________________
( ઉપાધ્યાય )
નવકાર મંત્રનું ચોથું પદ ઉપાધ્યાયનું છે. “૩૫-સીરે ગથીય-યાત્ રૂતિ સપાધ્યાય:" જેમના પાસે રહીને શાસ્ત્રીય અધ્યયન કરવામાં આવે છે તે વિશિષ્ટ શ્રુતના અધ્યાપક-ઉપાધ્યાય હોય છે. ઉપાધ્યાય સ્વયં અંગ-ઉપાંગાદિ શાસ્ત્રોના મર્મજ્ઞ વિદ્વાન હોય છે અને બીજાઓને શ્રતનું અધ્યયન કરાવે છે. અજ્ઞાનના અંધકારમાં ભટકતાં પ્રાણીઓને જ્ઞાનનું આલોક દેનાર ઉપાધ્યાય કહેવાય છે. ઉપાધ્યાય માટે એ આવશ્યક છે કે તેઓ વિભિન્ન મતોના જ્ઞાતા (જાણકાર) હોય, કારણ કે સમ્યગુમાર્ગનો નિર્ણય કરી અધ્યેતાઓને સમુચિત સમાધાન આપી શકે છે. ઉપાધ્યાય ૨૫ ગુણ તથા અનેક ઉપમાઓના ધારક હોય છે. ઉપાધ્યાયના ૨૫ ગુણ :
વારસંવિડ વૃદ્ધા, રપ-વરVITો
पभावणा जोगनिग्गहो, उवज्झायगुणं वन्दे ॥ અર્થાત્ - ૧૨ અંગના વિજ્ઞાતા, ૧૩-૧૪ કરણસત્તરિ અને ચરણસત્તરિના ગુણોથી યુક્ત ૧૫-૨૨ આઠ પ્રકારની પ્રભાવનાથી જૈન ધર્મનો પ્રભાવ વધારનારા, ૨૩-૨૫ ત્રણેય યોગોને વશમાં કરનાર. આ ૨૫ ગુણોના ધારક મુનિ ઉપાધ્યાય કહેવાય છે. એક અન્ય વિવક્ષાથી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણસતરિ અને કરણસત્તરિ - એ ૨૫ ગુણ માનવામાં આવ્યા છે. ઉપાધ્યાયજીની ૧૬ ઉપમાઓઃ
કોઈપણ શ્રેષ્ઠ કે નિષ્કૃષ્ટ વસ્તુના સ્વરૂપને સમજવા-સમજાવવા માટે વિશેષજ્ઞ પુરુષ ઉપમાઓનો પ્રયોગ કરતા આવ્યા છે. પ્રસિદ્ધ વસ્તુની સાથે જ્યારે કોઈ વસ્તુની તુલના કરવામાં આવે છે તો એના ગુણધર્મનું સ્પષ્ટ જ્ઞાન થઈ જાય છે. આ પદ્ધતિ હંમેશાંથી ચાલતી આવી છે. તે અનુસાર ઉપાધ્યાયજી માટે “ઉત્તરાધ્યયન સૂત્ર'માં ૧૬ ઉપમાઓ આપવામાં આવે છે. ઉપાધ્યાયજીમાં ઘણી વિશેષતાઓ હોય છે. એ બધી વિશેષતાઓને કોઈ એક પદાર્થની ઉપમા દ્વારા પ્રગટ કરવી સંભવ નથી. માટે આ વિશેષતાઓને પ્રકાશિત કરવા માટે ૧૬ ઉપમાઓ આપવામાં આવી છે. તે આ પ્રકારે છે : ૧. જેમાં શંખમાં ભરેલું દૂધ ખરાબ પણ થતું નથી અને વિશેષ શોભા આપે છે તથા
વાસુદેવના પાંચજન્ય શંખની ધ્વનિનું શ્રવણ કરવા માત્રથી જ શત્રુની સેના ભાગી જાય છે, એ જ પ્રકાર ઉપાધ્યાયજી દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન નષ્ટ પણ નથી થતું અને વધુ શોભા આપે છે તથા ઉપાધ્યાયજીના ઉપદેશની ધ્વનિના શ્રવણથી પાખંડ અને પાખંડી
ભાગી જાય છે. (૪૪) ) )))) ))))( જિણધમો )