________________
જે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનના સ્વામી હોય છે, તે અવધિજ્ઞાનનો સ્વામી થઈ શકે છે, તેથી સ્વામિત્વ સંબંધી સમાનતા છે.
સમ્યકત્વની ઉત્પત્તિ થવાથી ઉક્ત ત્રણે જ્ઞાન, અજ્ઞાન રૂપથી મટીને જ્ઞાનરૂપતામાં પરિણત થઈ જાય છે, તેથી લાભની અપેક્ષા પણ ત્રણ જ્ઞાનોમાં સાધર્મ છે.
ઉક્ત બધા સદેશતાઓના કારણે મતિ-શ્રુત પછી અવધિજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે, જેમ “ભાષ્યમાં કહ્યું છે - ત્ન-વિવMય-સામિત્ત-નામ સાદોડવી તત્તો ”
- વિશેષા. ભાષ્ય, ગાથા-૮૭ અર્થાત્ કાળ, વિપર્યય, સ્વામિત્વ અને લાભની સદેશતાના કારણે મતિ-શ્રુત પછી અવધિજ્ઞાનનું કથન કર્યું છે.
અવધિજ્ઞાનની મન:પર્યયજ્ઞાનની સાથે અનેક સમાનતાઓ છે, તેથી અવધિજ્ઞાન પછી મન:પર્યયજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે અવધિજ્ઞાન, છમસ્થાનો હોય છે, તેવી રીતે મન:પર્યયજ્ઞાન પણ છમસ્થોનાં થાય છે. અવધિજ્ઞાનરૂપી દ્રવ્યોને વિષય કરે છે, તેવી રીતે મન:પર્યય પણ રૂપીદ્રવ્યને જ વિષય કરે છે. તેથી વિષયની અપેક્ષાથી બંનેમાં સમાનતા છે. તેના સિવાય બંને જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ ઉત્પન્ન થાય છે. તેથી અવધિજ્ઞાન પશ્ચાતું મન:પર્યયનો ઉલ્લેખ કર્યો છે. જેમ “ભાષ્ય'માં કહે છે - माण समित्तो छउमत्थ-विसय भावादि सामण्णा ॥
- વિશે. ભાષ્ય, ગાથા-૮૭ અર્થાત્ છમસ્થ-વિષય અને ક્ષયોપશમ ભાવની સમાનતાના કારણે અવધિજ્ઞાન પછી મન:પર્યયજ્ઞાનનો ઉલ્લેખ આવે છે. પ્રત્યક્ષત્વનું કારણ પણ અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનમાં સમાનતા સમજવી જોઈએ.
કેવળજ્ઞાન અંતમાં પ્રાપ્ત થાય છે, તેથી તેનો નિર્દેશ બધાથી અંતમાં કર્યો છે. કેવળજ્ઞાન સર્વોત્તમ છે. કારણ કે તે અતીત-અનાગત વર્તમાનના સમસ્ત શેય-સ્વરૂપને જાણે છે. જેમ મન:પર્યયજ્ઞાનનો સ્વામી યતિ (સાધુ) જ હોય છે, તેવી રીતે કેવળજ્ઞાનનો સ્વામી પણ યતિ (સાધુ) જ હોય છે. આ સમાનતાના કારણે મનઃપર્યયજ્ઞાન પછી કેવળજ્ઞાનનું કથન છે તથા બધાં અન્ય જ્ઞાનોના પશ્ચાતું જ કેવળજ્ઞાન થાય છે, તેથી બધાંના પછી તેનો નિર્દેશ કર્યો છે. જેમ કે “ભાષ્ય'માં કહ્યું છે કે -
अन्ते केवलमुत्तम-जइ सामित्तावसाण लाभाओ । एत्थं च मइ सुयाई परोक्खमियरं च पच्चक्खं ॥
- વિશેષા, ભાષ્ય. ગાથા-૮૮
(૧૮) 0000000000000000000 જિણધામો)