________________
કરાવનારી, અધ્યાત્મના અનોખા આનંદની ઝાંખી દેખાવનારી સરસ, શાંત, રસમયી કવિતાઓની રચના કરે અને એમને યથોચિત અવસર પર સુમધુર કંઠથી સંભળાવીને ધર્મની પ્રભાવના કરે. આ કવિત્વ-પ્રભાવના છે.
જે ધર્મે જીવનને અંધકારથી હટાવીને પ્રકાશની તરફ વાળી દીધું છે, જે ધર્મની આરાધનાથી જીવન પવિત્ર, પુનિત, શાંત અને સુખી બન્યું છે, એ ધર્મનો પ્રભાવ બીજાના સામે પ્રગટ કરવો, સમ્યકત્વી પુરુષોનું કર્તવ્ય છે. આ કર્તવ્યના નિર્વાહ કરવાના હેતુથી આઠ પ્રભાવનાઓને પ્રતિપાદિત કરી છે. આ આઠ પ્રભાવનાઓ તો ઉપલક્ષણ છે. જે વ્યક્તિની પાસે જેવી શક્તિ હોય, તેને અનુરૂપ કાર્ય કરીને ધર્મની પ્રભાવના કરી શકાય છે. ધર્મની પ્રભાવના કરતા મનમાં આ અભિમાન જાગૃત ન હોવું જોઈએ કે - “હું ધર્મપ્રભાવક કે ધર્મ-દીપક છું.' વિશુદ્ધ જૈનશાસનની મહિમાને વધારવાના લક્ષ્યથી જ પોતાની શક્તિઓનો સદુપયોગ કરવો જોઈએ.
પાંચ ભૂષણ જેમ સુંદર શરીર આભૂષણોથી અધિક-સુંદર પ્રતીત થાય છે, તેવી રીતે જિનગુણોના દ્વારા સમ્યકત્વ-વિશેષ ભૂષિત હોય છે, સુશોભિત હોય છે, તે સમ્યકત્વના ભૂષણ કહેવાય છે. શાસ્ત્રકારોએ સમ્યકત્વના પાંચ ભૂષણ બતાવ્યા છે. યથા -
जिण सासणे कुसलया, पभावणा, तित्थसेवणा, थिरया । भत्ती अ गुणा सम्मत्तदीवया उत्तमा पंच ॥
- સમ્યક્ત્વ સ્વરૂપ (૧) જિનશાસનમાં કુશળતા (૨) પ્રભાવના (૩) તીર્થ-સેવા (૪) સ્થિરતા (૫) ભક્તિ. આ પાંચ સમ્યકત્વને વિભૂષિત કરનારા ભૂષણ છે.
(૧) જિનશાસનમાં કુશળતા : સમ્યકત્વો કુતર્કોની જાળમાં ફસાઈ શકતા નથી. તે પોતાની સૈદ્ધાંતિક નિપુણતાથી કુતર્કોનું ખંડન કરીને પોતાના પ્રભાવશાળી તકથી સત્યપક્ષની સ્થાપના કરી શકે છે. તે જૈન તત્ત્વજ્ઞાનને સમજવાની અને સમજાવવામાં પોતાની કુશળતાનો પરિચય આપી શકે છે. તેથી જેન સિદ્ધાંતોમાં કુશળ હોવું સમ્યત્વનું ભૂષણ મનાય છે.
(૨) પ્રભાવના જિનશાસનના વિષયમાં ફેલાયેલ અજ્ઞાનને અને મિથ્યા ધારણાઓને દૂર કરીને શાસનની મહિમા ફેલાવવી પ્રભાવના-ભૂષણ છે.
પહેલા પ્રભાવનાને અલગ અંગના રૂપમાં પ્રતિપાદિત કરી દેવામાં આવી છે. તેને પુનઃ ભૂષણ કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રભાવના સ્વ-પર ઉપકારી છે તથા તીર્થકર નામ કર્મના ઉપાર્જનનું કારણ પણ છે. તેથી તેની પ્રધાનતા કરવા માટે પુનઃ ભૂષણના અંતર્ગત તેને સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. દૂ સમ્યક્ત્વના ૬૦ બોલ) એ છે કે જે છે કે ૧૪૩)