________________
વર્ણ છે, જે અભિધેય પદાર્થ છે. આ બધાની પિંડિત એકત્રિત જેટલી પર્યાયો છે, એટલી એક અક્ષરની પર્યાય જાણવી જોઈએ. એમાં પ્રત્યેક અક્ષરની સ્વપર્યાય અનંત છે, છતાં પણ પર્યાયની અપેક્ષા સ્તોક (ઓછા) છે. પ્રત્યેક અક્ષરની પરપર્યાયો સ્વપર્યાયોથી અનંતાનંતગુણી છે. જો આપણે અસત્ કલ્પનાનો સહારો લઈએ અને સર્વ દ્રવ્ય-પર્યાય રાશિને લાખ માની લઈએ તો પદાર્થ (અકારાદિ) હજાર પ્રાપ્ત થાય છે. એમાંથી એક-એક અક્ષરની અસ્તિત્વથી સંબદ્ધ સ્વપર્યાયો સો પ્રાપ્ત થાય છે. બાકી બધા નાસ્તિત્વથી સંબદ્ધ પરપર્યાયો છે.
અક્ષરની સ્વ-પરપર્યાય : અક્ષરમાં જે પર્યાયો અસ્તિત્વરૂપથી સંબદ્ધ છે, તે એની સ્વપર્યાય કહેવાય છે. જેમ કે અક્ષરની હ્રસ્વ, દીર્ઘ, કુત, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત્ સાનુનાસિક, નિરનુનાસિક વગેરે સ્થૂળ રૂપથી સ્વપર્યાયો છે. અક્ષરથી અતિરિક્ત (વધારે) ઘટ વગેરે પદાર્થની જે પર્યાયો અક્ષરમાં નાસ્તિત્વ રૂપથી સંબદ્ધ છે, તે એ અક્ષરની પરપર્યાયો માનવામાં આવે છે. પદાર્થમાં જેમ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ અસ્તિત્વ ધર્મ જોવા મળે છે, એમ જ પરદ્રવ્ય-ક્ષેત્રફળ ભાવનું નાસ્તિત્વ પણ જોવા મળે છે. જો એવું ન માનવામાં આવે તો એક જ પદાર્થના વિશ્વરૂપ બનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. તેથી પદાર્થમાં સ્વરૂપ-સત્તા સાથે પરપદાર્થની અસત્તા પણ રહેલી છે. જેમ સ્વરૂપ-સત્તા (અસ્તિત્વ) એનો પર્યાય છે, એમ જ પરપદાર્થનું નાસ્તિત્વરૂપ પર્યાય પણ એના પર્યાયો છે. એ પરપર્યાયો વસ્તુથી ભિન્ન હોવા છતાંય એના કહેવાય છે. એકદેશીય ઉદાહરણથી ધન દેવદત્તથી ભિન્ન હોવા છતાંય દેવદત્તના માટે ઉપયોગી હોવાથી દેવદત્તનું માનવામાં આવે છે. જે વસ્તુ જેના માટે ઉપયોગી હોય છે, એ ભિન્ન હોવા છતાંય એનું માનવામાં આવે છે. જેમ કે જ્ઞાન-દર્શન-ચારિત્ર પર્યાય યતિથી કથંચિત્ ભિન્ન હોવા છતાંય એના માટે ઉપયોગી હોવાથી એની પર્યાય માનવામાં આવે છે. આ રીતે બધા દ્રવ્યપર્યાય એક અક્ષરના જ્ઞાનમાં હેય-શેય-ઉપાદેય રૂપથી ઉપયોગી હોવાથી એક અક્ષરના પર્યાયો કહેવાય છે. આ જ અપેક્ષાને લઈને આગમમાં કહેવાયું છે કે -
'जे एगं जाणइ, से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणई' જે આત્મા એક અક્ષરને એની બધી સ્વ-પરપર્યાયોને જાણી લે છે એ બધાને જાણી લે છે, કારણ કે બધાને જાણ્યા વિના એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન થઈ જ શકતું નથી. જે વ્યક્તિ બધાને બધી દ્રવ્ય-પર્યાયોથી જાણી લે છે, એ જ એક વસ્તુને એના સમગ્ર રૂપમાં જાણી શકે છે. આ રીતે એક અક્ષરના સ્વ-પરપર્યાયો ક્રમશઃ અનંત અને અનંતાનંત કહેવાય છે. અક્ષર દ્વારા અભિલાષ્ય વસ્તુનું કથન થાય છે. માટે બધા અભિલાપ્ય પ્રજ્ઞાપનીય ભાવ એ અક્ષરના સ્વ-પર્યાય છે અને અનભિલાપ્ય ભાવ પરપર્યાય છે. પ્રજ્ઞાપનીય ભાવ સ્ટોક (અલ્પ) છે અને અપ્રજ્ઞાપનીય ભાવ પરપર્યાય હોવાથી સ્વપર્યાયથી અનંત ગુણ છે.
આ અક્ષરગ્રુત કેવળીઓને છોડીને બાકી બધા જીવોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપથી ત્રણ પ્રકારના માનવામાં આવ્યા છે. [ શ્રુતજ્ઞાનના ભેદ જ નજીક છે, જે જન ૨૦૧)