________________
પણ બંનેમાં લક્ષણ ભિન્ન-ભિન્ન છે. શ્રુતજ્ઞાન સંકેત વિષયક પરોપદેશ રૂપ હોય છે અર્થાત્ સંકેતકાલીન શબ્દનું અનુસરણ કરીને વાચ્ય-વાચક ભાવ સંબંધથી યુક્ત થઈને ઘટ-ઘટ' આ પ્રકારે આંતરિક શબ્દોલ્લેખ સહિત ઇન્દ્રિય અને મનોજન્ય જે જ્ઞાન થાય છે, એ શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન શબ્દોલ્લેખ સાથે હોય છે, માટે પોતાના વિષયભૂત ઘટ વગેરે પદાર્થોના પ્રતિપાદક ઘટ વગેરે શબ્દોના જનક હોય છે અને એનાથી જ અર્થની પ્રતીતિ કરાવે છે. મતિજ્ઞાનમાં શબ્દોલ્લેખ નથી હોતો. આ બંનેમાં લક્ષણની અપેક્ષાથી ભેદ છે.
હેતુફળ ભેદ : મતિજ્ઞાન હેતુ છે અને શ્રુતજ્ઞાન એનું ફળ છે. જેમાં હેતુ-ફળભાવ સંબંધ હોય છે. કાર્ય-કારણ સંબંધ હોય છે. તે પરસ્પર ભિન્ન હોય છે, જેમાં અગ્નિ અને ધુમાડો. આ હેતુ-ફળ-ભાવના કારણે પણ મતિ-શ્રુતમાં ભેદ છે.
ભેદ-સંબંધી ભેદ : મતિજ્ઞાનના અવગ્રહ વગેરે ૨૮ ભેદ પણ કહેવાય છે, જ્યારે શ્રુતજ્ઞાનના અક્ષર-શ્રુત વગેરે ૧૪ ભેદ બતાવ્યા છે. આ બંને ભેદોની અપેક્ષાએ ભેદ થયો.
ઇન્દ્રિય-વિભાગ ભેદ તત્ત્વ દૃષ્ટિએ શ્રુતજ્ઞાન ક્ષોત્રેન્દ્રિયનો જ વિષય છે, જ્યારે મતિજ્ઞાન ક્ષોત્ર સહિત અન્ય ઇન્દ્રિયોનો પણ વિષય છે અર્થાત્ શ્રુતજ્ઞાન મુખ્યત્વે ક્ષોત્રેન્દ્રિયથી જ થાય છે, જ્યારે મતિજ્ઞાન પાંચેય ઇન્દ્રિયોથી થાય છે. આ ઇન્દ્રિય વિભાગની અપેક્ષાથી ભેદ છે.
વલ્ક-શુષ્મ ભેદઃ વલ્કનો અર્થ છે સૂતર અને શુમ્બનો અર્થ છે સૂતરથી બનેલી દોરી (દોરો). જેમ સૂતરને વણવાથી, સંસ્કારિત કરવાથી દોરી બને છે એમ જ મતિજ્ઞાન સૂતરના સમાન છે અને શ્રુતજ્ઞાન સંસ્કારિત શુધ્ધ સમાન. સૂતર કારણ છે અને દોરી કાર્ય. એમ જ મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય.
અક્ષર-અનક્ષરકૃત ભેદ : મતિજ્ઞાન અનક્ષર હોય છે અને શ્રુતજ્ઞાન અક્ષર-અનક્ષર ઉભય રૂપ હોય છે. આ રીતે પણ બંનેમાં ભેદ છે.
મૂક-મુખર ભેદ : મતિજ્ઞાન મૂક છે અને શ્રુતજ્ઞાન મુખર છે. આ રીતે પણ બંનેમાં ભેદ છે. શ્રુતજ્ઞાન સ્વ-પર-પ્રત્યયક હોય છે, જ્યારે મતિજ્ઞાન માત્ર સ્વ-પ્રત્યાયક હોય છે. ઉક્ત ભિન્નતાઓના કારણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર છે.
શબ્દને શ્રુતજ્ઞાન કેમ કહેવાય છે ? શંકા થાય છે કે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનની વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે - “મિનિg ત્તિ માવોદિયું, ત્તિ સુર્ય પદાર્થને અભિમુખ થઈને જે જાણે છે, એ મતિજ્ઞાન છે અને જીવ જે સાંભળે છે એ શ્રુતજ્ઞાન છે. આ વ્યાખ્યાનુસાર તો “જીવ” શબ્દને સાંભળે છે એ સુપ્રતીત છે. માટે શબ્દ જ શ્રુતજ્ઞાન સિદ્ધ થશે. આત્માનો ભાવ શ્રત રૂપ નથી કહેવાતો. (૧૨) .
જો કે, તે જિણધમો)