________________
(૫) આસ્તિક્ય : સમ્યકત્વીનું પાંચમું લક્ષણ આસ્તિકતા છે. આસ્તિકતાનો અર્થ છે - આસ્થા. જે જિનેશ્વર દેવે કહ્યું છે. તેના પર દઢ આસ્થા હોવી, આત્મા-પરમાત્મા, સ્વર્ગનરક, પુણ્ય-પાપ, બંધન-મોક્ષ આદિના અસ્તિત્વનો સ્વીકાર કરવો આસ્તિકાય છે. આ સમ્યકત્વનું પાંચમું લક્ષણ છે. આસ્થા વગર કોઈ કામ સિદ્ધ થઈ શકતું નથી. આસ્થા થવાથી જ ભાવના થાય છે અને ભાવનાને ભવનાશિની બતાવી છે. સમ્યકત્વી જીવ પોતાના ધર્મના પ્રતિ દઢ આસ્થા અને નિષ્ઠાવાળા હોય છે. આના માટે અરણક (અહંન્નક) શ્રાવક, કામદેવ શ્રાવક આદિના આદર્શ એમના સન્મુખ હોવા જોઈએ. અરણક અને કામદેવ શ્રાવકને પોતાની ધર્મનિષ્ઠાથી ડગાવવાના માટે દેવોએ કેટલા ભયંકર ઉપસર્ગ દીધા, પરંતુ તે દઢ મનોબળી શ્રદ્ધાશીલ શ્રાવક જરા પણ વિચલિત ન થયા. તેના રોમ-રોમમાં ધર્મની પ્રતિ દેઢ અનુરાગ અને આસ્થા સમાઈ છે. આવી દઢ આસ્થાથી એ જાણી શકાય છે કે આ વ્યક્તિ સમ્યકત્વી છે, તેથી આસ્થાને સમ્યકત્વનું લક્ષણ માન્યું છે.
છ યતના યતનાનો અર્થ છે સાવધાની અથવા સાર-સંભાળ. પ્રત્યેક સારી વસ્તુની પ્રાપ્તિ થાય છે તે તેની સાર-સંભાળ કરવી પણ આવશ્યક થાય છે. સમ્યકત્વ એક બહુમૂલ્ય રત્ન છે. તેની પ્રાપ્તિ ખૂબ જ કઠિનાઈથી થાય છે, તેથી તેની પ્રાપ્તિ થઈ જવાથી દરેક પ્રકારથી તેની રક્ષાહેતુ સતર્ક અને સાવધાન રહેવું જોઈએ. નિખ્ખાંકિત છ વ્રતોથી સમ્યકત્વની યતના થાય છે.
नो अन्नतिथिए अन्नतिथि देवे य तह सदेवाइं । गहिए कुतित्थिएहिं वंदामि' नवा नमसामि ॥ नेव अणालत्तो आलवेमि नो संलवेमि तह तेसिं ।
देमि न असणाई अ पेसेमि न गंध पुफ्फाई६ ॥ . ૧. વંદના : મિથ્યાદૃષ્ટિ જીવોની પ્રશંસા ન કરવી અને સમ્યકત્વી પુરુષોની પ્રશંસા - ગુણાનુવાદ કરવા. ગુણવાનોના ગુણોનું ઉત્કીર્તન કરવું.
૨. નમસ્કાર : મિથ્યાષ્ટિઓ, મિથ્યાદેષ્ટિ દેવો અને મિથ્યાષ્ટિ ગુરુઓને તબુદ્ધિથી નમસ્કાર ન કરવા. સમ્યગુદૃષ્ટિઓ અને ગુણાધિકોને નમસ્કાર કરવા.
3. આલાપ ઃ મિથ્યાષ્ટિઓના બોલ્યા વિના એમનાથી ચલાવીને વાતચીત ન કરો.* સમ્યગુદૃષ્ટિ જીવોથી યથોચિત વાર્તાલાપ કરવો. પ્રેમપૂર્વક આદરથી વાત કરવી. ૧. વંદના ૨. નમસ્કાર ૩. આલાપ ૪. સંલાપ ૫. દાન ને ૬. માન આ ૬ યતનાઓ કહેવાઈ છે.
* पाखण्डिनो विकर्मस्थान, वैडालप्रतिकान् शठान् । हेतुकान् वकवृतींश्च वांगमात्रेणापि नार्चयेत् ॥
- મનુસ્મૃતિ અ. ૪ શ્લોક ૩૦ અર્થાતુ - પાખંડીઓનું નિષિદ્ધ, કર્મ કરવાવાળાનું, બિલાડી જેવા દગાબાજનું, બગલા જેવો દેખાવ કરી આચાર પાળવાવાળા ધૂર્તોનું શઠોનું દેવ-ગુરુ-શસ્ત્ર પર શ્રદ્ધા ના રાખવાવાળા નું અને શાસ્ત્રો વિરુદ્ધ તર્ક કરવાવાળાનું વચન માત્રથી પણ સત્કાર કરવું જોઈએ નહિ. [ સમ્યકત્વના ૬૦ બોલ) સમ્યકત્વના ૬૦ બોલ
છે. છે
(૧૪]