________________
ઉત્કૃષ્ટ સાત-આઠ ભવમાં મોક્ષ જવું, આ પાઠમાં બતાવ્યું છે. એ જ્ઞાન-દર્શનની આરાધના ચારિત્ર આરાધનાની સાથે જ કરવામાં આવતી સમજવી જોઈએ, ચારિત્રની આરાધનાથી રહિત જઘન્ય જ્ઞાનદર્શનની આરાધના નથી. કારણ કે ચારિત્રની આરાધનાથી રહિત જઘન્ય જ્ઞાન અને દર્શનની આરાધનાથી તથા શ્રાવકત્વ દેશવિરતિની આરાધનાથી ઉત્કૃષ્ટ અસંખ્ય ભવ પણ થાય છે.”
સારાંશ એ છે કે – વ્યક્તિમાં ચારિત્રની આરાધના નથી, પરંતુ જ્ઞાન-દર્શનની જઘન્ય આરાધના છે, તો એ વ્યક્તિ તથા દેશવિરત શ્રાવક ઉત્કૃષ્ટ અસંખ્ય ભવમાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ થયો કે જે પુરુષ વીતરાગની આજ્ઞાના કોઈપણ ભેદનો આરાધક છે તે એ જ ભવમાં કે બે-ત્રણ ભવોમાં કે અસંખ્ય ભવોમાં અવશ્ય મોક્ષ જાય છે. જે એમાંથી કોઈ ભેદનો આરાધક નથી એ અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે.
મિથ્યાદેષ્ટિ પૂર્વોક્ત આરાધનાઓના કોઈપણ ભેદનો આરાધક નથી હોતો, કારણ કે મિથ્યાષ્ટિ અનંતકાળ સુધી સંસારમાં ભટકતો રહે છે. જે વીતરાગ આજ્ઞાના કથંચિત્ પણ આરાધક હોય છે, એ ઉત્કૃષ્ટ અસંખ્ય ભવમાં તો સિદ્ધ થઈ જ જાય છે. માટે એ સિદ્ધ થાય છે કે મિથ્યાષ્ટિ ભગવાનની આજ્ઞાનું જરા પણ આરાધક નથી થતું માટે એની ક્રિયાઓ વીતરાગ આજ્ઞાથી બહાર છે.
જે ક્રિયાઓનો સમાવેશ શ્રત અને ચારિત્ર ધર્મમાં થઈ શકે છે, તે જ ક્રિયાઓ વીતરાગ આજ્ઞામાં છે, શેષ આજ્ઞા-બાહ્ય છે.
શંકા કરી શકાય છે કે “દશવૈકાલિક સૂત્રમાં હિંસા સંનો તવો કહીને ત્રણ પ્રકારના ધર્મનું પ્રતિપાદન કર્યું છે, તમે બે જ પ્રકારનો ધર્મ કેવી રીતે બતાવો છો ?
સમાધાન આ છે કે – “દશવૈકાલિકીમાં વર્ણિત અહિંસા-સંયમ-તપ રૂપ ધર્મ શ્રુત-ચારિત્ર રૂપ દ્વિવિધ ધર્મમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. શ્રત અને ચારિત્રથી બાહ્ય-અતિરિક્ત અહિંસાસંયમ તપને ધર્મ નથી કહ્યો.” નિર્યુક્તિકારે કહ્યું છે - "दुविहो लोगुत्तरियो धम्मो सुयधम्मो खलु चरित धम्मो यं"
- દશવૈકાલિક નિર્યુક્તિ. લોકોત્તર ધર્મ બે પ્રકારના છે - શ્રતધર્મ અને ચારિત્રધર્મ.
આનાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે શ્રુત અને ચારિત્ર રૂપ લોકોત્તર ધર્મને જ ઉપર્યુક્ત ગાથામાં અહિંસા-સંયમ-તપ કહીને બતાવ્યો છે, કોઈ લૌકિક ધર્મને નહિ. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૨૮મા અધ્યયનમાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરતાં લખ્યું છે -
नाणं च दंसणं चंव, चरितं च तवो तहा । एस मग्गोत्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहि ॥
ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૨૮, ગા-૨
(૮૦) OOOOOOOOOOOOOOOX જિણધમો)