________________
(૧) ઔત્પત્તિકી બુદ્ધિ જે બુદ્ધિ દ્વારા પૂર્વમાં અશ્રુત અને અદષ્ટ પદાર્થોના વિશુદ્ધ અર્થ અને અભિપ્રાયને તત્કાળ ગ્રહણ કરી લેવામાં આવે છે, એ ઔત્પત્તિકી બુદ્ધિ છે. આ બુદ્ધિ ઉચિત પ્રસંગ પર કાર્યસિદ્ધિ કરવામાં તરત પ્રગટ થાય છે. કહ્યું છે -
पुव्वमदिट्ठमस्सुयभवेइ य तक्खण विसुद्ध गहियत्था । अव्वाहय फल जोगा बुद्धि उप्पत्तिया नाम ॥
- નંદીસૂત્ર, ગાથા-૬૯ જે બુદ્ધિ પૂર્વમાં ન જોયેલા ન સાંભળેલા અર્થને તત્પણ વિશુદ્ધ રૂપમાં જાણી લે છે, એવી-અવ્યાહત ફળવાળી (કાર્યસિદ્ધકારી) બુદ્ધિ ઔત્પત્તિની બુદ્ધિ કહેવાય છે.
નંદીસૂત્ર'માં ઔત્પત્તિની બુદ્ધિનાં અનેક ઉદાહરણ આપવામાં આવ્યાં છે.* (૨) વૈનાયિકી બુદ્ધિ ગુરુજનો વગેરેની સેવાથી પ્રાપ્ત થનારી બુદ્ધિ વિનયજ્ઞા-બુદ્ધિ છે. આ બુદ્ધિ કાર્યભાર વહન કરવામાં સમર્થ હોય છે અને ઈહલોક-પરલોકમાં ફળ આપનારી હોય છે. કહ્યું છે -
भरनित्थरण समत्था निवग्ग सुत्तत्थ गहिय पेयाला । उभओ लोग फलवई, विणय समुत्था हवइ बुद्धी ॥
- નંદીસૂત્ર, ગાથા-૭૩ કાર્યભાર વહન કરવામાં સમર્થ ત્રિવર્ગ (ધર્માર્થમોક્ષ) અને સૂત્રાર્થના રહસ્યને સમજનારી, ઉભય લોકમાં ફળ આપનારી બુદ્ધિ વૈયિકી બુદ્ધિ છે.
(૩) કર્મના બુદ્ધિ કામ કરતાં-કરતાં અભ્યાસની પટુતાથી થનારી બુદ્ધિ કર્મના બુદ્ધિ છે. કહ્યું છે -
उवओग दिट्ठसारा, कम्मपसंग परिघोलण विसाला । साहुक्कार फलवई, कम्मसमुत्था हवइ बुद्धि ॥
- નંદીસૂત્ર, ગાથા-૭૬ ઉપયોગપૂર્વક ચિંતન, મનનના સારથી યુકત, કર્મ-પ્રસંગથી અનુભવથી વિશાળ બનેલી, પ્રશંસા ફળવાળી કાર્મિકી બુદ્ધિ છે.
(૪) પરિણામિકી બુદ્ધિ : આયુની પરિપક્વતાના કારણે બહુ કાળ (વધુ સમય) સુધી સંસારના અનુભવોથી પ્રાપ્ત થનારી બુદ્ધિ પરિણામિકી છે. કહ્યું છે -
મ-સિન-મિ-છે -તિન-વાનુ-સ્થિ-ડિ-વારે | પાય-અડ્રમ- વાહિના પંઘ પિયરો ૨ || - નંદીસૂત્ર,
(૧૯૪)00000000
જિણધામો)