________________
આસ્રવ થાય કે બંધ થાય એ હેય છે. આ જ દૃષ્ટિકોણથી એ શુભભાવને પુણ્યબંધનું કારણ બતાવીને હેય સિદ્ધ કરે છે. જો આ માન્યતાનો સ્વીકાર કરવામાં આવે તો સમ્યગ્દર્શન પણ હેય સિદ્ધ થઈ જાય છે. સમ્યગ્દર્શનને હેય માની લેવાથી બધી આધ્યાત્મિક બીક (ભીતિ) જ દટાઈ જાય છે. એકાંત પક્ષના કદાગ્રહના કારણે વ્યક્તિ ક્યાં સુધી નીચે ચાલી જાય છે એ નવોદિત નિશ્ચયવાદથી સ્પષ્ટ થઈ જાય છે.
આ જ રીતે ‘તત્ત્વાર્થ સૂત્ર’ના અધ્યાય-૬ના ૨૪મા સૂત્રમાં દર્શન-વિશુદ્ધિને તીર્થંકર નામ કર્મના આસ્રવનું કારણ કહેવાયું છે. તીર્થંકર નામ કર્મ બંધન છે અને આસ્રવ છે. દર્શનવિશુદ્ધિ અર્થાત્ સમ્યગ્દર્શનથી તીર્થંકર નામ કર્મના આસ્રવ અને બંધ થાય છે, માટે ઉપર્યુક્ત માન્યતાનુસાર તીર્થંકરત્વ પણ હેય સિદ્ધ થાય છે. પોતાની એકપક્ષીય હઠના કારણે આ પ્રકાર ઉત્સૂત્ર પ્રરૂપણાથી દેવાધિદેવ તીર્થંકરની કેટલી ઘોર આશાતના કરવામાં આવી રહી છે.
જે રીતે સમ્યગ્દર્શન દેવાયુના બંધનું કારણ છે તથા એનાથી દેવાયુનો આસ્રવ થાય છે, છતાં સમ્યગ્દર્શન હેય નથી, આ જ રીતે વ્રત, નિયમ, મહાવ્રત, પ્રત્યાખ્યાન વગેરે શુભભાવોથી પુણ્યનો બંધ કે આસ્રવ હોવા છતાં એ હેય સિદ્ધ નથી થતા. પુણ્યબંધ તો એમનું આનુષંગિક ફળ છે વસ્તુતઃ તો એ સંવરરૂપ હોવાથી ઉપાદેય અને આચરણીય છે.
‘મોક્ષપાહુડ' વગેરે ગ્રંથોમાં પણ સમ્યક્ત્વનો મહિમા ગાયો છે, પરંતુ ત્યાં ક્યાંય નિશ્ચયનય કે વ્યવહારનયનો એકપક્ષીય આગ્રહ નથી. ત્યાં તો સામાન્યતઃ સમ્યક્ત્વનો ઉલ્લેખ છે. અહીં ‘મોક્ષપાહુડ’ની બે ગાથાઓ ઉલ્લેખિત કરવી અપ્રાસાંગિક નહિ હોય -
गहि उणय सम्मतं सुणिम्मलं सुरगिरीव निक्कंपं । तं झाणे झाइज्जइ સાવય ! તુવન્સ્લટ્ટાદ્ ||૮૬॥ सम्मत्तं जो झायइ-सम्माइट्ठी सो નીવો । सम्मत्त - परिणओ उण खवेइ दुइट्ट कम्माजि ॥८७॥ - મોક્ષપાહુડ, ૮૬-૮૭. હે શ્રાવક ! શુદ્ધ નિર્મળ અને મેરુની જેમ નિષ્કપ સમ્યક્ત્વને ધારણ કરીને દુઃખક્ષય-હેતુ એનું ધ્યાન કરો.
જે સમ્યક્ત્વને ધ્યાવે છે, એ જીવ સમ્યગ્દષ્ટિ હોય છે. સમ્યક્ત્વ રૂપથી પરિણત થયેલો જીવ આઠેય કર્મોનો ક્ષય કરી નાખે છે.
‘મોક્ષપાહુડ’ની ઉપરની ગાથાઓમાં ક્યાંય પણ નિશ્ચય કે વ્યવહારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો - અહીં તો માત્ર સમ્યક્ત્વનો મહિમા બતાવ્યો છે, જે નિર્વિવાદ છે.
શ્રી તારણ સ્વામી વિરચિત ‘જ્ઞાન સમુચ્ચય સાર' ગ્રંથમાં પણ સામાન્ય સમ્યક્ત્વનો મહિમા પ્રદર્શિત કર્યો છે. ત્યાં પણ નિશ્ચય કે વ્યવહારનો કોઈ નિર્દેશ નથી. જુઓ
ગાથા-૨૫ -
જિણધમ્મો
૯૮