________________
અવ્યક્ત રૂપમાં હોય છે. વનસ્પતિ વગેરેમાં એમનાં ચિત્ર સ્પષ્ટતઃ દેખાય છે. જેમ કે વિરહક વગેરે વૃક્ષમાં મધુર કંઠથી નીકળેલી મધુર પંચમ રાગને સાંભળીને તરત કુસુમ-પલ્લવ વગેરે પ્રગટ થઈ જાય છે. આ એ વાતનું ચિહ્ન છે કે વિરહક વગેરે વૃક્ષમાં શ્રોત્રેન્દ્રિયજન્ય જ્ઞાનની સત્તા છે.
| તિલક વગેરે વૃક્ષમાં કમનીય કામિનીના કટાક્ષ વિક્ષેપથી કુસુમોનું પ્રગટ થવું એ સિદ્ધ કરે છે કે એમાં ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાનનું અસ્તિત્વ છે.
ચંપક વગેરે વૃક્ષોમાં વિવિધ સુગંધી પદાર્થોથી સુગંધિત શીતળ જળના સિંચનથી પલ્લવ-પ્રસૂન વગેરેનો આવિર્ભાવ, એમાં ધ્રાણેન્દ્રિયજન્ય જ્ઞાનનો દ્યોતક છે.
બકુલ વગેરે વૃક્ષોમાં રૂપવતી તરુણીના મુખથી સ્વચ્છ સુસ્વાદુ વારુણી (માદક દ્રવ્ય)ના કોગળા કરવાથી પત્રપુષ્પ વગેરેનું પ્રગટ થવું, એમાં રસનેન્દ્રિયજન્ય જ્ઞાનનું પ્રમાણ છે.
કુરવક અને અશોક વગેરે વૃક્ષોમાં શૃંગાર અને અલંકારથી સુસજ્જિત સુંદરીના આલિંગન-સુખથી તથા મેંદીના રંગથી આરક્ત કોમળ-ચરણના પ્રહારથી પત્ર-પ્રસૂન વગેરેનું પ્રફુટિત થવું, એમાં સ્પર્શેન્દ્રિય જ્ઞાનને અભિવ્યક્ત કરવું છે.
આ જ રીતે અન્ય એકેન્દ્રિયોમાં દ્રવ્યશ્રુત ન હોવા છતાં પણ ભાવશ્રુત જોવા મળે છે.
વનસ્પતિ વગેરેમાં આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહ સંજ્ઞાના ચિત્ર જોવા મળે છે. વનસ્પતિઓ જળ વગેરે આહારને પ્રાપ્ત કરીને વિકસિત થઈ જાય છે, એ એમાં આહારસંજ્ઞાના અસ્તિત્વને સિદ્ધ કરે છે. લતાઓ અને વેલડીઓમાં હાથ વગેરેનો સ્પર્શ થવાથી પ્રાપ્ત થતા અવયવ-સંકોચ એમાં ભય-સંજ્ઞાને બતાવે છે. વિરહક-તિલક-ચંપક-કેશર-અશોક વગેરે વૃક્ષોમાં મૈથુન-સંજ્ઞાનું અસ્તિત્વ ઉપર બતાવ્યું જ છે. બીલી, પલાશ વગેરે વૃક્ષો દ્વારા ફસાયેલા નિધાન પર ઊગવું કે પોતાની ડાળીઓ અને પત્રો દ્વારા એને છુપાવી રાખવું, એ પરિગ્રહ-સંજ્ઞાને બતાવે છે. એ સંજ્ઞાઓ ભાવકૃત વગર નથી થઈ શકતી. એટલા માટે ભાવેન્દ્રિય પંચકાવરણના ક્ષયોપશમથી ભાવેન્દ્રિય પંચકશાન જેવા એકેન્દ્રિયોમાં ઉપર્યુક્ત દૃષ્ટિકોણોથી માનવામાં આવ્યો છે. એમ જ ભાવ શ્રુતાવરણના ક્ષયોપશમથી થનારા ભાવકૃત, દ્રવ્યકૃતના અભાવમાં પણ એકેન્દ્રિયોમાં જોવા મળે છે.
શંકા : જો એકેન્દ્રિયોમાં શ્રુતાનુસારિત્વના વગર પણ ભાવથુત માનવામાં આવે છે, તો શ્રુતજ્ઞાનના “ વિUTIઇ સુથાપનું સારેvi’ ‘વિ. ભા.” ગાથા-૧૦૦ લક્ષણ દૂષિત થઈ જાય છે.
સમાધાન : “નં વિUTUાં સુયાણુ સારેvi’ ‘વિ.ભા.' ગાથા-૧૦૦ એ શ્રુતજ્ઞાનનું લક્ષણ વિશિષ્ટ ભાવશ્રુતને દૃષ્ટિમાં ખીને કરવામાં આવ્યું છે. એકેન્દ્રિયોને જે ભાવશ્રુત હોય છે, એ ઔધિક-અવિશિષ્ટ ભાવકૃત હોય છે. એ ભાવકૃતાવરણનું ક્ષયોપશમરૂપ હોય છે. માટે શ્રતાનુસારિત્વ ન હોવા છતાં પણ એમાં કોઈ દોષાપત્તિ નથી.
[મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં અંતર છે200
(૧૦૫)