________________
શ્રુતજ્ઞાનના વીસ ભેદ બીજી વિવેક્ષાથી શ્રુતજ્ઞાનના વિસ ભેદ થાય છે. એમના નામ આ રીતે છે : (૧) પર્યાય-શ્રુત (૨) પર્યાયસમાસ-શ્રુત (૩) અક્ષર-શ્રુત (૪) અક્ષરસમાસ-શ્રુત (૫) પદ-શ્રુત
(૬) પદસમાસ-શ્રુત (૭) સંઘાત-શ્રુત
માસ-શ્રુત (૯) પ્રતિપત્તિ-શ્રુત (૧૦) પ્રતિપત્તિસમાસ-શ્રુત (૧૧) અનુયોગ-શ્રુત - (૧૨) અનુયોગસમાસ-શ્રુત (૧૩) પ્રાભૃતપ્રાભૃત-શ્રુત (૧૪) પ્રાભૃત-પ્રાકૃતસમાસ-શ્રુત (૧૫) પ્રાભૃત-શ્રુત (૧૬) પ્રાભૃતસમાસ-શ્રુત (૧૭) વસ્તુશ્રુત
(૧૮) વસ્તુમાસ-શ્રુત (૧૯) પૂર્વ-શ્રુત (૨૦) પૂર્વસમાસ-શ્રુત
ઉક્ત ભેદોમાં આવેલા “સમાસ' શબ્દનો અર્થ સમુદાય કે સંગ્રહ છે. (૧) ઉત્પત્તિના પ્રથમ સમયમાં લધ્ય-પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ જીવના થનાર કુશ્રુતના અંશથી
બીજા સમયમાં જ્ઞાનનો અંશ વધે છે એ પર્યાય-શ્રુત છે. (૨) ઉક્ત પર્યાય-કૃતના સમુદાયને પર્યાવસમાસ-શ્રુત કહે છે. (૩) અકારાદિ લધ્યક્ષરોમાંથી કોઈ એક અક્ષરના જ્ઞાનને અક્ષર-શ્રુત કહે છે. (૪) લધ્યક્ષરોના સમુદાયને અક્ષરસમાસ-શ્રુત કહે છે. (૫) અથવબોધક અક્ષરોના સમુદાયને પદ અને એના જ્ઞાનને પદ-શ્રુત કહે છે. (૬) પદોના સમુદાયનું જ્ઞાનપદસમાસ-શ્રુત કહે છે. (૭) ગતિ વગેરે ચૌદ માર્ગણાઓમાંથી કોઈ એક માર્ગણાના એક દેશના જ્ઞાનને સંઘાત
શ્રુત કહે છે. જેમ કે ગતિમાર્ગણાના દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક - આ ભેદોમાંથી
એકનું જ્ઞાન હોવું સંઘાત-શ્રુત છે. (૮) કોઈ એક માર્ગણાના અનેક અવયવોનું જ્ઞાન સંઘાતસમાસ-શ્રુત છે. (૯) ગતિ ઇન્દ્રિય વગેરે દ્વારોમાંથી કોઈ એક દ્વારના માધ્યમથી સમસ્ત સંસારના જીવોને
જાણવું પ્રતિપત્તિ-શ્રુત છે. (૧૦) ગતિ વગેરે બે-ચાર દ્વારોના માધ્યમથી જીવ વગેરેનું જ્ઞાન કરવું પ્રતિપત્તિ
સમાસ-શ્રુત છે. (૧૧) “સંતપ પવUTય રત્ર પvi ’ આ ગાથામાં કહેલા અનુયોગ દ્વારોમાંથી કોઈ
એક દ્વારા જીવ વગેરે પદાર્થોને જાણવો અનુયોગ-શ્રુત છે. (૧૨) એકથી વધુ બે-ત્રણ અનુયોગ દ્વારોનું જ્ઞાન અનુયોગ-સમાસ-શ્રુત છે. (૧૩) દૃષ્ટિવાદ અંગમાં પ્રાકૃત-પ્રાકૃત નામનો અધિકાર છે, એમાંથી કોઈ એકનું જ્ઞાન
પ્રાભૃત-પ્રાભૃત-કૃત છે.