________________
સમજવા જોઈએ, નૈૠયિક અર્થાવગ્રહના નહિ. નૈક્ષયિક અર્થાવગ્રહમાં જાતિ-ગુણ ક્રિયા શૂન્ય સામાન્ય માત્ર પ્રતિભાસિત થાય છે, માટે એમાં બહુ-અલ્પ વગેરે વિશેષોનું ગ્રહણ સંભવ છે જ નહિ.
વ્યાવહારિક અને નૈઋચિક અથવિગ્રહ જે અર્થાવગ્રહ પહેલી જ વાર સામાન્ય માત્રાને ગ્રહણ કરે છે, એ નૈયિક અર્થાવગ્રહ છે. જે-જે વિશેષગ્રાહી અવાય જ્ઞાન પછી અન્યાન્ય વિશેષોની જિજ્ઞાસા અને અવાય થતાં રહે છે તે સામાન્ય વિશેષ અવાયજ્ઞાન વ્યાવહારિક અર્થાવગ્રહ છે. એ જ અવાયજ્ઞાનવ્યાવહારિક અર્થાવગ્રહ નથી, જેના પછી અન્ય વિશેષોની જિજ્ઞાસા ન થાય. અન્ય બધા અવાયજ્ઞાન જે પોતાના પછી નવા-નવા વિશેષોની જિજ્ઞાસા પેદા કરે છે તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે.
શંકા : અર્થાવગ્રહના વિશે તો ઉપર્યુક્ત સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ વ્યંજનાવગ્રહ તો એનાથી પણ પૂર્વવર્તી હોવાથી અત્યંત અવ્યક્ત રૂપ છે. એમાં બાર-બાર ભેદ કેવી રીતે (ઘટિત) થઈ શકે છે ?
સમાધાન અર્થાવગ્રહમાં તો વ્યાવહારિક અર્થાવગ્રહને લઈને ઉક્ત બાર ભેદ સ્પષ્ટતઃ ઘટાવી શકાય છે. માટે સ્થૂળ દૃષ્ટિથી એવો જવાબ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં નૈૠયિક અર્થાવગ્રહ અને એના પૂર્વવર્તી વ્યંજનાવગ્રહના પણ બાર-બાર ભેદ સમજી લેવા જોઈએ. એ ભેદ કાર્યકારણની સમાનતાના સિદ્ધાંત પર આધારિત છે અર્થાત્ વ્યાવહારિક અર્થાવગ્રહનું કારણ નૈશ્ચયિક અર્થાવગ્રહ છે અને એનું કારણ વ્યંજનાવગ્રહ છે. જો વ્યાવહારિક અર્થાવગ્રહમાં સ્પષ્ટ રૂપથી બહુ-અલ્પ વગેરે વિષયગત વિશેષોનો પ્રતિભાસ થાય છે તો એના સાક્ષાત્ કારણભૂત નૈૠયિક અર્થાવગ્રહ અને વ્યવહિત કારણ વ્યંજનાવગ્રહમાં પણ ઉક્ત વિશેષોના પ્રતિભાસ માનવા જોઈએ - જો કે એ પ્રતિભાસ અસ્ફટ હોવાથી દુર્જેય છે. અસ્કુટ કે સ્કુટ, અહીં માત્ર સંભવની અપેક્ષાએ બાર-બાર ભેદ ગણવા જોઈએ. આ રીતે શ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના ૩૩૬ ભેદ થઈ જાય છે.
અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાનના ચાર ભેદ “નંદીસૂત્રમાં કહ્યું છે -
अस्सुयनिस्सियं चउव्विहं पण्णत्तं तंजहाउप्पत्तिया वेणइआ कम्मिया परिणामिया । बुद्धी चउविव्हा वुत्ता पंचमा नोवलब्भइ ॥
- નંદી સૂત્ર - ૨૬ અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ છે - (૧) ઔત્પત્તિકી બુદ્ધિ (૨) વનયિકી બુદ્ધિ, (૩) કર્મના બુદ્ધિ અને (૪) પરિણામકી બુદ્ધિ - એ ચાર બુદ્ધિઓ કહેવામાં આવી છે. આ જ અશ્રુત-નિશ્ચિત મતિજ્ઞાન છે. દૂ મતિજ્ઞાનના ભેદ છે
૧૯૩)