________________
૧૨. ભજમાન : આચાર્ય આપણાથી અનુકૂળ રહે છે, અથવા ભવિષ્યમાં અનુકૂળ રહેશે.
આ દૃષ્ટિએ વંદના કરવી. ૧૩. મૈત્રી આચાર્ય વગેરેથી મૈત્રી થઈ જશે, આ પ્રકાર મૈત્રીના નિમિત્તથી વંદના કરવી. ૧૪. ગૌરવ ઃ બીજા સાધુ આ જાણી લે કે આ સાધુ વંદન વિષયક સમાચારમાં કુશળ છે.
આ પ્રકાર ગૌરવની ઇચ્છાથી વિધિપૂર્વક વંદના કરવી. ૧૫. કારણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સિવાય અન્ય ઐહિક વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ માટે
વંદના કરવી, કારણ-દોષ છે. ૧૬. સૈન્ય : બીજા સાધુ અને શ્રાવક મને વંદના કરતા જોઈ ન લે, મારી લઘુતા પ્રગટ
ન થાય, આ ભાવથી ચોરની જેમ છુપાઈને વંદના કરવી. ૧૭. પ્રત્યેનીક : ગુરુદેવ આહારાદિ કરતા હોય એ સમયે વંદના કરવી, પ્રત્યનીક-દોષ છે. ૧૮. દુષ્ટ : ક્રોધથી બળતા વંદના કરવી. ૧૯. તર્જિત : ગુરુદેવને તર્જના કરતા વંદના કરવી. તર્જનાનો અર્થ છે - “તમે તો કાષ્ઠમૂર્તિ
છો - તમને વંદના કરીએ કે નહિ કરીએ, કોઈ લાભ-હાનિ નથી.' ૨૦. શઠ : કોઈપણ ભાવ સિવાય શ્રાવકાદિકોને બતાવવા માટે વંદના કરવી અથવા બીમારી
વગેરેનું ખોટું બહાનું કાઢીને સમ્યફ પ્રકારથી વંદના ન કરવી. ૨૧. હીલિત આપને વંદના કરવાથી શું લાભ” - આ પ્રકારે મજાક કરતા તિરસ્કારપૂર્વક
વંદના કરવી. ૨૨. વિપરીકુંચિત ઃ વંદના અધૂરી મૂકીને દેશ વગેરેની આજુબાજુની વાતો કરવી. ૨૩. દ્રષ્ટાદ્રષ્ટ : ઘણા સાધુ વંદના કરતા હોય એ સમયે કોઈ સાધુની આડમાં વંદના કર્યા
વગર ઊભા રહેવું અથવા અંધારી જગ્યામાં વંદન કર્યા વગર જ ચુપચાપ ઊભા રહેવું,
પરંતુ આચાર્ય જોઈ લેતા વંદના કરવા લાગવું, દ્રષ્ટાદ્રષ્ટ દોષ છે. ૨૪. શૃંગ : ‘મો વયં વાય' કહેતા રૂપ વંદના કરતા સમયે કપાળના વચ્ચે બંને હાથ
લગાવ્યા સિવાય કપાળની ડાબી-જમણી બાજુ લગાવવા શૃંગ-દોષ છે. ૨૫. કર : વંદનાને નિર્જરાનો હેતુ ન માનીને એને અરિહંત ભગવાનનો કર સમજવો. ૨૬. મોચન ઃ ‘વંદનાથી જ મુક્તિ શક્ય છે, વંદન્ય વિના મોક્ષ નથી થવાનો' એ વિચારીને
વિવશતા સાથે વંદના કરવી. ૨૭. આશ્લિષ્ટ અનાશ્લિષ્ટ ‘ો ાય' વગેરે આવર્ત આપતી વખતે બંને હાથોથી
રજોહરણ અને મસ્તકને ક્રમશઃ અડવું જોઈએ. અથવા ગુરુદેવના ચરણકમળ અને પોતાના મસ્તકને ક્રમશઃ અડવું જોઈએ. એવું ન કરીને કોઈ એકને અડવું, અથવા બંનેને
જ ન અડવું, આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ દોષ છે. ૨૮. ઊન ઃ આવશ્યક વચન તથા નમન વગેરે ક્રિયાઓમાંથી કોઈપણ ક્રિયા છોડી દેવી
અથવા ઉત્સુકતાના કારણે થોડા સમયમાં જ વંદનક્રિયા સમાપ્ત કરી દેવી. (૫૮) વીજે છે. તો છે , જિણધમો