________________
બીજના બળી ગયા પછી અંકુર પેદા થતો નથી એમ જ કર્મબીજના બળી જવાથી ભવરૂપી અંકુર પેદા નથી થતા. મુક્ત-જીવનો પુનર્જન્મ માનવામાં આવે તો એનું મરણ પણ માનવું પડશે. જ્યાં જન્મ-મરણ છે, ત્યાં મુક્તિ કેવી રીતે સંભવ છે ? | મુક્ત જીવ બધા પ્રકારના સંગથી રહિત છે. એ અમૂર્ત છે માટે સંગ રહિત છે. એ ના તો સ્ત્રી છે, ના પુરુષ કે ના નપુસંક. શરીર ન હોવાથી ત્યાં લિંગભેદ નથી. મુક્ત જીવ પરિજ્ઞાતા છે. એ સર્વ આત્મ-પ્રદેશોથી જાણે-દખે છે, માટે એ જ્ઞાન-દર્શન યુક્ત છે.
મુક્તાત્માનું સ્વરૂપ ના તો છદ્મસ્થોથી પૂર્ણતઃ જાણી શકાય છે અને ના કોઈ ઉપમા દ્વારા ઉપમેય છે. ઉપમા સદેશ વસ્તુથી જ આપી શકાય છે. મુક્તાત્માના જ્ઞાન અને સુખની તુલના અન્ય કોઈથી નથી થઈ શકતી, માટે એ અનુપમ છે. મુક્તાત્માની સત્તા અરૂપી છે, માટે વર્ણન ગંધ-રસ-સ્પર્શ-આકાર વગેરેની કોઈ અવસ્થા ત્યાં નથી. એના વાચક શબ્દની ત્યાં ગતિ નથી. એ વાણીથી અગોચર, કલ્પનાતીત અને બુદ્ધિથી પર છે. એ સહજ આનંદ માત્ર અનુભવ વેદ્ય છે. સિદ્ધ આત્મા સત્-ચિત્—આનંદમય સ્થિતિમાં અવસ્થિત છે.
આ સચ્ચિદાનંદમય સ્થિતિ જ મુમુક્ષુ સાધકોની સાધનાનું લક્ષ્યબિંદુ છે. આ લક્ષ્યને સામે રાખવાથી સાધક સાધનાપથ ઉપર વિદન-મુસીબતોની ચિંતા કર્યા સિવાય આગળ નિરંતર વધતો રહે છે.
સર્વજ્ઞના જ્ઞાનનું અનુસરણ કરનાર વિશિષ્ટ પ્રજ્ઞા સંપન્ન શાસ્ત્રકાર (ગણધર) માનવ સ્વભાવના કુશળ પારખી હતા. એમને માનવ-મનની ઊંડાઈનો પૂરો અનુભવ હતો. એમણે વીતરાગ વાણીરૂપ વિશિષ્ટ વિજ્ઞાનના જે તથ્ય અને નિષ્કર્ષ પ્રસ્તુત કર્યા, એની તુલનામાં આજનું ભૌતિક જ્ઞાન કોઈ મહત્ત્વનું નથી. મનોવિજ્ઞાનનું મંતવ્ય છે કે – “ક્રિયાની પ્રતિક્રિયા અવશ્ય હોય છે. વ્યક્તિ એક જ સ્થિતિમાં નથી રહી શકતો. જ્યારે એ નિમ્ન કે અસારભૂત સ્થિતિમાં નિરંતર બનેલો રહે છે, તે એમાં ઉચ્ચ અને સારભૂત તત્ત્વ પ્રત્યે ઉત્કંઠા ઉત્પન્ન થાય છે. આ પોતાની દિશાને વળાંક આપે છે અને આત્મ-વિકાસના માર્ગ પર ચાલી નીકળે છે. કારણ કે વધવું, પ્રગતિ કરવી, ઊર્ધ્વગમન કરવું ચેતનનો સ્વભાવ છે.
આ રીતે મુમુક્ષુ સાધક માટે સાધનાનું શું લક્ષ્ય હોય, એ આ ગાથામાં સિદ્ધોને નમસ્કાર કરીને પ્રગટ કરવામાં આવ્યું છે. સિદ્ધત્વ જ સાધકની સાધનાનું લક્ષ્યબિંદુ છે. આ નિર્ધારિત કરવામાં આવ્યું છે. અરિહંત પણ સિદ્ધ છેઃ
જો કે “અરિહંત' શબ્દ સંયત’ શબ્દની વ્યાપકતામાં પણ અંતનિહિત થઈ જાય છે, છતાં પ્રસ્તુત ગાથામાં આગત સિદ્ધ પદમાં અરિહંતને અંતર્ભાવિત કરવામાં આવ્યા છે. કારણ કે અરિહંતની અપેક્ષા વિશેષથી સિદ્ધ માનવામાં આવ્યા છે. ઘનઘાતી કર્મોનો ક્ષયથી જે ચાર મહાશક્તિઓનો આવિર્ભાવ થાય છે, એ અરિહંત અને સિદ્ધમાં સમાન રૂપથી રહેલ છે, એમાં અંશમાત્ર પણ તરતમતા કે ન્યૂનાધિકતા નથી. તેઓ આવિભૂત શક્તિઓ આ પ્રમાણે છે : દૂ મંગલ અને પ્રયોજન છે.
છે. ઉ૫)