન થવાથી તે એમાં સમાવિષ્ટ થઈ જાય છે ત્યારે એની સત્તા અકિંચિત્કર હોય છે. આ અપ્રતિપાત કૃત વિશેષતા છે, માટે “તત્ત્વાર્થ સૂત્ર'માં કહેવાય છે -
વિશુદ્ધ પ્રતિપાતા તળશેષ: - તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૨૪ (૨૨૨) :
જ જિણધમો)