________________
ભારને પ્રાણાંત કષ્ટ સહન કરીને પણ વચ્ચે નથી છોડતા, પરંતુ સમ્યક પ્રકારથી એમનો
નિર્વાહ કરે છે. ૧૯. સિંહ : કેસરીસિંહ કોઈપણ પશુના ડરાવવાથી ડરતો નથી, એમ સાધુ કોઈપણ
પાખંડીથી ડરીને ધર્મથી વિચલિત થતા નથી. ૨૦. પૃથ્વી : જેમ પૃથ્વી હંમેશાં ઠંડી-ગરમી, ગંગાજળ-મૂત્ર, મલિન-નિર્મળ બધી વસ્તુઓને
સમભાવથી સહન કરે છે અને ધરતી માતા સમજીને પૂજા કરનારાઓ પર તથા એંઠુંગંદકી વગેરે નાખવાવાળા પર તથા ખોદવાવાળા પર સમભાવ રાખે છે, એમ સાધુ શત્રુ-મિત્ર ઉપર સમભાવ રાખે છે. નિંદક અને વંદકને સમાન ભાવથી ઉપદેશ આપે
છે અને એમને સંસાર-સાગરથી તારે છે. ૨૧. વહ્નિ (અગ્નિ) ઘી નાખવાથી અગ્નિ જેમ દેદીપ્યમાન થાય છે, એમ સાધુ જ્ઞાન
વગેરે ગુણોથી દેદીપ્યમાન થાય છે. ૨૨. ગોશીષચંદન ચંદન જેમ-જેમ ઘસવામાં આવે છે કે સળગાવવામાં આવે છે તેમ-તેમ
સુગંધનો પ્રસાર કરે છે, એમ સાધુ પરિષહ આપનારાઓને કર્મક્ષયમાં ઉપકારી
જાણીને સમભાવથી ઉપદેશ આપીને તારે છે. ૨૩. દ્રહ (ધરો) : દ્રહ ચાર પ્રકારના હોય છે : (૧) કેસરી વગેરે વર્ષ પર પર્વતના દ્રહમાંથી પાણી બહાર નીકળે છે પરંતુ બહારનું
પાણી એમાં પ્રવેશ નથી કરતું, એમ કોઈ કોઈ સાધુ બીજાને કંઈક શીખવાડે છે,
પણ પોતે કશું શીખતા નથી. (૨) સમુદ્રની જેમ પાણી અંદર આવે છે પણ અંદરનું પાણી બહાર નથી નીકળતું, એમ
કેટલાક સાધુ બીજાઓથી જ્ઞાન શીખે છે પરંતુ પોતે બીજાને નથી શીખવાડતા. (૩) ગંગાપ્રપાત ધોધ કુંડમાં જેમ પાણી આવે પણ છે અને બહાર પણ નીકળે છે, એમ
કેટલાક સાધુ જ્ઞાન વગેરે બીજાથી શીખે પણ છે અને બીજાને પણ શીખવાડે છે. (૪) અઢીદ્વીપના બહારના સમુદ્રોમાં પાણી નથી બહારથી આવતું કે નથી અંદરથી બહાર
નીકળતું, એમ કેટલાક સાધુ ન તો જ્ઞાન વગેરે ગુણ બીજાથી શીખે છે કે ન બીજાને શીખવાડે છે. એના સિવાય જેમ બ્રહનું પાણી અખૂટ હોય છે એમ
સાધુના જ્ઞાન વગેરે ગુણોનો ભંડાર અક્ષય હોય છે. ૨૪. કીલ (ખીલી) : જેમ ખીલી પર હથોડી મારવાથી એ એક જ દિશામાં પ્રવેશ કરે છે,
એમ સાધુ હંમેશાં મોક્ષની જ દિશામાં પ્રવૃત્તિ કરે છે. ૨૫. શૂન્યગૃહ ? જેમ ગૃહસ્થ ખંડેર જેવાં સૂનાં ઘરોની સાર-સંભાળ નથી કરતા, એમ સાધુ
શરીરરૂપી ઘરની સાર-સંભાળ નથી કરતા (લેતા)
[ સાધુ 200000000000000 OK ૫૫)