________________
દ્રવ્ય ઇન્દ્રિય મૂર્તિ છે. મૂર્તિ-અમૂર્તથી ભિન્ન છે - પૃથગુભૂત છે, માટે એ પદ્ગલિક ઇન્દ્રિયમનથી ઉત્પન્ન થનારા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પર નિમિત્તથી હોવાથી (થવાથી) પરોક્ષ જ્ઞાન છે. જેમ કે ધુમાડાના નિમિત્તથી થનારા અગ્નિનું જ્ઞાન પરોક્ષ કહેવાય છે. વૈશેષિકાદિ અન્ય દર્શનકાર પ્રત્યક્ષની વ્યાખ્યા -
ક્ષણિન્દ્રિયં પ્રતિ નં પ્રત્યક્ષ તુ પરોક્ષ' કરે છે. અર્થાત્ એ ઇન્દ્રિયને અક્ષ કહે છે અને ઇન્દ્રિયોથી થનારા જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે, શેષને પરોક્ષ. આ વ્યાખ્યા યૌક્તિક નથી, કારણ કે ઇન્દ્રિયો અચેતન છે, માટે એ વસ્તુ-સ્વરૂપને જાણવામાં અસમર્થ છે. જેજે અચેતન હોય છે, એ વસ્તુ-સ્વરૂપને નથી જાણતા. જેમ કે, ઘટ-ઇન્દ્રિયો અચેતન છે, માટે તે વસ્તુ-સ્વરૂપને નથી જાણી શકતા. જે વસ્તુ-સ્વરૂપને જ નથી જાણતી તો પ્રત્યક્ષપરોક્ષની વાત જ શું ? (ઇન્દ્રિયો જ્ઞાનશૂન્ય છે, કારણ કે રૂપી છે કે સ્પર્ધાદિ ગુણવાળી છે વગેરે પણ હેતુ હોઈ શકે છે.)
ઇન્દ્રિયો જ્ઞાતા નથી શંકા કરી શકાય કે ઇન્દ્રિયો દ્વારા પદાર્થોની ઉપલબ્ધિ થતા પ્રત્યક્ષ જોઈ શકાય છે તો ઇન્દ્રિયો નથી જાણતી' આ કથન પ્રત્યક્ષ વિરોધી કેમ નથી?
સમાધાન સ્પષ્ટ છે કે ઇન્દ્રિયો દ્વારા જે અપલબ્ધિ થાય છે, એને કરનાર આત્મા છે - ઇન્દ્રિયો નથી. કારણ કે ઇન્દ્રિયોના જવાથી પણ એમના દ્વારા ઉપલબ્ધ અર્થનું સ્મરણ થાય છે. જેમ કે ઘરની બારીઓથી કોઈ પદાર્થને જોયા પછી બારીઓના અભાવમાં એ પદાર્થનું સ્મરણ કરનાર દેવદત્ત વગેરે વ્યક્તિ હોય છે. જે જેના ચાલ્યા ગયા પછી પણ ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરે છે, એ જ એનો જ્ઞાતા હોય છે. જેમ કે ઘરની બારીઓથી ઉપલબ્ધ પદાર્થને બારીઓના નષ્ટ થયા પછી પણ સ્મરણ કરનાર દેવદત્ત એનો જ્ઞાતા છે. ઇન્દ્રિયોના ચાલ્યા જવાથી પણ એમના દ્વારા ઉપલબ્ધ અર્થનું સ્મરણ કરનાર આત્મા છે, માટે એ જ જ્ઞાતા છે. જો ઇન્દ્રિયો જાણનાર હોત તો એમના ચાલ્યા જવાથી સ્મરણ કોને થશે ? અન્ય દ્વારા ઉપલબ્ધ અર્થનું સ્મરણ અન્યને નથી થતું. સ્મરણ તો થાય છે, પણ ઇન્દ્રિયો જાણનાર નથી, છતાં આત્મા જ વાસ્તવમાં જ્ઞાતા છે. - વૈશેષિકાદિ દર્શનકાર કહે છે કે - “અમે પણ ઇન્દ્રિયોને સ્વતંત્ર રૂપથી જ્ઞાતા નથી માનતા, પરંતુ અમારું મંતવ્ય એ છે કે – “ઇન્દ્રિય-મનના નિમિત્તથી જે જ્ઞાન આત્માને હોય છે, એ પ્રત્યક્ષ છે. આત્મા મનથી યુક્ત હોય છે, મન ઇન્દ્રિયથી અને ઇન્દ્રિય પદાર્થથી યુક્ત હોય છે, ત્યારે પ્રત્યક્ષ-જ્ઞાન થાય છે.”
આ કથન વાસ્તવિકતાથી પરે (અલગ) છે, કારણ કે જે જ્ઞાન પર-નિમિત્તથી થાય છે, એ પરોક્ષ હોય છે. જેમ કે ધુમાડાના નિમિત્તથી થતું અગ્નિનું જ્ઞાન અનુમાન કહેવાય છે, જે પરોક્ષ છે. એવી સ્થિતિમાં ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કેવી રીતે કહેવાય છે? (૧૦૦) ,
ન જિણધો)