________________
ઉક્ત ઉદ્ધરણમાં તર્ક પ્રસ્તોતાએ સ્વીકાર કર્યો છે કે - “ભગવાન મહાવીર વ્યવહાર દૃષ્ટિથી શ્રાવકનાં વ્રતો તથા સાધુનાં વ્રતોના સાક્ષી રૂપમાં દાતા છે, તો એ દર્શન-મોહનીયના ક્ષયોપશમાદિ રૂપ સમ્યકત્વના પણ સાક્ષીમાં દાતા કેમ ન હોય? જેમ નિશ્ચય-સમ્યકત્વ આદાન-પ્રદાનની વસ્તુ નથી, તેવી રીતે નિશ્ચય-ચારિત્ર પણ આદાન-પ્રદાનની વસ્તુ નથી. જેમ વ્યવહાર-ચારિત્રનું આદાન-પ્રદાન થાય છે. જેમ કે તર્ક પ્રસ્તોતાને પણ માન્ય કરવામાં આવે અને વ્યવહાર સમ્યકત્વને માન્ય કરવામાં ન આવે, તેની પાછળ કોઈ તર્કસંગત કારણ નથી. જો કહેવાય કે સમ્યકત્વની જ્યોતિ અંદરથી પ્રગટે છે, તો ચારિત્રની જ્યોતિ પણ અંદરથી પ્રગટે છે, કારણ કે તે પણ આત્માનું સ્વરૂપ છે. વ્રતાદિનું આદાન-પ્રદાન યોગ્ય માનવું અને સમ્યકત્વનું આદાન-પ્રદાન યોગ્ય ન માનવું. નિતાના પક્ષપાતપૂર્ણ અને ભ્રાંતિપૂર્ણ મત છે.
ઉકત તર્ક પ્રસ્તોતા’એ પણ સ્વીકાર કર્યો છે કે – “ગુરુના નિમિત્તથી, ઉપદેશથી અને અન્ય કોઈ નિમિત્તથી તે સમ્યકત્વની જ્યોતિ જાગી તો શકે છે, પરંતુ જાગે છે પોતાના અંદરથી જ. બરાબર એ જ રીતે આ પણ કહી શકાય કે ગુરુના નિમિત્તાદિથી ચારિત્રની જ્યોતિ જાગી શકે છે, પરંતુ જાગે છે પોતાના અંદરથી જ. તો ભગવાન ચારિત્ર રૂપ વ્રતાદિના સાક્ષી હોય છે તો સમ્યકત્વના સાક્ષી કેમ નથી હોતા ? અવશ્ય જ તેઓ જેમ વ્રતાદિના સાક્ષી હોય છે, તેવા જ સમ્યકત્વના પણ સાક્ષી હોય છે. ભગવાન ન માત્ર સાક્ષી હોય છે, પરંતુ એમને સ્વયં પોતાના મુખારવિંદથી ત્યાગ-પ્રત્યાખ્યાન સંયમ આદિનું દાન કર્યું.
‘તર્ક પ્રસ્તોતા'માં લખાયું છે કે - “આગમમાં ક્યાંય સમ્યકત્વના આદાન-પ્રદાનનો ઉલ્લેખ નથી. તેમનું આ કથન સંગત નથી. આગમોમાં આવાં અનેક ઉદાહરણો મળે છે. ઉપાશક-દશાંક સૂત્ર'માં સ્પષ્ટ રૂપથી કહેવાયું છે કે - “સ્વયં શ્રમણ ભગવાન મહાવીર સકલાલ પુત્રના સ્થાન પર પધાર્યા અને પોતાના સત્યધર્મના ઉપદેશ દ્વારા એમની આત્માની મિથ્યાત્વ પર્યાયને હટાવીને સમ્યગુદર્શનના શુદ્ધ-પર્યાયને પ્રગટ કરવાના હેતુ સમ્યકત્વ રૂ૫ બોધ-બીજ પ્રદાન કર્યું છે. શું આ સમ્યકત્વનું લેણ-દેણ નથી ?”
આ સર્વસાધારણને જ્ઞાત જ છે કે પ્રભુ મહાવીરે ચંડકૌશિક સાપની બાબીની પાસે જઈને તેને “બંનુદ-સંબુદ ચંદુ વોલિયા લિંક પુસિ - હે ચંડકૌશિક ! સમજ, સમજ, કેમ સમજતો નથી?” કહીને પ્રતિબોધિત કર્યો. નાગરાજને પ્રતિબોધ આપવા માટે સ્વયં પ્રભુ મહાવીર તેના દરની પાસે પહોંચ્યા. શું ભગવાને ચંડકૌશિકને બોધિ-બીજ નથી આપ્યું? શું ચંડકૌશિક એ બોધિ-બીજને નથી અપનાવ્યું ?
ઉપાસક દશાંગ સૂત્ર'માં સ્પષ્ટ રૂપથી સમ્યકત્વ-ગ્રહણ સંબંધી ઉલ્લેખ છે કે -
द्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तियामिणं भंते । णिग्गंथं पावयणं, रोएमि णं भंते ग्गिंथे पावयणं एवमेयं भंते । तहमेयं भंते ! अवितहमेयं भंते, इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ।
- ઉપાશક દશાંગસૂત્ર (૧૩૦) TO
00000 જિણધમો)