________________
સંવર :
આત્માથી સંબદ્ધ થવા માટે આમ્રવનાં દ્વારોથી જે કર્મસમૂહ આવે છે, એમને જ વૃત્તિઓના માધ્યમથી રોકી દેવામાં આવે છે, એ સંવર તત્ત્વ છે. નિર્જરાઃ
આત્માથી સંબદ્ધ કર્મોનું આંશિક રૂપથી આત્માથી અલગ થઈ જવું નિર્જરા તત્ત્વ છે. બંધ :
આત્મ-પ્રદેશોનું કર્મ પુદ્ગલોની સાથે ક્ષીર-નીરની જેમ મળી (ભળી) જવું બંધ તત્ત્વ છે. મોક્ષ :
આત્માનું બધી રીતે કર્મોથી સંપૂર્ણ રૂપમાં હંમેશાં માટે છૂટી જવું મોક્ષ તત્ત્વ છે.
ઉપર્યુક્ત તત્ત્વોની વ્યાખ્યાથી આ જ્ઞાત થાય છે કે જીવ અને અજીવ એ બધા મુખ્ય તત્ત્વ છે. અને શેષ સાત તત્ત્વ આ જીવ-અજીવના સંબંધની ભિન્ન-ભિન્ન અવસ્થાઓના દ્યોતક છે.
મોક્ષમાર્ગમાં આત્માના પતન અને ઉત્થાનના રહસ્યનું સર્વાધિક મહત્ત્વ હોય છે. એટલા માટે મુમુક્ષુને આત્મા અને કર્મોની વિભિન્ન અવસ્થાઓનું જ્ઞાન કરાવવું અપેક્ષિત હોય છે. આ દૃષ્ટિકોણને લઈને જ આત્મા અને કર્મોના સંબંધથી થનારી અવસ્થાઓને પણ તત્ત્વના રૂપમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે.
આ રીતે ઉપરનાં નવ તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા હોવી સમ્યગુદર્શનનું સ્વરૂપ છે.
૧૫
*
(ધર્મના બે પ્રકાર-ક્ષત અને ચારિત્ર)
સમ્યગદર્શન એ પ્રારંભિક દ્વાર છે, જ્યાંથી મુક્તિના મહેલમાં પ્રવેશ થાય છે. મોક્ષમાર્ગનો આરંભ સમ્યગ્દર્શનથી જ થાય છે. આ એ પ્રાથમિક ભૂમિકા છે, જેના ઉપર આધ્યાત્મિક વિકાસનો ભવ્ય અને રમ્ય પ્રાસાદ ઊભો થાય છે. આ જ એ રસાયણ છે જે અનાદિ મિથ્યાત્વના વિષને મારી દે છે અને આત્માને એ વિષથી મુક્ત કરીને એ સ્વાથ્ય અને આરોગ્ય પ્રદાન કરે છે, જે એનું વાસ્તવિક સ્વરૂપ છે. મિથ્યાત્વનું વિષ હટી જવાથી જ અજ્ઞાનની બેહોશી અને પ્રગાઢ મોહનિદ્રાનો ભંગ થાય છે અને આત્મ-જ્ઞાન અને આધ્યાત્મિક વિકાસના સોનેરી પ્રભાતના આનંદનો અનુભવ કરે છે.
જૈન સિદ્ધાંતાનુસાર સમ્યગુદર્શનનો જ આ ચમત્કાર છે કે એ અજ્ઞાનને સુજ્ઞાનમાં ને અચારિત્રને સુચારિત્રમાં તથા અતપ(અજ્ઞાન તપ)ને સુતામાં પરિવર્તિત કરી દે છે. પરિવર્તનની આટલી મોટી શક્તિ સમ્યગુદર્શનમાં જ છે. એટલા માટે સાધનાના આ મંગલમય માર્ગનો મહામહિમા બતાવ્યો છે અને એના હોવાથી જ સાધનાની પ્રક્રિયાનો આરંભ માનવામાં દૂધર્મના બે પ્રકાર-શ્રુત અને ચારિત્ર છે . જે ૮૩]