________________
લધ્યક્ષર : શબ્દ ગ્રહણ કર્યા પછી ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે શબ્દાર્થ પર્યાલોચન રૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એને લધ્યક્ષર કહે છે. જેમ કે “નંદીસૂત્ર'માં કહ્યું છે -
અવર નષ્ક્રિય નદ્ધિ-અવર સમુum - નંદીસૂત્ર-૩૯ અર્થાત્ અક્ષર-લબ્ધિવાળાને જે અક્ષરોની પ્રાપ્તિ થાય છે એ લબ્ધિઅક્ષર છે. જે શ્રત જ્ઞાનોપયોગ છે અને જે તદાવરણ કર્મ ક્ષયોપશમ છે - એ બંને જ લધ્યક્ષર છે.
આ ત્રણ પ્રકારના અક્ષરોમાંથી સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર તો દ્રવ્યશ્રુત છે, લધ્યક્ષર ભાવ-શ્રત છે. આ પહેલાં બતાવવામાં આવ્યું છે કે ભાવકૃતનું નિમિત્ત કારણ હોવાથી દ્રવ્યશ્રુતને જ્ઞાન માનવામાં આવ્યું છે.
અસંજ્ઞીઓમાં લધિ-અક્ષરનો સદ્ભાવ અહીં એ તર્ક થાય છે કે વર્ણ-વિજ્ઞાન રૂપ અક્ષરનું જ્ઞાન સંજ્ઞી-જીવોમાં હોઈ શકે છે, આ તો ઠીક છે, પરંતુ જે અસંજ્ઞી છે, જેમના મન નથી એમાં શબ્દાર્થ પર્યાલોચન રૂપ લબ્ધિ-અક્ષર કેવી રીતે સંભવ છે? જ્યારે આગમમાં એકેન્દ્રિય વગેરે અસંશ-જીવોમાં પણ લબ્ધિ-અક્ષર માનવામાં આવ્યા છે. “વિત્યા મ મન્નાઇ સુર્ય મન્ના' લબ્ધિઅક્ષર વગર શ્રુતજ્ઞાન રૂપ ઉપયોગ કેવી રીતે થઈ શકે છે? અસંજ્ઞીઓમાં લબ્ધિ-અક્ષરના સદ્ભાવને સિદ્ધ કરનારો તર્ક કયો છે ? આ તર્કપૂર્ણ જિજ્ઞાસાના જવાબમાં આ સમજવું જોઈએ કે જેમ એકેન્દ્રિય વગેરે જીવોમાં જીવત્વના કોઈ ખાસ સ્પષ્ટ લક્ષણ આપણે અર્વાગુદર્શીઓને ઉપલબ્ધ થતું નથી, છતાં આહાર વગેરેની અભિલાષા રૂપ ઓધ-સંજ્ઞાના સદ્ભાવથી એ એકેન્દ્રિય વગેરેમાં જીવત્વ માનવામાં આવે છે, એમ જ અસંશીઓમાં લધ્યક્ષર રૂપ અજ્ઞાન પણ માનવું જોઈએ. જો કે અક્ષરને પરોપદેશ જ માનવામાં આવે છે, પરંતુ એ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર માટે જ સમજવા જોઈએ. ક્ષયોપશમ નિમિત્ત લધ્યક્ષરના અસંજ્ઞીઓમાં પણ જોવા મળવું વિરુદ્ધ નથી.
અનેક સંજ્ઞીજીવોને પણ પરોપદેશના અભાવમાં અક્ષરજ્ઞાન નથી થતું. અનેક મુગ્ધ ભોળા લોકોને અક્ષરોનું - ભાષાનું જ્ઞાન નથી હોતું, છતાં એમાં લબ્ધિ-અક્ષર માનવામાં આવે છે. કારણ કે એમના સામે વર્ણનું ઉચ્ચારણ કરવાથી તે સામે જોવા લાગે છે વગેરે ચિહ્ન એમાં જોવા મળે છે. ગોવાળ લોકો પોતાની ગાયોના શબલા-બહુલા વગેરે નામ રાખી લે છે. જ્યારે ગોવાળ આ નામોથી એ ગાયોને સંબોધન કરે છે, તો એ ગાયો પોતાનું નામ સાંભળીને તદનુસાર પ્રવૃત્તિ-નિવૃત્તિ કરતી જોવા મળે છે. આ ગાયોમાં કોઈ પ્રકારના પરોપદેશ સંભવ નથી, છતાં એમાં લબ્ધિ-અક્ષર માનવામાં આવે છે. આ રીતે અસંજ્ઞીજીવોમાં પણ લબ્ધિ-અક્ષરનો સદ્ભાવ સમજવો જોઈએ.
અક્ષરના પચયિોનું પ્રમાણ પ્રત્યેક અકારાદિ અક્ષર સ્વ-પરપર્યાયના ભેદથી સર્વદ્રવ્ય-પર્યાય રાશિ પ્રમાણે છે અર્થાત્ સકળ લોકમાં જે પરમાણુ યણુકાદિ છે, એક આકાશ પ્રદેશ વગેરે દ્રવ્ય છે, જે બધા (૨૦૦)
2000). જિણધમો)