________________
ઉપરના સૂત્રમાં દ્રવ્ય, કાળ (સમય) અને ભાવની અપેક્ષાથી કેવળજ્ઞાનનો વિષય બતાવવામાં આવ્યો છે. કેવળજ્ઞાની દ્રવ્યથી સમસ્ત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોને સાક્ષાત્ જાણેદેખે છે. ક્ષેત્રથી કેવળજ્ઞાની લોક અને અલોક સંપૂર્ણ ક્ષેત્રને જાણે-દેખે છે. અહીં સર્વ દ્રવ્યના ગ્રહણથી આકાશાસ્તિકાયનો સમાવેશ પણ દ્રવ્યમાં થઈ શકે છે, છતાં એ આકાશ, ક્ષેત્રના રૂપમાં રૂઢ હોવાથી અલગ રૂપથી પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. કાળની અપેક્ષાએ કેવળજ્ઞાની સર્વકાળ-અતીત-અનાગત વર્તમાનને જાણે-દેખે છે. ભાવથી કેવળજ્ઞાની બધા જીવઅજીવની ગતિ, કષાય, અગુરુલઘુ વગેરે સમસ્ત પર્યાયોને જાણે-દેખે છે.
સર્વજ્ઞ ભગવાનના જોય વિષયોને સંકલિત કરતા અન્ય ગ્રંથોમાં આ રીતે કહેવામાં આવ્યું છે : * સર્વજ્ઞ ભગવાન દેવ વગેરે લોકમાં જીવની ગતિ-આગતિ અને ચ્યવન-ઉત્પાદને જાણે છે. * સર્વજ્ઞ ભગવાન પુગલોના આગમન, ગમન, ચ્યવન અને ઉત્પાદને જાણે છે. * સર્વશ ભગવાન ધર્મ-અધર્મ, કાળ અને આકાશના વન અને ઉત્પાદને જાણે છે. * સર્વજ્ઞ ભગવાન બંધને જાણે છે. મોક્ષને જાણે છે. ઋષિ-સંપદાને જાણે છે. સ્થિતિ, મ્યુતિ
અને એમનાં કારણોને જાણે છે. ત્રિકાળ વિષયક બધા પ્રકારના સંયોગ કે સમીપતાના
બધા ભેદોને જાણે છે. * સર્વજ્ઞ ભગવાન છ દ્રવ્યોની શક્તિ રૂપ અનુભાગને તથા દ્વિસંયોગ વગેરે રૂપ મૃત્પિન્ડ
દંડ, ચક્ર વગેરેને ઘટોત્પાદન રૂપ અનુભાગને પણ જાણે છે. * સર્વજ્ઞ ભગવાન તર્ક, કલા, મન, માનસિક જ્ઞાન અને મનથી ચિંતિત પદાર્થોને પણ જાણે છે. * સર્વજ્ઞ ભગવાન ભક્ત, કૃત, પ્રતિસેવિત, આવિ કર્મ, રહ:કર્મ, બધા લાકે, બધા જીવ
અને બધા ભાવોને સમ્યક પ્રકારથી યુગપત જાણે છે. * સર્વ ભાવોની અંતર્ગત બધા જીવ, અજીવ, બધા શુભાશુભ કર્મ પ્રકૃતિઓ, પુણ્ય-પાપ, આસ્રવ-સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - આ બધાને કેવળી જાણે છે.
કેવળજ્ઞાનનું સ્વરૂપ શ્રી ભૂતબલિ આચાર્ય પ્રણીત મહાબંધ પ્રથમ ભાગના પ્રકૃતિ બંધાધિકારમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણિત છે :
“કેવળીભગવાન ત્રિકાળાવચ્છિન્ન લોક-અલોક સંબંધી સંપૂર્ણ ગુણ-પર્યાયોથી સમન્વિત અનંત દ્રવ્યોને જાણે છે. એવો કોઈ જોય નથી હોઈ શકતો જે કેવળી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય. જ્ઞાનના ધર્મmયને જાણે છે અને શેયનો ધર્મ છે જ્ઞાનનો વિષય હોવો. એમાં વિષય-વિષયી ભાવ સંબંધ છે, જ્યારે મતિ અને શ્રુતના દ્વારા પણ આ જીવ વર્તમાનના સાથે ભૂત અને ભવિષ્યની વાતોનું પરિજ્ઞાન કરે છે ત્યારે કેવળી ભગવાન દ્વારા અતીત-અનાગત, વર્તમાન બધા પદાર્થોનું જ્ઞાન કરવું યુક્તિ-યુક્ત જ છે. જો ક્રમપૂર્વક કેવળી ભગવાન અનંતાનંત પદાર્થોને જાણતો હોય તો સંપૂર્ણ પદાર્થોનો સાક્ષાત્કાર નથી થઈ શકતો. અનંતકાળ વ્યતીત થવાથી પણ પદાર્થોની અનંત ગણના અનંત જ રહેશે. દૂ કેવળજ્ઞાની છે ને
જર૨૦)