________________
जो सुत्तमहिज्जंतो, सुएण ओगाहइ उ सम्मत्तं । अंगेण बाहिरेण व, सौ सुत्तरुइ त्ति णायव्वो ॥४॥ एगेण अणेगाइं पयाइं, जो पसरइ उ सम्मत्ते । उदएव्व तेल्ल बिन्दू, सो बीयरुइ त्ति णायव्वो ॥५॥ सो होइ अभिगम रुई, सुयनाणं जेण अत्थओ दिळें । इक्कारस अंगाई, पइण्णगं दिट्ठिवाओ य ॥६॥ दव्वाण सव्व भावा, सव्व पमाणेहिं जस्स उवलद्धा । सव्वाहिं णयविहीहिं, वित्थार रुइत्ति णायव्वो ॥७॥ दंसणणाण चरिते, तव विणए सच्च समिइ गुत्तीसु ।। जो किरिया भाव रुई सो खलु किरिया रुई णाम ॥८॥ अणभिग्गहिय कुदिट्ठी, संखेवरुइ त्ति होइ णायव्वो । अविसारओ पवयणे, अणभिग्गहिओ य सेसेसु ॥९॥ जो अस्थिकाय धम्मं सुय धम्मं खलु चरित्तधम्मं च । सद्दहइ जिणाभिहियं सो धम्मरुइ त्ति णायव्वो ॥१०॥
- ઉત્તરાધ્યયન. અ.-૨૮, ગા.-૧૮-૨૭ ઉક્ત ગાથાઓનો ભાવાર્થ રુચિઓની વ્યાખ્યામાં કરેલો છે. જેમાં તાવનો નાશ થવાથી મનુષ્યને ભોજનની રુચિ જાગૃત થાય છે. અને રુચિપૂર્વક કરેલું ભોજન સુખદાયી હોય છે, તેવી રીતે મિથ્યાત્વ રૂપ જ્વર (તાવ)ના નષ્ટ થઈ જવાથી દસ પ્રકારના ધર્મનું આરાધન કરવાથી રુચિ જાગૃત થાય છે અને રુચિપૂર્વક કરેલું ધર્માચરણ યથાર્થ ફળદાયક થઈને આત્માને અક્ષય સુખ પ્રદાન કરે છે.
અહીં એક શંકા કરાય છે કે જો રુચિઓને સમ્યગ્દર્શન કહેવાય તો તે રુચિઓ વિતરાગ દશામાં હોતી નથી, પરંતુ સમ્યગ્દર્શન તો ત્યાં પણ છે, તો તે અવ્યાપ્તિ નામના લક્ષણનો દોષ થશે. એનું સમાધાન એ છે કે રુચિઓને સમ્યગુદર્શનનું અસાધારણ લક્ષણ નથી, પરંતુ તેનું વ્યંજક-લિંગ મનાય છે. જેવી રીતે ધુમાડો અગ્નિનો વ્યંજક-લિંગ છે, પરંતુ તેના વગર પણ અગ્નિ જોઈ શકાય છે, તેવી રીતે વીતરાગદશામાં રુચિ (રાગ) રૂપ ચિહ્નનો અભાવ હોવાથી પણ સમ્યગદર્શન રૂપ લિંગી મેળવી શકાય છે. જેમ કે ઉપાધ્યાય શ્રી યશોવિજય ગણિવરને અધ્યાત્મ સત પરીક્ષામાં કહ્યું છે -
जं च जिअलक्खणं तं उवइटुं तत्थ लक्खणं लिंगं ।
तेण विणा सो जुज्जइ, धूमेण विणा हुआसुव्व ॥ અથવા વીતરાગ દશામાં રુચિઓ ન હોવાના લીધે રુચિરૂપ સમ્યગ્ગદર્શનને સરાગ સમ્યગુદર્શન કહેવાય છે. જેમ કે “સ્થાનાંગ'માં કહેવાયું છે કે -
"दस विहे सराग सम्मदंसणे पन्नत्ते तंजहा निसग्गुवदेस रुइ-इत्यादि"
[ દસ રુચિઓ 000000000000000000૧૩)
૧૧૩