________________
(સુલભ બોધિનાં પાંચ કારણ)
જે સત્કાર્યોથી આત્માને ભવિષ્ય માટે બોધિ (સમ્યકત્વ)ની પ્રાપ્તિ સરળ અને સુગમ થાય છે, તે સુલભ બોધિના કારણ કહેવાય છે. તે પાંચ છે -
'पंचहिं ठाणेहिं जीवा सुलभ बोहियत्ताए कम्मं पगरेंति-तंजहा-अरहंताणं वष्णं वयमाणे जाव विवक्कतव बंभचेराणं देवाणं वण्णं वयमाणे ।'
- સ્થાનાંગ, સ્થાન-૫, ઉદ્દે-૨ પાંચ કારણોથી જીવાત્મા સુલભ બોધિ થાય છે. અર્થાત્ જિનધર્મને સુવિધાથી પ્રાપ્ત કરી શકાય છે.
(૧) અરિહંતોની સ્તુતિ કરવાથી (૨) અરિહંત પ્રરૂપિત ધર્મની સ્તુતિ કરવાથી (૩) આચાર્ય-ઉપાધ્યાયની સ્તુતિ કરવાથી (૪) ચતુર્વિધ સંઘની સ્તુતિ કરવાથી (૫) પરિપક્વ તપ અને બ્રહ્મચર્ય આદિ વ્રતોના સાથ દેનાર પુણ્ય-બંધનાં ફળસ્વરૂપ થનાર દેવોની ઋદ્ધિનું શાસ્ત્રાનુસાર વર્ણન કરવાથી. સ્તુતિ તે વિધાયિકા મહાશક્તિ છે, જેનાથી આત્મા સુલભ બોધિ બને છે. (૧) અરિહંતની સ્તુતિઃ
जियरागदोसमोहा सव्वन्नू तिय सनाह कय पूजा ।
अच्चंतसच्चवयणा, सिवगइगमणा जयंति जिणा ॥ જે મહાપુરુષોએ રાગ-દ્વેષ-મોહ આદિ દોષોને જીતી લીધા છે, જે સર્વજ્ઞ-સર્વદર્શી છે, ઇન્દ્રોએ જેનું મહિમાગાન કર્યું છે, જેમના વચન સર્વથા સત્ય છે, જે મોક્ષમાં પધારવાના છે, એ જિનેશ્વર દેવની જય-વિજય હો. (૨) કેવલી-ભાષિત ધર્મની સ્તુતિઃ
वत्थुपयासणसूरो, अइसयरयणाण सायरो जयइ ।
सव्वजगजीवबंधुरबंधू दुविहो वि जिण धम्मो ॥ જે વસ્તુને પ્રકાશિત કરવામાં સૂર્યની સમાન છે, જે અતિશય ગુણ-રત્નોના મહાસાગર છે. જે જગતનાં બધાં પ્રાણીઓના બંધુ છે, જે શ્રુત-ચારિત્ર રૂપથી બે પ્રકારના છે, તે કેવળી-ભાષિત ધર્મ વિજયશીલ હો. (૩) આચાર્ય-ઉપાધ્યાયની સ્તુતિઃ
तेसिं नमो तेसिं नमो, भावेण पुणो वि तेसिं चेव नमो ।
अणुवकय-परहियरया, जे णाणं देन्ति भव्वाणं ॥ (૧૫૪) OCTOO SOOOOOOOOOX જિણધમો