________________
શ્રી ચંદ્રરાજ ચરિત્ર
विकमंचियपाणीणं, भयसंका न विज्जइ । . . न भयं भयमिच्चाहु, धम्मलोवो महाभयं ॥४१॥
પરાક્રમયુક્ત પ્રાણીઓને ભયની શંકા હતી નથી. ભય એ ભય નથી પણ ધર્મને લેપ એ મહાભય છે.” ૪૧ - હવે હર્ષથી વિકસિત મનવાળી સાસુ-વહુ આગળ જતાં નગરના દરવાજા પાસે આવી. ચંદ્રરાજા પણ ત્યાં સુધી તેની પાછળ ગયે. વીરમતી નગરની અંદર પ્રવેશ કરીને વહુને હાથ પકડીને ગુણાવલીને જોતી લગ્નમંડપ તરફ ચાલી. - ત્યાં સ્ત્રીસમૂહનાં વિવિધ ગીત અને નૃત્ય સાથે વાજિંત્રોનો નાદ લેકના ચિત્તને આનંદ પમાડતે હતે. સધવા સ્ત્રીઓ ધવળમંગળ ગાતી હતી. આ પ્રમાણે અનેકવિધ શોભા જોવામાં ઉત્સુક ચિત્તવાળી તે બને “હમણું વરઘોડે અહીં આવશે” એમ જાણીને એક સ્થાને બેઠી. આ બાજુ ચંદ્રરાજા પણ નગરના દ્વાર પાસે આવ્યો. इहवीरसेण-चंदा-वईण संजम-सिवपयसंपत्ती । वीरमईए विज्जा, पयारणं तह य सुण्हाए ॥१॥ तह य विमलापुरीए, पुत्तवहूए समं समागमणं । पढमुद्देसे भणिय, वृत्तं अच्छेरसंजुत्तं ॥२॥
“અહીં વીરસેન રાજા અને ચંદ્રાવતી રાણી એ બનેના સંયમ અને શિવપદની પ્રાપ્તિ, વીરમતીની વિદ્યા