________________
આ રીતે જૈન તત્ત્વચિંતકોએ બંધન અને મુક્તિના સ્વરૂપ અને સાધકોનું ખૂબ જ ઊંડાણપૂર્વક ચિંતન તથા અનુશીલન પ્રસ્તુત કર્યું છે. કારણ કે અધ્યાત્મ-શાસ્ત્રનું સમસ્ત ચિંતન બંધન અને એનાથી મુક્તિ પર જ આધારિત છે. આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્ર'ના પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્રમાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરતાં કહ્યું છે -
“સવન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમા'' - તત્ત્વાર્થ ૧/૧ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રની આરાધના કરવી એ જ મુક્તિનો માર્ગ છે.
આ પાવન મોક્ષમાર્ગના પ્રરૂપક અનંતજ્ઞાની, સર્વજ્ઞ, સર્વદર્શી તીર્થકર દેવ હોય છે. તેઓ તીર્થકર નામ કર્મના ઉદયથી ચતુર્વિધતીર્થની સ્થાપના કરે છે. તીર્થકર કેવળજ્ઞાન(સંપૂર્ણ જ્ઞાન)થી યુક્ત અને યથાખ્યાત ચારિત્રથી સંપન્ન વીતરાગ દશામાં પહોંચેલા ઉત્કૃષ્ટ સાધુ હોય છે. એમના મુખકમળથી મોક્ષમાર્ગનો સમુદ્ભવ થાય છે. એટલા માટે સાધુમાર્ગ કહેવામાં આવ્યો છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ “થોઃ માતઃ મા: સાધુના' યથાર્થ રૂપથી સંગત થાય છે. પરમ શ્રેષ્ઠ સર્વોત્કૃષ્ટ સાધુથી આવેલ માર્ગ સાધુમાર્ગ કહેવાય છે. એવા સર્વોત્કૃષ્ટ જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક સાધુ અહંત કે જિન હોય છે. એમના દ્વારા પ્રરૂપિત હોવાથી આ માર્ગ “આહત માર્ગ' કે 'જિનમાર્ગ” પણ કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્રમાં શાશ્વત રૂપથી તીર્થકર ભગવાન વિદ્યમાન હોય છે, માટે ત્યાં મોક્ષમાર્ગની આરાધના સતત ચાલતી રહે છે. અન્ય ક્ષેત્રોમાં જ્યારે જ્યારે તીર્થકર ભગવંત થાય છે, ત્યારે ત્યારે નવા રૂપમાં તીર્થની સ્થાપના થાય છે અને મોક્ષમાર્ગનો સમુભવ થાય છે. તીર્થકર ભગવંતની છત્રછાયામાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ જંગમતીર્થ જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ મોક્ષમાર્ગની આરાધના કરે છે.
ભવ્ય આત્માઓના માર્ગદર્શન હેતુ જૈન મનીષીઓ અને મહર્ષિઓએ પોતાના ચિંતન, મનન તથા અનુશીલન દ્વારા જે તત્ત્વામૃત પ્રાપ્ત કર્યું છે, એને વાણી અને શ્રત દ્વારા સર્વસાધારણને વિતરિત કર્યા છે. એ તત્ત્વામૃતનું પાન કરીને અનેક મુમુક્ષુ તથા ભવ્ય આત્માઓ પોતાનું કલ્યાણ કરવામાં સમર્થ થયા છે, થઈ રહ્યા છે અને થશે.
જૈન ચિંતકોનું ચિંતન બહુ વિશાળ અને વ્યાપક છે. વિશાળ તથા વિપુલ ગ્રંથ-રાશિના રૂપમાં એ વિસ્તૃત થયું છે. શ્રુત સાહિત્ય બહુ જ ઊંડું છે, માટે એને સુબોધ તથા સુગમ્ય કરવા માટે વિસ્તૃત વ્યાખ્યા-ગ્રંથ રચવામાં આવ્યા છે. આ રીતે જૈન સાહિત્યનો વિપુલ વિસ્તાર થયો છે, એ જ વિસ્તારમાં સમુચિત (યોગ્ય) યોગદાન હેતુ મુક્તિપથને સુસ્પષ્ટ પ્રતિપાદિત કરવા માટે આ પ્રયાસ પ્રસ્તુત છે. પૂર્વાચાર્યોની વાણીના આધાર પર અલ્પજ્ઞ ભવ્ય જીવોના ઉપકારાર્થ જૈન તત્ત્વજ્ઞાનની કેટલીક નિષ્કર્ષાત્મક વિવેચના આ ગ્રંથનું પ્રતિપાદ્ય છે. (૨)
જિણધમો)