________________
હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા, પ્રીતિ, રુચિ રાખું છું. ભગવન્! આ એવું જ છે, જેવું તમે ક્યાંક કહેલ નિગ્રંથ પ્રવચન સત્ય છે, યથાર્થ છે, તથ્ય છે, મને અભીણિત છે તથા અભિપ્રેત છે.
થાવસ્યા અણગારે સુદર્શનને શૌચ-મૂલક ધર્મનો પરિત્યાગ કરીને નિગ્રંથ પ્રવચનમાં પ્રતિબદ્ધ કર્યા હતા. તે પાઠ આ પ્રકાર છે -
तत्थणं से सुदंसणे संबुद्धे । एवं खलु सुदंसणेणं सोच्च धम्मं विप्पजहाय विणयमूले धम्मे पडिवन्ने ।
- જ્ઞાતા ધર્મકથાંગ, અ-૫ અનાથી મુનિના ઉપદેશથી સમ્રાટ શ્રેણિક દઢ શ્રદ્ધાળુ સમ્યકત્વી બન્યા હતા. આચાર્ય સિદ્ધસેન દિવાકરે અવંતીના રાજા વિક્રમાદિત્યને જિન મતાનુયાયી બનાવ્યા હતા.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ગુજરાતના નરેશ સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ આદિને સમ્યકત્વ પ્રદાન કરી જિન-ભક્ત બનાવ્યા હતા.
સધર્મ ધુરીણ આચાર્ય સુહસ્તિ, પાટલિપુત્ર નગરના શ્રેષ્ઠી વસુભૂતિના આગ્રહથી એમના પરિવારને પ્રતિબોધિત કરવા અને સમ્યકત્વના લાભ આપવા માટે તેમના ઘરે ગયા હતા.
આવાં અનેક ઉદાહરણ છે, જેનાથી સમ્યકત્વનું દાન અને ગ્રહણ થવાનું સિદ્ધ થયું છે.
સ્વયં શ્રમણ પ્રભુ મહાવીરે પોતાના નિવણકાળના અંતિમ સમયમાં ગૌતમ સ્વામીને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપવા મોકલ્યા હતા. શ્રી પ્રભવ સ્વામીએ બ્રાહ્મણ અવસ્થામાં રહેલ - શ્રી શય્યભવ સ્વામીને બોધિત કરવા માટે પોતાના શિષ્યોને મોકલ્યા હતા. એવું જૈન ઇતિહાસમાં વર્ણન ઉપલબ્ધ છે.
ઉક્ત આગમિક અને ઐતિહાસિક પ્રમાણોના આધારથી આ સિદ્ધ થાય છે કે જેમ વ્યવહાર-ચારિત્રનું આદાન-પ્રદાન થાય છે અને સાક્ષીના રૂપમાં ભગવાન વ્યવહાર-ચારિત્રના પ્રત્યાખ્યાન આદિ આપે છે, એવી રીતે વ્યવહાર-સમ્યકત્વનું પણ આદાન-પ્રદાન થાય છે અને ભગવાન વ્રતાદિની જેમ એ વ્યવહાર-સમ્યકત્વના પણ સાક્ષી હોય છે. જેમ નિશ્ચયચારિત્ર અંતરંગની વસ્તુ હોવા છતાં પણ શ્રુત-પ્રત્યાખ્યાનના રૂપમાં તેનું આદાન-પ્રદાન થાય છે, તેવી રીતે નિશ્ચય-સમ્યકત્વ પણ અંતરંગ વસ્તુ હોવા છતાં પણ વ્યવહાર-સમ્યકત્વના રૂપમાં તેનું આદાન-પ્રદાન શાસ્ત્રસંમત છે.
તર્ક પ્રસ્તોતા’એ આગળ લખ્યું છે કે – “ભગવાન મહાવીર અને અન્ય મહાન આચાર્યોએ વ્રત તો દીધા, પરંતુ સમ્યકત્વ આપ્યું નથી. સમ્યકત્વ તો સ્વયં સ્કૂર્ત થાય છે. તેનો પરિબોધ આપવામાં આવે છે, બીજું કશું નહિ. સત્ય એ છે કે સમ્યકત્વ એક દૃષ્ટિ છે, જે આપી શકાતું નથી. સ્વતઃ ખૂલે છે. એ દષ્ટિને જે બંધ છે, ખોલવામાં ગુરુ નિમિત્ત બને છે, એનાથી અધિક કશું નહિ. - ઉક્ત કથન આંશિક રૂપથી શાસ્ત્ર વિરુદ્ધ છે. ઉપર આ સિદ્ધ કરેલું છે કે શ્રમણ ભગવાન મહાવીર અને અન્ય આચાર્યોએ વ્રત પણ દીધા અને સમ્યકત્વ રૂપ બોધિ-બીજનું દાન પણ કર્યું. દૂ ઓપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ છે
જે ૧૩૧)