________________
બીજો અર્થ છે “સદેશ પાઠ.” જે શ્રતમાં આદિ-મધ્ય-અવસાનમાં થોડું થોડું અંતર હોવા સાથે અધિકતમ સદેશ-પાઠ આવે છે, એ શ્રુત-ગમિક-શ્રુત છે. એવો શ્રુત દૃષ્ટિવાદ છે.
અગમિક-ભૂત ઃ જે શ્રુતમાં ગાથા, શ્લોક, વેષ્ટક વગેરે અસમાન પાઠ આવે છે એ અગમિક-શ્રુત છે. પ્રાયઃ કાલિક-શ્રુત-અગમિક-શ્રત છે.
અંગપ્રવિષ્ટ-હ્યુત : તીર્થકર ભાષિત તથા ગણધરો દ્વારા રચિત કૃત અંગ-પ્રવિષ્ટ શ્રત છે. તીર્થકર વસ્તુનો ભાવ પ્રતિપાદન કરે છે અને ગણધર એને સૂત્ર રૂપમાં ગુંફિત કરે છે. આચારાંગ વગેરે શ્રત અંગપ્રવિષ્ટ-શ્રુત છે. અત્યંત વ્યુત્પન્ન મતિવાળા ગણધરો દ્વારા પૂછવાથી તીર્થકર ભગવાન ૩પન્ને વા વિમે વા યુવે વો’ આ ત્રિપદીનું ઉચ્ચારણ કરે છે. આટલું સાંભળવા માત્રથી ગણધરોના સંપૂર્ણ શ્રતનો બોધ થઈ જાય છે અને તે એને દ્વાદશાંગી રૂપમાં ગુંફિત કરી લે છે. આ દ્વાદશાંગી અંગ પ્રવિષ્ટ-શ્રુત છે.
અંગ બાહ્ય શ્રત ઃ જે શ્રુત બહુશ્રુત સ્થવિરાતિ દ્વારા રચિત થાય છે એ અંગ-બાહ્યશ્રત છે યથા આવશ્યક વગેરે.
અંગ-પ્રવિષ્ટ અને અંગ-બાહ્યમાં અંતર અંગ-પ્રવિષ્ટ-શ્રુત ગણધર કૃત હોય છે, જ્યારે અંગ-બાહ્ય-શ્રુત સ્થવિરકૃત હોય છે.
અંગ-પ્રવિષ્ટ-શ્રુત ગણધરો દ્વારા પૂછવામાં આવેલા અને તીર્થકર ભગવાન દ્વારા અપાયેલા જવાબોથી નિષ્પન્ન થાય છે, જ્યારે અંગ બાહ્યમાં અપ્રશ્નપૂર્વક પ્રતિપાદન થાય છે. જેમ કે આવશ્યક આદિ (વગેરે)માં છે.
અંગ-પ્રવિષ્ટ-કૃત બધા તીર્થકરોના તીર્થ માટે દ્વાદશાંગ રૂપમાં નિયત છે, જ્યારે અંગબાહ્ય-શ્રુત અનિયત થાય છે.
શંકા ઃ આગમમાં કહેવાયું છે કે - “ગણધર પહેલાં પૂર્વોની રચના કરે છે અને એ જ કારણે તેઓ પૂર્વ કહેવાય છે.” એ પૂર્વેમાં સમસ્ત(વામય)નો સમાવેશ થઈ જાય છે, તો શેષ આચારાંગ વગેરે અંગોની તથા અંગ બાહ્ય શ્રુતની રચનાનું શું પ્રયોજન છે? દૃષ્ટિવાદ નામના બારમું અંગ જ પર્યાપ્ત છે જેમાં બધા પૂર્વો તથા સમસ્ત વાડ્મયનો સમાવેશ થઈ જાય છે.
સમાધાન ઃ જોકે દષ્ટિવાદમાં સમસ્ત વામનો સમાવેશ થઈ જાય છે, છતાં એ બહુ દુબોંધ છે. મંદમતિઓના અનુગ્રહ માટે દૃષ્ટિવાદથી સામગ્રી લઈને શેષ અંગોની તથા અંગ-બાહ્ય-શ્રુતની રચના કરવામાં આવી છે. સર્વ સાધારણ માટે દૃષ્ટિવાદનું અધ્યયન અનુજ્ઞાન નથી. સર્વસાધારણને આગમોનું જ્ઞાન કરાવવા માટે દષ્ટિવાદથી ઇતર અંગ-પ્રવિષ્ટ અને અંગ-બાહ્ય-શ્રુતની રચના કરવામાં આવી છે. દૂ શ્રુતજ્ઞાનના ભેદ
]