________________
|
S9
મોક્ષ પુરુષાર્થ કરી શકે છે.
કુદરતની અનહદ કૃપાના ફળ રૂપે અથવા પૂર્વે કરેલી ભકિતના ફળ રૂપે આ માનવદેહ, તને અનંતકાળ વિત્યા પછી પ્રાપ્ત થયેલ છે તે અનુપમ રત્નનું, હે આત્મન્ ! તું પૂર્ણ જતન કર, તેમાં એક ક્ષણ પણ ગાફેલ રહેવા જેવું નથી !
સં. ૨૦૩૮ મહા વદ : વિજળી પ્રવાહ આજ્ઞાચક્રથી નીકળી કાન આગળ થઈ મસ્તકે ફરી પાછો આવતો દેખાય છે.
સં. ૨૦૩૮ ફાગણ વદ ૧ થી ૫ : રાતના ધ્યાનમાં દીવડાની ઝાંખી જ્યોત દેખાય છે.
- સં. ૨૦૩૮ ફાગણ વદ ૬ થી : મસ્તકનો આકાશ પ્રદેશ વીજળીના ઝબકારાથી ઝળહળી ઉઠ્યો -' ચારેબાજુ ફેલાયો. વળી, ચારે બાજુ ધોધમાર વરસાદ, ધરતી પર પાણી પાણી, સમુદ્રમાં જોરદાર મોજાં ઉછળે છે નદી બંને કાંઠે વહી રહી છે.
સં. ૨૦૩૯ ફાગણ વદ ૩ થી ૭: ધ્યાનમાં ગજબની સ્થિરતા, ચિત્તની પ્રસન્નતા વધી રહી છે, મન સમાધિસ્થ થઈ જાય છે, બન્ને આંખોની પાંપણની ધાર પર પ્રકાશપૂંજ ગતિ કરી રહ્યો છે.
સં. ૨૦૪૦ થી ૨૦૪૭ : શરીર વ્યાધિમાં સપડાયું તેથી સાધના અટકી ગઈ.
સં. ૨૦૪૯ : વતન છોડી વસઈ રહેવા આવ્યા પછી મનમાં પશ્ચાતાપ, સંસાર પ્રત્યે ઉદાસીનતા, ચિત્તમાં વેરાગ્ય અને પરિણામની શુદ્ધિ થઈ રહ્યા છે. વળી લેશ્યાઓના બદલાવ સાથે ચિત્તમાં, ધ્યાનમાં રંગો બદલાતા જાય છે.
સં. ૨૦૫૩ કારતક/માગશર : બપોરે સૂતી વખતે રોજ આંખો બંધ થાય કે તરતજ જાગૃતિમાં તિલકના સ્થાને (આજ્ઞાચક્ર પાસે) મણિરત્નમાંથી સફેદ તેજોમય પ્રકાશના કિરણો ઝબકવા માટે અર્ને દેવતાઓના આવાસોના તેજસ્તંભોનો ચળકાટ દેખાવા માંડે. આવા વારંવાર અનુભવ થયા. “કયાંતો મારો આત્મા ત્યાંથી આવેલો હશે તેની સ્મૃતિ જાગૃત થઈ અને લેગ્યા સુધરતાં (નિર્મળ થતાં) આજ્ઞાચક્ર સહસ્ત્રાર ચક્ર પ્રકાશી ઉઠડ્યાં.”
સં. ૨૦૫૩, માગશર સુદ ૧૩ : સવારે ૧૦.૦૦ કલાકે સાધનામાં, ગળા ઉપરનો મસ્તકનો પૂરો ભાગ અંદર બહાર અતિશય તેજ કાંતિથી ઝળકતો પ્રકાશ બની ગયો. (આત્મા અને શરીર જુદા પડ્યા તેવો અનુભવ થયો)
સં. ૨૦૫૩, ભાદરવા સુદ ૧૪-૧૫: રાત્રે ૧૨ થી ૨ વચ્ચે ઓમ ધ્વનિ નાભિના અંદરના ભાગમાંથી વિદ્યુતવેગે ગતિ કરતો અનાહદ્ ચક્ર, વિશુદ્ધિ આજ્ઞાચક્રને ભેદતો સહસ્ત્રાર ચક્રમાં દાખલ થઈ મારા શરીરમાં ૐ નાદ ધ્વનિ સિદ્ધ થયો તેવું સૂચન છે.
સં. ૨૦૫૩, ભાદરવા વદ ૧-૨-૩ : રાતના ૧૨ થી ૨ વચ્ચે અંતરમાં તંબુરાના તારોમાંથી તુંહી તુંહી નાદ મસ્તકમાં વાગી રહ્યો છે. મન અને ચિત્ત પ્રસન્નતા અનુભવી
રહ્યું છે.
સં. ૨૦૫૪ : ધ્યાનમાં કાળો નીલો રાખોડી રંગ દેખાતાં બંધ. ફક્ત ગુલાબી,