________________
બીજી અપેક્ષાથી પણ સમ્યગુદર્શન બે પ્રકારનું છે - નિશ્ચય-સમ્યગુદર્શન અને વ્યવહારસમ્યગુદર્શન.
દેશ કાલ સંહનન અનુસાર યથાશક્તિ યથાવતુ સંયમાનુષ્ઠાન રૂપ અવિકલ મુનિવૃત્ત (પરિપૂર્ણ સંયમ) તેરમા વગેરે ગુણસ્થાનમાં નિશ્ચય-સમ્યગ્દર્શન થાય છે.
શમ સંવેગ વગેરે ચિહ્નોથી ઓળખાતા શુભ-આત્મ પરિણામ વ્યવહાર-સમ્યગદર્શન છે. સમ્યકત્વનાં કારણોને પણ વ્યવહાર-સમ્યગુદર્શન કહી શકાય છે. જિન શાસન પ્રત્યે પ્રીતિ પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી સમ્યકત્વ કહેવાય છે. કારણ કે એ પરંપરાથી અપવર્ગ-માર્ગપ્રાપ્તિનું કારણ હોય છે. કહેવાયું છે -
जं मोणं तं सम्मं तम्मिह होइ मोणंतु ।
निच्छयओ इयरस्स तु सम्मं सम्मत्तहेऊ वि ॥ નિશ્ચયનયની દૃષ્ટિએ જે મૌન-મુનિધર્મ છે એ સમ્યકત્વ છે અને જે સમ્યકત્વ છે એ મુનિધર્મ છે. આ જ દૃષ્ટિએ “આચારાંગ'માં કહેવાયું છે -
जं सम्मं त्ति पासहा तं मोणं ति पासहा, जं मोणं त्ति पासहा तं सम्मं ति पासहा ।
- આચારાંગ, પંચમ અધ્યયન, ઉં.-૩ જેને તમે સમ્યકત્વ જાણો છો એને મુનિત્વ પણ માનો. જે મુનિત્વ છે, એને સમ્યકત્વ પણ જાણો.'
આ દૃષ્ટિ નિશ્ચયનયની છે. વ્યવહારનયની દૃષ્ટિએ સમ્યકત્વી આત્માના આચરણને પણ સમ્યકત્વ કહી શકાય છે. આ કથન કાર્યમાં કારણના ઉપચારનું કથન છે.
( નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય)
જિનેશ્વર દેવનું શાસન (સિદ્ધાંત) વિવિધ નયાત્મક છે. એ વિવિધ અપેક્ષાઓ અને વિવક્ષાઓને લઈને ચાલે છે. જ્યારે પદાર્થમાં અને શબ્દમાં અનંત ગુણાત્મકતા વિદ્યમાન છે, તો એનું સમ્યગુ નિરૂપણ એ જ સ્થિતિમાં સંભવ થઈ શકે છે ! જ્યારે એનાં વિવિધ પાસાંઓ પર વિચાર કરવામાં આવે. એક પાસાને લઈને કરવામાં આવતું કથન સમગ્ર વસ્તુ -સ્વરૂપ પર પ્રકાશ નથી નાખી શકતું. એ કથન આંશિક, અપૂર્ણ અને અધૂરું હશે. પ્રત્યેક પદાર્થનાં વિવિધ પાસાંઓ છે અને એ પાસાં અલગ-અલગ છે. અલગ-અલગ પાસાંથી, અલગ-અલગ દૃષ્ટિકોણથી વસ્તુ ભિન્ન-ભિન્ન દૃષ્ટિગોચર થાય છે. એવી સ્થિતિમાં વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ શું છે, આ નિર્ણય કરવો મુશ્કેલ થઈ જાય છે. જેને સિદ્ધાંત આ મુશ્કેલીને ખૂબ જ આસાનીથી હલ (દૂર) કરે છે. એ કહે છે કે – “વસ્તુની વિચારણાના અસંખ્ય કે અનંત પ્રકાર હોઈ શકે છે, કારણ કે વસ્તુમાં અનંત ધર્મ હોય છે.” માટે કહેવાયું છે - [ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય જાણકારી ૯૧)