SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ લધ્યક્ષર : શબ્દ ગ્રહણ કર્યા પછી ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે શબ્દાર્થ પર્યાલોચન રૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એને લધ્યક્ષર કહે છે. જેમ કે “નંદીસૂત્ર'માં કહ્યું છે - અવર નષ્ક્રિય નદ્ધિ-અવર સમુum - નંદીસૂત્ર-૩૯ અર્થાત્ અક્ષર-લબ્ધિવાળાને જે અક્ષરોની પ્રાપ્તિ થાય છે એ લબ્ધિઅક્ષર છે. જે શ્રત જ્ઞાનોપયોગ છે અને જે તદાવરણ કર્મ ક્ષયોપશમ છે - એ બંને જ લધ્યક્ષર છે. આ ત્રણ પ્રકારના અક્ષરોમાંથી સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર તો દ્રવ્યશ્રુત છે, લધ્યક્ષર ભાવ-શ્રત છે. આ પહેલાં બતાવવામાં આવ્યું છે કે ભાવકૃતનું નિમિત્ત કારણ હોવાથી દ્રવ્યશ્રુતને જ્ઞાન માનવામાં આવ્યું છે. અસંજ્ઞીઓમાં લધિ-અક્ષરનો સદ્ભાવ અહીં એ તર્ક થાય છે કે વર્ણ-વિજ્ઞાન રૂપ અક્ષરનું જ્ઞાન સંજ્ઞી-જીવોમાં હોઈ શકે છે, આ તો ઠીક છે, પરંતુ જે અસંજ્ઞી છે, જેમના મન નથી એમાં શબ્દાર્થ પર્યાલોચન રૂપ લબ્ધિ-અક્ષર કેવી રીતે સંભવ છે? જ્યારે આગમમાં એકેન્દ્રિય વગેરે અસંશ-જીવોમાં પણ લબ્ધિ-અક્ષર માનવામાં આવ્યા છે. “વિત્યા મ મન્નાઇ સુર્ય મન્ના' લબ્ધિઅક્ષર વગર શ્રુતજ્ઞાન રૂપ ઉપયોગ કેવી રીતે થઈ શકે છે? અસંજ્ઞીઓમાં લબ્ધિ-અક્ષરના સદ્ભાવને સિદ્ધ કરનારો તર્ક કયો છે ? આ તર્કપૂર્ણ જિજ્ઞાસાના જવાબમાં આ સમજવું જોઈએ કે જેમ એકેન્દ્રિય વગેરે જીવોમાં જીવત્વના કોઈ ખાસ સ્પષ્ટ લક્ષણ આપણે અર્વાગુદર્શીઓને ઉપલબ્ધ થતું નથી, છતાં આહાર વગેરેની અભિલાષા રૂપ ઓધ-સંજ્ઞાના સદ્ભાવથી એ એકેન્દ્રિય વગેરેમાં જીવત્વ માનવામાં આવે છે, એમ જ અસંશીઓમાં લધ્યક્ષર રૂપ અજ્ઞાન પણ માનવું જોઈએ. જો કે અક્ષરને પરોપદેશ જ માનવામાં આવે છે, પરંતુ એ સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર માટે જ સમજવા જોઈએ. ક્ષયોપશમ નિમિત્ત લધ્યક્ષરના અસંજ્ઞીઓમાં પણ જોવા મળવું વિરુદ્ધ નથી. અનેક સંજ્ઞીજીવોને પણ પરોપદેશના અભાવમાં અક્ષરજ્ઞાન નથી થતું. અનેક મુગ્ધ ભોળા લોકોને અક્ષરોનું - ભાષાનું જ્ઞાન નથી હોતું, છતાં એમાં લબ્ધિ-અક્ષર માનવામાં આવે છે. કારણ કે એમના સામે વર્ણનું ઉચ્ચારણ કરવાથી તે સામે જોવા લાગે છે વગેરે ચિહ્ન એમાં જોવા મળે છે. ગોવાળ લોકો પોતાની ગાયોના શબલા-બહુલા વગેરે નામ રાખી લે છે. જ્યારે ગોવાળ આ નામોથી એ ગાયોને સંબોધન કરે છે, તો એ ગાયો પોતાનું નામ સાંભળીને તદનુસાર પ્રવૃત્તિ-નિવૃત્તિ કરતી જોવા મળે છે. આ ગાયોમાં કોઈ પ્રકારના પરોપદેશ સંભવ નથી, છતાં એમાં લબ્ધિ-અક્ષર માનવામાં આવે છે. આ રીતે અસંજ્ઞીજીવોમાં પણ લબ્ધિ-અક્ષરનો સદ્ભાવ સમજવો જોઈએ. અક્ષરના પચયિોનું પ્રમાણ પ્રત્યેક અકારાદિ અક્ષર સ્વ-પરપર્યાયના ભેદથી સર્વદ્રવ્ય-પર્યાય રાશિ પ્રમાણે છે અર્થાત્ સકળ લોકમાં જે પરમાણુ યણુકાદિ છે, એક આકાશ પ્રદેશ વગેરે દ્રવ્ય છે, જે બધા (૨૦૦) 2000). જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy