________________
વગર નથી થઈ શકતું. સમ્યગ્દર્શનના હોવાથી સમ્યગુજ્ઞાન થઈ જ જાય છે. જેમ સૂર્યનો પ્રકાશ અને આતપ (ગરમી) એક સાથે હોય છે. એ બંને સાથે જ પ્રગટ થાય છે. એવું નથી હોતું કે પ્રકાશ પહેલાં આવે છે અને આતપ પછી. એવું જ સમ્યગુદર્શનના પ્રગટ થવાથી જ સમ્યગુજ્ઞાન પણ પ્રગટ થઈ જાય છે. એના પ્રગટ થવામાં ક્ષણમાત્રનું પણ અંતર નથી હોતું. સમ્યગુદર્શન અને સમ્યગુજ્ઞાન સ્વતંત્ર રૂપથી મોક્ષની સિદ્ધિ નથી કરી શકાતી. સમ્યગુજ્ઞાન રસ્તો બતાવી શકે છે, ચલાવવું એનું કામ નથી. ચાલ્યા વગર મંજિલ પર પહોંચી શકાતું નથી. એકલું સમ્યફચારિત્ર પણ મોક્ષનું અંગ નથી. કારણ કે એમાં ચાલવું તો છે, પણ માર્ગને જોવા માટે જ્ઞાન-દર્શનરૂપી ચક્ષુ નથી. મંજિલ પર પહોંચવા માટે ચક્ષુ પણ જોઈએ અને પગ પણ જોઈએ. કોઈપણ એકના અભાવમાં મંજિલ પ્રાપ્ત થતી નથી. મોક્ષની મંજિલ ઉપર પહોંચવા માટે સમ્યગદર્શન - સમ્યગુજ્ઞાનરૂપી બે ચક્ષુઓની જરૂર છે અને સમ્યફચારિત્રરૂપી પગોની પણ. આ રીતે સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર ત્રણેય મળીને મોક્ષનું સાધન બને છે. આ વાતને “જ્ઞાન ક્રિયાખ્યા મોક્ષ: ' સૂત્ર દ્વારા પુષ્ટ કરવામાં આવ્યા છે.
સારાંશ એ છે કે સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યફચારિત્ર રૂપ રત્નત્રયીની પરિપૂર્ણતાનું નામ જ મોક્ષ છે અને આ જ જીવનનો ચરમ વિકાસ છે.
સમ્યગદર્શનનો મહિમા )
સમ્યગ્દર્શન અધ્યાત્મ-સાધનાનો મૂળ આધાર અને મુખ્ય કેન્દ્ર છે. એ મુક્તિમહેલનું પ્રથમ પગથિયું છે. એ શ્રત અને ચારિત્ર ધર્મની આધારશિલા છે. જે રીતે ઉચ્ચ તથા ભવ્ય પ્રાસાદનું નિર્માણ દેઢ આધારશિલા મજબૂત પાયા પર જ સંભવ છે, એ જ રીતે સમ્યગુદર્શનના પાયા પર જ શ્રુત-ચારિત્ર ધર્મનો ભવ્ય પ્રાસાદ ઊભો થઈ શકે છે. આત્મામાં અનંત ગુણ છે, પરંતુ સમ્યગુદર્શન ગુણનું સર્વાધિક મહત્ત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. સમ્યગુદર્શનનું આટલું અધિક મહત્ત્વ એટલા માટે છે કે સમ્યગ્દર્શનના સભાવમાં જ જ્ઞાન અને ચારિત્ર ઉપલબ્ધ થાય છે. સમ્યગુદર્શનના સભાવમાં જ યમ-નિયમ-તપ-જપ વગેરે સાર્થક થઈ શકે છે. સમ્યગદર્શનના અભાવમાં સમસ્ત જ્ઞાન અને સમસ્ત ચારિત્ર મિથ્યા છે. જેમ અંક વગેરે શૂન્યોની લાંબી લાઇન બનાવી દેવામાં આવે તો પણ એનું કોઈ મૂલ્ય નથી, એમ સમ્યકત્વ વગર જ્ઞાન અને ચારિત્રનો કોઈ અર્થ નથી રહેતો. અગર સમ્યકત્વરૂપી અંક હોય અને એના પછી જ્ઞાન અને ચારિત્ર હોય તો પ્રત્યેક શૂન્યથી દસગણી કિંમત થઈ જાય છે. સમ્યગ્દર્શનથી જ જ્ઞાન અને ચારિત્રમાં સમ્યકત્વ આવે છે. માટે દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય ભાવોમાં સમ્યકત્વ હોવા છતાં પણ સમ્યકત્વ શબ્દ સમ્યગદર્શનના અર્થમાં રૂઢ થઈ ગયો છે. આ સમ્યગુદર્શનની પ્રધાનતા સૂચિત કરે છે. સમ્યગુદર્શનનો મહિમા અને ગરિમાનું શાસ્ત્રકારો અને સમર્થ આચાર્યોએ પ્રત્યેક સ્થાને વિવિધ રૂપથી વર્ણન કર્યું છે. ( ૨ ) DOOOOOOOOOOOOX જિણધમો)