________________
(૪) સંલાપ : મિથ્યાષ્ટિઓથી વિશિષ્ટ વાર્તાલાપ ન કરવો. કારણ કે વિશેષ વાર્તાલાપથી ઘનિષ્ઠતા વધે છે, જે સમ્યકત્વના માટે ઘાતક થઈ શકે છે. સમ્યગુદૃષ્ટિ જીવો સાથે પુનઃ પુનઃ વાર્તાલાપ કરો, ધર્મચર્ચા કરો, કુશળક્ષેમ પૂછો - એવું કરવાથી ગુણવાનો જોડે ઘનિષ્ઠતા વધે છે, જે સમ્યકત્વની યતનામાં સહાયક હોય છે.
(૫) દાન : દુઃખી, દરિદ્રી, અનાથ, અપંગ આદિ પર કરુણા કરીને અનુકંપા બુદ્ધિથી એમને દાન આપવું સમ્યકત્વનું કર્તવ્ય છે. પરંતુ એમને દાન આપવાથી મોક્ષ પ્રાપ્ત થશે એવી ભાવનાથી મિથ્યાદેષ્ટિઓને દાન ન આપવું. સમ્યગુષ્ટિ જીવોને આહારાદિ ઉપયોગી વસ્તુ આપવી. યથાશક્તિ સ્વધર્મીઓને સહાયતા કરવી.
(૬) માન : મિથ્યાષ્ટિઓનું સન્માન ન કરવું, કારણ કે આવું કરવાથી પ્રકારાન્તરથી મિથ્યાત્વનું સન્માન થાય છે. સમ્યગુષ્ટિઓનું સન્માન કરવું. જે તેઓ દઢધર્મી બને તથા સમ્યકત્વનું માન-માહાભ્ય વધતા જોઈને મિથ્યાત્વીઓનું મન પણ સમ્યકત્વની તરફ આકર્ષિત થાય છે. અને તેઓ પણ સમ્યકત્વી બને. આ રીતે સમ્યકત્વ-રત્નની સુરક્ષા અને સાર-સંભાળ માટે છ યાતનાઓનું નિરૂપણ કરેલું છે.
૬ આગાર रायाभिओगो य गणाभिओगो, बलाभिओगो अ सुराभि ओगो ।
कंतार वित्तो गुरुनिग्गहो य, छ छिडिआओ जिणसासणम्मि ॥ (૧) રાજ્યાભિયોગ, (૨) ગણાભિયોગ, (૩) બેલાભિયોગ, (૪) સુરાભિયોગ, (૫) વૃત્તિકાત્તાર ને (૬) ગુરુ-નિગ્રહ - આ છ આગાર જૈનશાસનમાં માનવામાં આવ્યા છે.
બધા સાધકોનું મનોબળ અને આત્મિક શક્તિ એક જેવી હોતી નથી. કોઈ સાધક અસામાન્ય રૂપથી દઢતાનો પરિચય આપે છે અને વિષમથી વિષમ સ્થિતિમાં પણ સ્વીકૃત સત્યમાર્ગથી, સમ્યકત્વથી, વિચલિત થતા નથી. કોઈ સાધક એવા પણ હોય છે, જે સામાન્ય સ્થિતિમાં તો પોતાના સાચા રાહ પર ચાલતા રહે છે, પરંતુ કઠિનાઈ અથવા ઉપસર્ગ આવવાથી દઢતાથી પરિચય દઈ શકતા નથી. આવી સ્થિતિમાં શાસ્ત્રકારોએ એમના માટે કેટલાક આગારો (છૂટ)નું નિરૂપણ કર્યું છે. આગારોને છંડિકા પણ કહેવાય છે. ઇંડિકાનો અર્થ થાય છે - ગલી. જેમ સડક પર ચાલતા-ચાલતા કદાચિત કોઈ વ્યાઘાત ઉપસ્થિત થઈ જાય તો સડક છોડીને ગલીમાં થઈને પછી સડક પર પહોંચવાનું હોય છે. તેવી રીતે સમ્યકત્વનું પાલન કરતા-કરતા ક્યારેક વ્યાઘાત ઉપસ્થિત થઈ જાય, તો આ ગલીઓમાંથી નીકળીને પછી સમ્યકત્વની સડક પર આવી જવું જોઈએ. આવી વિશેષ પરિસ્થિતિઓનો ઉલ્લેખ આ છ આગારમાં કર્યો છે.
(૧) રાજ્યાભિયોગઃ રાજા અથવા તેના અધિકારી આદિ કદાચિત સમ્યકત્વની જાનમાલ-ઇજ્જત લેવાની ધમકી આપીને સમ્યકત્વના વિરુદ્ધ કાર્ય કરવાની આજ્ઞા આપે, આવી સ્થિતિમાં સમ્યકત્વી જીવ, રાજા આદિના અત્યાચારથી ડરીને ખિન્ન મનથી સમ્યકત્વના વિરુદ્ધ આચરણ કરે, તો તેનું સમ્યકત્વ ભંગ થતું નથી. (૧૪૮) OOOOOOOOOX જિણધમો)