________________
શંકાઃ જો ભાષા અને શ્રોત્રલબ્ધિથી રહિત કાષ્ઠ, કલ્પ-પૃથિવ્યાદિ એકેન્દ્રિયોમાં સ્પષ્ટ કોઈપણ પ્રમાણ ઉપલબ્ધ ન હોવા છતાંય ભાવથુત માનવામાં આવે છે, તો એમાં પાંચેય જ્ઞાનોનો સર્ભાવ છે એવું પણ કેમ માની શકાય ?
સમાધાન : એકેન્દ્રિયોમાં અવધિ-મન પર્યય, કેવળ જ્ઞાનાવરણ કર્મોના ક્ષયોપશમ કે ક્ષય નથી જોવા મળતું. કેવળજ્ઞાન સંપૂર્ણ જ્ઞાનાવરણના ક્ષયથી થાય છે તથા અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી થાય છે. આ એકેન્દ્રિયોમાં હોતા નથી, કારણ કે એમનાં કાર્યો નથી જોઈ શકાતાં તથા આગમમાં પણ એમનું હોવું નથી કહી શકાતું. માટે એમાં સર્વજ્ઞાન હોવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. મતિશ્રુત જ્ઞાનાવરણના ક્ષયોપશમ એકેન્દ્રિયોમાં હોય છે, એમના કાર્ય જોઈ શકાય છે અને સિદ્ધાંતમાં પણ એવું કહેવાયું છે. મતિશ્રુત જ્ઞાનાવરણનું ક્ષયોપશમ હોવાથી એકેન્દ્રિયોમાં અતિશ્રુત હોય જ છે, માટે સિદ્ધ થઈ જાય છે કે એકેન્દ્રિય જીવોમાં ભાવશ્રુત જોવા મળે છે.
૨૯)
(મતિજ્ઞાનના ભેદ)
ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થનારા આભિનિબોધિક-મતિજ્ઞાન બે પ્રકારના છે - (૧) શ્રુત-નિશ્રિત અને (૨) અશ્રુત-નિશ્રિત. શ્રુત અર્થાત્ સંકેત કાળ ભાવી પરોપદેશ અને શ્રુત ગ્રંથ. એ શ્રુત દ્વારા પરિકર્મિત સંસ્કારિત મતિવાળાને વ્યવહાર કાળમાં એની અપેક્ષા વિના જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ શ્રુત-નિશ્રિત મતિજ્ઞાન છે. જે જ્ઞાન-શ્રુતથી અપરિકર્મિત મતિવાળાને સહજ - વગર પરોપદેશના થઈ જાય છે, એ અશ્રુત-નિશ્રિત મતિજ્ઞાન છે.
શ્રુત-નિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ છે - (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણા. અશ્રુત-નિશ્રિત મતિજ્ઞાનના પણ ચાર ભેદ છે - (૧) ઔત્પત્તિકી (૨) વૈનયિકી (૩) કામિકી (૪) પારિણામિકી. બુદ્ધિના ચાર ભેદોની અપેક્ષા અશ્રુત-નિશ્રિતના ચાર ભેદ છે.
છતાં ઔત્પત્તિકી વગેરે ચાર બુદ્ધિઓમાં પણ અવગ્રહ વગેરે હોય છે, તથાપિ એ પરોપદેશની અપેક્ષા ન રાખવાના કારણે શ્રુત-નિશ્રિત નથી હોતા. શેષ અવગ્રહ વગેરે પૂર્વશ્રુત પરિકર્મિત મતિ વગર નથી હોતા, ઈહાદિગત અભિલાપ પરોપદેશ વગર નથી થતા, માટે તે શ્રુત-નિશ્ચિત કહેવાય છે. ઔત્પત્તિકી વગેરે બુદ્ધિઓમાં ઈહાદિગત અભિલાપ તથાવિધ કર્મ ક્ષયોપશમના કારણે પરોપદેશ વગર પણ થાય છે, તેથી તે અશ્રુત-નિશ્ચિત છે.
અવગ્રહ વગેરે ભેદોનું સ્વરૂપ આત્મા જ્યારે કોઈ વસ્તુને જાણવા માટે ઉત્સુખ થાય છે ત્યારે સર્વ પ્રથમ એને એ વસ્તુના સામાન્ય ધર્મ અર્થાત્ સત્તાનો પ્રતિભાસ થાય છે. સત્તા કે મહાસામાન્યતના એ ૧૬ મી છે.
કે જિણધમો)