________________
ત્રણ શુદ્ધિ
સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયા પછી તેને વધુ વિશુદ્ધ બનાવવા માટે ત્રણ પ્રકારની શુદ્ધિઓ બતાવી છે :
(૧) મન-શુદ્ધિ (૨) વચન-શુદ્ધિ (૩) કાયા-શુદ્ધિ.
(૧) મન-શુદ્ધિ : મનથી વીતરાગ દેવ, નિગ્રંથ, ગુરુ અને કેવળી પ્રરૂપિત નિરારંભ ધર્મને જ સારભૂત સમજવા અને બાકી બધા જગતને અસાર માનવા મનઃ શુદ્ધિ છે.
:
(૨) વચન-શુદ્ધિ : વચન દ્વારા ઉપર્યુક્ત દેવ, ગુરુ, ધર્મના ગુણ-કીર્તન કરવાં. (૩) કાયાશુદ્ધિ : શરીર દ્વારા ઉક્ત દેવ, ગુરુ, ધર્મને નમસ્કાર કરવા. સમ્યક્ત્વી જીવ નિરારંભી દેવ, ગુરુ, ધર્મને મનથી સારું સમજે છે. વચનથી તેમના જ ગુણગાન કરે છે અને કાયા દ્વારા તેમને જ નમન કરે છે. આવું કરવાથી તેના ત્રણ યોગોના વ્યાપારવિચાર-ઉચ્ચાર અને આચાર પવિત્ર બને છે. કહ્યું છે :
:
"
मुत्तूण जिणं, मूत्तूण जिणमयं जिणयमट्ठिए मुत्तूणं । संसार कत्तवारं चिंतिज्जंतं નમં સેકં
જિનેશ્વર દેવ, તેના દ્વારા પ્રરૂપિત ધર્મ અને તેનું આચરણ કરનારના અતિરિક્ત શેષ જગત કચરાના સમાન અસાર છે. આવું ચિંતન કરવાથી સમ્યક્ત્વની વિશોધિ થાય છે. પાંચ દૂષણ-ત્યાગ
જેમ વાત, પિત્ત, કફ આદિ દોષોના ઉદ્ભવથી શરીર રોગી થાય છે, તેવી રીતે સમ્યક્ત્વમાં લાગતા દોષોથી સમ્યક્ત્વ દૂષિત થઈ જાય છે. આવાં દૂષણોથી બચવા માટે સમ્યક્ત્વીએ સદા જાગરુક અને સાવધાન રહેવું જોઈએ. તે દૂષણ પાંચ બતાવ્યા છે - संका कंखा वितिगिच्छा पसंस तह संथवो कुलिंगी । सम्मत्तस्सऽइयारा परिहरिअव्वा યન્નેનું
(૧) શંકા (૨) કાંક્ષા (૩) વિચિકિત્સા (૪) મિથ્યાર્દષ્ટિ પ્રશંસા અને (૫) મિથ્યાર્દષ્ટિ સંસ્તવ. આ પાંચ સમ્યક્ત્વને દૂષિત કરે છે, તેથી સમ્યક્ત્વીને પ્રયત્નપૂર્વક આ અતિચારોને છોડવા જોઈએ. એનું સ્વરૂપ આ પ્રકાર છે :
(૧) શંકા : સર્વજ્ઞ વીતરાગ ભગવાન દ્વારા ઉપદિષ્ટ તત્ત્વોમાં સંદેહ કરવો, શંકા નામનું દૂષણ છે. ક્ષયોપશમની મંદતાના કારણે જૈન-સિદ્ધાંતની ગહન વાતો જો સમજમાં ન આવે તો તેના વિષયમાં પણ સમ્યક્ત્વીને આ નિશ્ચય હોવો જોઈએ કે ‘તમેવ સબંળીસંજ નં નિગેહિં પવયં' તે સત્ય છે. તે નિઃશંક છે, જે જિનેશ્વર દેવોએ કહ્યું છે. એ જ સમ્યક્ત્વીનો મુદ્રાલેખ હોવો જોઈએ. જિજ્ઞાસા બુદ્ધિથી શંકા કરવી અતિચારનું દૂષણ નથી, પરંતુ શંકાશીલ બની રહેવું અથવા શંકાનું સમાધાન ન કરવું અતિચાર છે. શંકા કરવાથી
૧૩૮
જિણધમ્મો