________________
જો કે અહીં ધર્મરાગના શ્રત અને ચારિત્ર બંને ધર્મના પ્રતિ ગાઢ અનુરાગ રાખવાનું કહેવાયું છે. તથાપિ ત્યાં વિશેષ રૂપથી ચારિત્ર-ધર્મ પર અનુરાગ રાખવો - સમજવો જોઈએ, કારણ કે પ્રથમ ચિહ્ન શુશ્રષામાં શ્રુત-ધર્મનું અલગથી નિર્દેશ કરવામાં આવે છે. ભલે સમ્યગુદૃષ્ટિ જીવ તથાવિધ કર્મોદયથી ચારિત્ર રૂપ ધર્મનું સેવન પણ ન કરી શકે, તથાપિ તેના ચિત્તમાં ચારિત્ર-ધર્મના પ્રતિ એવો જ દઢ અનુરાગ હોય છે. જેમ ક્ષુધાતુરને સ્વાદિષ્ટ મનોજ્ઞ ભોજનના પ્રતિ પ્રીતિ હોય છે. તે એ ભાવના અવશ્ય રાખે છે કે તે એક દિવસ ધન્ય થશે, જ્યારે હું ચારિત્ર ધર્મનો અંગીકાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીશ.
(૩) વૈયાવૃત્ય જેમ વિદ્યા સિદ્ધ કરનાર અભિલાષી વ્યક્તિ યોગ્ય સાધકનો યોગ મળવાથી હર્ષનો અનુભવ કરે છે અને એકાગ્ર ચિત્તથી વિદ્યા-સાધનામાં તલ્લીન થઈ જાય છે, તેવી રીતે સમ્યગુદૃષ્ટિ જીવ પણ પોતાના પરમોપકારી દેવ અને ગુરુની યથોચિત્ત ભક્તિ કરવામાં તત્પર અને તલ્લીન રહે છે.
અહીં એક પ્રશ્ન કરી શકાય છે કે વૈયાવૃત્ય તો તપના અંતર્ગત આવે છે. બાર પ્રકારના તપમાં વૈયાવૃત્યનો સમાવેશ છે, તેથી વૈયાવૃત્ય ચરિત્રનો અંશ છે. જો સમ્યગુદૃષ્ટિમાં અથવા સમ્યકત્વમાં વૈયાવૃત્યનું લિંગ હોય જ છે, તો અવિરત સમ્યગુષ્ટિ ગુણસ્થાનકનો અર્થ શું હોય? સમાધાન એ છે કે આ પ્રકારનું વૈયાવૃત્ય રૂપ ચારિત્ર અલ્પતમ હોવાથી તેના ચારિત્રના રૂપમાં વિવક્ષા કરી નથી. જેમ સંમૂર્ણન જીવોમાં ઔઘાદિ સંજ્ઞાનો અભાવ હોવા છતાં પણ સંજ્ઞી માની શકતું નથી. કારણ એમાં વિશિષ્ટ સંજ્ઞાનો અભાવ છે.
દસ વિનય
ધર્મનો મૂળ વિનય છે. કહેવાય છે - “થપ્પલ્સ વિUTો મૂત્ન ' જ્યાં વિનય હોય છે ત્યાં અન્યાન્ય ગુણ સ્વયં પ્રગટ થઈ જાય છે. સમ્યકત્વી પુરુષમાં વિનય-વિનમ્રતા ગુણ સહજ રૂપમાં હોય છે. વિનયશીલ વ્યક્તિ જ સાધનાના માર્ગ પર આગળ વધી શકે છે, અભિમાની નહિ. જેમાં અક્કડપન સ્તબ્ધત્વ થાય છે તે કોઈ પ્રકારની વિશિષ્ટ શિક્ષા અથવા યોગ્યતા પ્રાપ્ત કરવામાં અસમર્થ રહે છે. તેના વિપરીત વિનયશીલ આત્મા ગુરુજનોને પ્રસન્ન કરતા ઉત્તરોત્તર જ્ઞાનાદિ રત્નોથી પરિપૂર્ણ બની જાય છે, તેથી વિનયને ધર્મનું મૂળ કહ્યું છે. જેમ ફળોથી લદાયેલું વૃક્ષ નમ્ર થઈ જાય છે, પાણીથી ભરેલાં વાદળાં પૃથ્વીની બાજુ ઝૂકી જાય છે, તે રીતે સજ્જન જ્ઞાન-સંપત્તિ મેળવીને નમ્ર થઈ જાય છે. સમ્યકત્વી વ્યક્તિ પણ સમ્યકત્વીને મેળવી વિનયી બની જાય છે. વિનય-ધર્મથી સમ્યકત્વની પુષ્ટિ અને પ્રતીતિ થાય છે. પરંતુ વિનય નિઃસ્વાર્થભાવથી કરવો જોઈએ. સ્વાર્થની ભાવનાથી કરેલો વિનય, વિનય નથી, ચાપલૂસી છે. આત્મકલ્યાણના અભિલાષીઓએ સમ્યકત્વધારી વ્યક્તિઓ નિમ્નાંકિત ૧૦ વિનયપાત્રોનો વિનય કરવો જોઈએ.
(૧૩૬)0000000000000000 જિણધમો )