________________
ચંદન વગેરે શીતળ પદાર્થનો લેપ ઉપગ્રહ પણ કરે જ છે. પરંતુ એ પદાર્થ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી બનતા. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય એ જ પદાર્થ બની શકે છે જે દૂરસ્થ હોય. સૂર્ય તથા ચંદ્રનાં કિરણોથી જે ઉપઘાત અને ઉપગ્રહ જોવા મળે છે, એ કિરણો દ્વારા ઉત્તપ્ત તથા શીત (ઠંડા) પરમાણુઓના સ્પર્શથી થાય છે. માટે ચક્ષુને અપ્રાપ્યકારી કહેવાનો અર્થ એટલો જ છે કે ચક્ષુ પદાર્થની પાસે જઈને અને એનાથી સાક્ષાત્ સંબદ્ધ થઈને પદાર્થને જોતા નથી અને ન ચક્ષુની પાસે આવીને એનાથી સ્પષ્ટ થનારા પદાર્થને જ એ જુએ છે. એ તો પદાર્થથી અસ્પષ્ટ રહીને જ યોગ્ય-દેશ0 વસ્તુને ગ્રહણ કરે છે. જો ચક્ષુ પદાર્થને અડ્યા વિના વિષયનું જ્ઞાન નથી કરતી, આ નિયમ બનાવી દેવામાં આવે તો અગ્નિ, વિષ, સમુદ્ર, કાંટા, તલવાર, કરવત, અંજન વગેરેને જાણતા હોવા છતાં એમાં દાહ-સ્ફોટભીનાશ, છેદન-ભેદન-નીરોગતા વગેરે ઉપઘાત તથા અનુગ્રહનો પ્રસંગ પ્રાપ્ત થશે. મર્યાદિત રૂપથી રવિ-કિરણોને જોવાથી પણ દાહ થતો નથી, ન વહ્નિ વગેરેને જોવાથી સળગવાનો (બળવાનો) પ્રસંગ આવે છે, માટે આ સિદ્ધ થાય છે કે ચક્ષુ અપ્રાપ્ય થઈને જ વિષયને જાણે છે, કારણ કે અંજન દહનાદિકૃત અનુગ્રહ-ઉપઘાતથી એ પ્રભાવિત નથી થતું.
નૈયાયિક વગેરે દર્શનકાર માને છે કે ચક્ષુથી કિરણો નીકળીને પદાર્થથી સ્પષ્ટ થાય છે, માટે ચક્ષુના પદાર્થની સાથે સાક્ષાત્ સંબંધ હોવાથી જ એ વસ્તુને જાણે છે. તેથી ચક્ષુને પ્રાપ્યકારી કહેવાય છે. તે કિરણો સૂક્ષ્મ તથા તેજસ હોય છે, માટે અગ્નિ વગેરે દ્વારા દાહ વગેરે નથી હોતા. જેમ સૂર્યનાં કિરણોનો અગ્નિથી સ્પર્શ થવાથી એમનો દાહ વગેરે નથી થતો.
ઉક્ત કથન અયુક્ત છે, કારણ કે નેત્રોથી કિરણોને નીકળવું પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી બાધિત હોવાના કારણે માન્ય કરવામાં નથી આવ્યું. પ્રત્યક્ષ વગેરેથી બાધિત વિષયનો પણ સ્વીકાર કરવામાં આવે તો અતિ પ્રસંગ હશે. વસ્તુ પરિચ્છેદની અન્યથાનુપપત્તિથી નેત્રકિરણોનું અસ્તિત્વ નથી માનવામાં આવતું, કારણ કે નેત્ર-કિરણોને માન્યા સિવાય પણ વસ્તુનો પરિચ્છેદ સંભવ હોય છે. મનનાં કિરણો નથી તો શું એ અપ્રાપ્ત થઈને વસ્તુઓને ગ્રહણ નથી કરતા? કરે જ છે. સૂર્યનાં કિરણોના દૃષ્ટાંતથી અચેતન નેત્રનાં કિરણો દ્વારા વસ્તુને ગ્રહણ માનવું યુક્તિસંગત નથી, કારણ કે આ રીતે તો નખ-દાંત-ભાલ વગેરે શરીરનાં અંગોથી પણ રશ્મિઓને કાઢવું અને એમના માધ્યમથી સ્પર્શને ગ્રહણ કરવાની વાત પણ કેમ કહી નહિ શકાય ? માટે સિદ્ધ થાય છે કે ચક્ષુ અપ્રાપ્યકારી છે.
જો ચક્ષુ પ્રાણકારી હોત તો એમાં આંજેલું કાજળ (અંજન) અને એમાં પડેલી રજને પણ એ જોઈ શકત. કારણ કે એ અંજન તથા રજકણ એનાથી નિર્વિવાદ રૂપથી સંબદ્ધ છે, પણ આંખમાં આંજેલા અંજનને અને પડેલી રજને આંખ જોઈ શકતી નથી, તેથી સિદ્ધ થાય છે કે ચક્ષુ અપ્રાપ્યકારી છે.
(૧૮૬) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધર્મોો]