________________
પ્રકારની વિમર્શ-પ્રવૃત્તિનો ક્યાંય અંત નથી. જ્યાં સુધી પૂર્વમાં ઈહા ન થાય ત્યાં સુધી શબ્દનો નિશ્ચય નથી માની શકાતો. અવગ્રહ પછી સીધો અવાય નથી થઈ શકતો. અવગ્રહ પછી ઈહા અને ઈહા પછી જ અવાય થઈ શકે છે. ઇહા-સંશયમાં ભેદ :
કેટલાક વાદીઓનું કથન છે કે - “ઈહામાં વસ્તુનો નિશ્ચય નથી હોતો (થતો), માટે એ સંશયરૂપ જ છે.” સંશય અજ્ઞાન રૂપ છે, માટે ઈહાને પણ અજ્ઞાન રૂપ માનવો જોઈએ.
એમનું ઉક્ત કથન યથાર્થ નથી. ઈહા મતિજ્ઞાનનો અંશરૂપ છે. સંશય વસ્તુની અપ્રતિપત્તિ રૂપ હોવાથી અજ્ઞાન છે, જ્યારે ઈહા જ્ઞાનનો ભેદ હોવાથી જ્ઞાન સ્વભાવવાળો છે. જ્ઞાન અને અજ્ઞાન પરસ્પર પરિહાર કરીને રહે છે, તેથી જ્ઞાનાંશ રૂપ ઈહાને અજ્ઞાનરૂપ સંશય નથી માનવામાં આવતો.
સંશયમાં સબૂત અને અસભૂત બંને કોટિ હોય છે. સંશયમાં ન તો સદ્ભૂત ધર્મનો સભાવ સિદ્ધ કરનારું પ્રમાણ હોય છે. અને ન અસદ્દભૂત ધર્મનો અભાવ સિદ્ધ કરનાર પ્રમાણ હોય છે. સાધક-બાધક પ્રમાણોના અભાવમાં અનેક કોટિઓને પહોંચનારું જ્ઞાન સંશય હોય છે. ઈહામાં એવું નથી હોતું. સંશય થયા પછી નિર્ણયની તરફ નમેલું જ્ઞાન ઈહા છે, અર્થાત્ ઈહા સંશયની સ્થિતિને પાર કરી ચૂકી હોય છે. સંશય ઈહાના પૂર્વની સ્થિતિ છે, જ્યારે ઈહા અવાયના પૂર્વની સ્થિતિ છે. માટે ઈહાને સંશય નથી કહી શકાતો.
જેમ કોઈ વ્યક્તિ જંગલમાં ગયો અને સૂર્યાસ્ત પછી થોડો-થોડો અંધકાર ફેલાતા દૂરથી સ્થિત સ્થાણુને જોયો. ત્યારે એને વિમર્શ થયો કે - “આ સ્થાણુ છે કે પુરુષ ?' આ પ્રકારે જે સંશય થાય છે એ અજ્ઞાન છે, છતાં એ વ્યક્તિએ સ્થાણુ પર ચડેલી લતાઓને, કાક વગેરેના માળાઓને જોઈને ચિત્તમાં વિચાર કર્યો કે - “આ સ્થાણુ હોવું જોઈએ, કારણ કે લતા વગેરેના આરોહણ અને કાકાદિ પક્ષીઓના માળાઓ ઉપલબ્ધ થઈ રહ્યા છે.” સંધ્યાના સમયે મહારણ્યમાં સ્થાણુ હોઈ શકે છે, પુરુષ નહિ. કારણ કે શિર કંડૂયન, ગ્રીવા ચાલન વગેરે એનાં ચિહ્નો દૃષ્ટિગોચર નથી થઈ રહ્યાં. એવા સમયે એવા સ્થાન પર પુરુષની સંભાવના નથી. તેથી એ સ્થાણુ હોવું જોઈએ, પુરુષ નહિ. આ પ્રકારના નિશ્ચયાભિમુખ જ્ઞાન ઈહા છે. આ જ્ઞાન સર્વથા નિશ્ચયાત્મક નથી હોતું, કારણ કે સર્વથા નિશ્ચયની સ્થિતિમાં આ અવાય બની જાય છે. સંશય ઈહાના પૂર્વની સ્થિતિ છે અને ઈહા અવાયના પૂર્વની સ્થિતિ છે. નિશ્ચયાભિમુખ હોવાથી એ જ્ઞાન-સ્વરૂપ છે, અજ્ઞાનરૂપ છે. આ જ સંશય અને ઈહામાં ભેદ સમજવો જોઈએ.
અવાર-ધારણા સંબંધી વિપ્રતિપત્તિ કોઈ વ્યાખ્યાતા કહે છે કે - “પ્રતિયોગીમાં જોવા મળતા વિશેષ ધર્મોનો સબૂત અર્થમાં નિષેધ કરવો અવાય છે. “સપનયનHપાયઃ' આ વ્યુત્પત્તિના ભ્રમમાં પડીને તેઓ એવું વિધાન કરે છે. “વધારVાં ઘારVTV' - આ વ્યુત્પત્તિના ભ્રમમાં પડીને તેઓ કહે છે દૂ મતિજ્ઞાનના ભેદ છે,
છે જ છે. (૧૦૯)